Total Pageviews
મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ?કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ?મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છેસારું નીવડેલું બિયારણ ,પાળા ઉપર મરચી ,મ્લચીંગ ,ડ્રિપ અને સારા ફૂગનાશક અનેફર્ટીગેશનમરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે ?1- એક તો તમે જાતે આ વર્ષે અત્યારે જે ખેડૂતો સફળ છે તેને મળો અથવા ફોન કરી માહિતી મેળવતા રહો અને તમારી ડાયરી માં નોંધો2- ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વિના મુલ્યે મોબાઈલમાં વાંચતા રહો અને અમલ કરતા રહો3- સ્માર્ટ કૃષિ મિત્ર ચીલી ક્લબ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમારું નામ નોંધાવવા આજેજ ફોન કરો 98252299664- કૃષિ વિજ્ઞાન મેગેઝીનનું લવાજમ ભરો , અથવા મરચી વિશેષાંક ભાગ ખરીદો તમારી મરચીની ખેતીમાટે ખુબ ઉપયોગી આ વિશેષ અંક આખી સીઝન તમને તમારા મરચીને લગતા મુંજવતા દરેક સવાલ ના સચિત્ર જવાબ મળશે, વધુ વિગત માટે કૃષિ વિજ્ઞાન વોટ્સએપ ગ્રુપમાં જોડાવા 9825229966 ઉપર કૃષિ અથવા krushi લખી લિંક મેળવો5- પાળા ઉપર મરચાની ખેતીમાં ઘણા રોગો સામે રક્ષણ મળતું હોવાથી મરચીના ખેડૂતો અપનાવી રહ્યા છે તે પદ્ધતિને કંટ્રોલ ટ્રાફિક ટીલેજ કહે છે.6: મરચીનું સારું બીજ કોને કહેવાય ? ગયા વર્ષે 8-10 નવી જાતો આવી તેમાં રોગ જીવાતના ઉપદ્રવ ઓછા રહ્યા અને બીજું મરચાની ક્વાલિટી બહુ સારી થઇ કારણ કે એન્થ્રેકનોઝ ડાઘી ઓછી આવી , આ બિયારણ મળે તો જરૂર વાવજો , તમે નામ લખી લો ,
ખોખા સારા કરવા માટે યુનિ વેજ -અમિતા અને લાલ પાવડરના કલર અને વધુ ભાવ માટે યુનિ વેજ અનિતા , નજીકના ડિલરને કહેશો તો તમને કહેશે એના બદલે આ લઇ જાવ ત્યારે કહેજો અમિતા અને અનિતા હોય તો આપ નહીંતર આ હાલ્યો એટલે આપશેજો તમે ફેસબુક ધરાવતા હો તો આજેજ કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો
ફાયટોપથોરા બ્લાઈટશું છે તે બરાબર સમજો :
મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે ફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે.
ઉપદ્રવિત છોડના મૂળ, થડ, પાન, ફળ ઉપર કાળો ડાઘ પડે છે, છોડ ઉભો સુકાય છે, પાંદડા પર પહેલા ડાર્ક ગ્રીન ડાઘ પડે છે પછી તે મોટા થાય છે. ફળ ઉપર ઘાટા ડાઘ પડે, પાણી પોચા થાય, સફેદ ફૂગના સ્પોર જોવા મળે,
પાન ખરી પડે છે. પાણી જે તરફ વહેતું હોય તે તરફ રોગ આગળ વધતો દેખાઈ છે.
શું કરવું જરૂરી હતું ?
ચોમાસા ના વાતાવરણ માં સતત ભેજ હોય, પાણી ભરાય રહેતું હોય, બાજુના ખેતરમાં રોગ હોય અને વરસાદનું પાણી ત્યાંથી તમારા ખેતરમાં આવે તો તમારા ખેતરમાં પણ ભવિષ્યમાં રોગ આવે છે....
૨૪ સેન્ટીગ્રેડ થી ૩૩ સેન્ટીગ્રેડ વાળા હવામાનમાં આ રોગ વધુ ફેલાય, તમે ગૂગલ વેધર રોજ જોતા રહેજો , થર્મોમીટર તો તમે વસાવ્યું ?
તમારા ચંપલ અને ખેતીના સાધનો સાથે આ રોગના જીવાણું ચોટીને પણ તમારા ખેતરમાં આ રોગ આગળ વધી શકે.
દવાનું ડ્રેન્ચિંગ કરો.આ વખતના વધુ વરસાદ માં તમારા ખેતરમાં પાણી ભરાય રહ્યું હોય તો તમારે તો ખાસ કરવું પડશે , પાણી પહેલા પાળ બાંધજો
જો તમારા ખેતર માં આ રોગ લાગતોજ હોઈ તો 3-4 વર્ષ આ જમીન માં શાકભાજી કે મરચી કરવી જોઈએ નહિ
ફળ આવે તે પહેલા દવા નું ડ્રેનચિંગ કરવાની તૈયારી રાખજો, મોડું નહિ ચાલે
ડ્રેન્ચિંગ પણ અને છંટકાવ પણ બંને કરવો પડશે
એલીએટ ૩૫ ગ્રામ/પંપ અથવા
પ્રોફીલર ૩૫ ગ્રામ / પંપ અથવા
મેલોડી ડુઓ ૫૦ ગ્રામ / પંપ અથવા
ઇન્વેકશન પ્રો ૨૫ ગ્રામ /પંપ
પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે
એફીડોપાયરાપેન
સાયન્ત્રાનીલીપરોલ
ફ્લોનીકામીડ
એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ)
પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા
કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ
છોડ સુકાતો નથી ને ?
પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ?
ટપકા કેવા છે?
વાયરસના લક્ષણ છે ?
પાંદડા કેવી રીતે વળ્યા છે ?
પાંદડા તાંબાવર્ણતો નથી થયાને ?
વગેરે પ્રશ્નો થવા જોઈએ.
પૂછતાં પંડિત થવાય
તમારે ખુશ થવું જોઈએ કે તમારો પાડોશી વધુ સારું ઉત્પાદન લે છે,
તેની સાથે દોસ્તી કરો,
અઠવાડિયે એકવાર તેની સાથે ચા પીવો,
મરચીની ખેતીમાં વધુ ઉત્પાદન લેવા માટે વિવિધ કારણો હોય છે તમારે શું ઘટે છે શોધી કાઢો.
આપણી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો અને પાણી પહેલા પાળ બાંધો
વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે , જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
મરચીનો એન્થ્રેકનોઝ નામના રોગ નો ચેપ પાણી અને હવાથી ફેલાય છે.
વરસાદી વાતાવરણ અને ઝાકળ થી આ રોગ લાગવાની શક્યતા છે
દા .ત . લીલા મરચા લાગ્યા છે જોરદાર વરસાદ છે સતત ૧૨ કલાક સુધી છોડ ભીનાને ભીના રહ્યા છે તો અથવા ઝાકળથી સતત 12 કલાક ભીના રહ્યા તો
ત્યારે આ રોગનો ચેપ મરચીના ફળમાં લાગે છે.
આપણે ક્યારે દવા છાંટીએ જયારે લાલ મરચા પર ધાબુ દેખાય ત્યારે દવા ક્યારે છાંટવાની જરૂર હતી ?
જયારે તમારી મરચી વરસાદ કે ઝાકળથી ૧૨ કલાક સુધી સતત ભીની રહે ત્યારે ઉઘાડ નીકળતા તરત જ દવા છાંટવાની હતી.
જ્યારે જયારે તમારા ખેતર ની મરચી ૧૨ કલાક સુધી ભીની રહ્યા હોય તો ઉઘાડ નીકળે છે જો આવું થોડા દિવસ પછી ફરી બને તો ફરીવાર ઉઘાડ નીકળે ત્યારે દવા છાંટી દેશો તો તમારા મરચા માં એન્થ્રેકનોઝ ઓછો આવશે.
બીજી વાત દા .ત . શિયાળોમાં જો સાંજે 8 વાગ્યાથી મેઘરવો આવ્યો અને સવારે 8 વાગ્યા સુધી તમારી સિમમાં રહ્યો તો......તો પણ તમારે તરતજ ફુગનાશક ના સ્પ્રે કરવા પડશે
આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ
મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે.
પિયત પાણીનું નિયંત્રણ અને જમીનનો નીતાર માટે સેન્દ્રીયતત્વો નો વપરાસ વધારો,
પૂરું સડેલું કમ્પોસ્ટ વાપરવું , નહિ કે કાચુ .
પાળા ઉપર મરચીની ખેતી કરો
દવાની વાત કરીએ તો વરસાદ પછી અને સમયે સમયે આ રોગ માટે થડ પાસે મૂળ પ્રદેશમાં ડ્રેન્ચિંગ કરવું આવશ્યક હતું .
મેલોડી ડુઓ (ઇપ્રોવાલીકાર્બ + પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/પંપ અથવા
પ્રોલીફર (ફોસેટાઈલ+ ફ્લુઓપીકોસાઈડ) ૩૦ ગ્રામ/પંપ અથવા
ઇક્વેકશન પ્રો. (ફેમોક્ષાડોન + સાયમોક્ષાનીલ) ૨૫ ગ્રામ/પંપ
નું ડ્રેન્ચિંગ કરવું.
છોડ ને પાણી ઓછું વારંવાર આપો
મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .
કેમ ?
હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે
બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !
એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?
એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા
મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય
એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ
આ રોગ કોલેટોટ્રીકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન , ફળ અને ડાળીમાં જોવા મળે છે.
ફુગના ચેપનું ટપકું વધીને સમય જતા સર્કલ આકારે મોટું ધાબુ બને છે. આ રોગ પાણી અને હવાથી ફેલાય છે. આની શરૂઆત જમીનમાં પડેલા રોગકારક થી થાય છે.
રોગકારક લાગે છે ક્યારે ? અને દેખાય છે ક્યારે ?
પહેલા ચિત્રમાં તમને દેખાય છે તે લાલ મરચા ઉપર પડેલા ગોળાકાર રીંગ ડાઘ અન્થ્રેકનોઝ રોગનો છે.
બીજા ચિત્રમાં એન્થ્રેકનોઝ નું જીવન ચક્ર જુવો, રોગકારકના સ્પોર જમીન ઉપર પડ્યા છે તેને અનુકૂળ વાતાવરણ મળતા તે પાન કે ડાળી ઉપર કે પછી મરચા ઉપર લાગશે ,રોગકારક છોડ પર લાગે પછી થોડા દિવસો પછી ડાઘ પડે છે , ડાઘ પડ્યો તે દેખાય ત્યાં સુધીમાં બહુ વાર થઇ જાય છે અને પાકને નુકશાન થઇ જાય છે . ફળ ઉપર ટપકા પડે છે તે જતે દહાડે ગોળાકાર રીંગનો ડાઘ પાડે છે. જો બગડેલા ફળોને વીણીને નાશ કરી દેવામાં આવે તો તેનો ફેલાવો ઓછો કરી શકાય છે.
એન્થ્રેક્નોઝનો ચેપ ક્યારે લાગે ?
જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે તેવા સતત વરસાદી વાતાવરણમાં મરચીના ઉભા પાકમાં આ રોગ લાગે છે . ટૂંકમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. રોગના લક્ષણો મોડા દેખાય છે ઘણી વખત તમને મરચું લાલ થાય ત્યારે દેખાય છે. એટલે કે આપણે નિયંત્રણ માટે ખુબ મોડા પડીયે છીએ
પાણી પહેલા પાળ બાંધવા શું કરવું ?
યાદ રાખો હવે જો સતત વરસાદી વાતાવરણ રહ્યું હોય અને જો 12 થી 14 કલાક છોડ વરસાદથી કે ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે સામાન્ય ફુગનાશક છાંટી દયો તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય. વરસાદ પૂરો થયો અને ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક મરચીના પાન ભીના રહ્યા તો ફરી ફુગનાશક છાંટો 11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન રાખો તો મરચીમાં આ રોગ લાગવાની શક્યતા ઘટી જાય નહીંતર મોંઘામા મોંઘી દવાના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો રોજ ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા 12 કલાકથી વધારે સતત ભીના રહ્યા તો છાંટો . મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ અથવા
ડાયફેનકાઝોલ + એઝોસ્ટ્રોબીન 20 પ્રતિ પંપ અથવા
થાયો ફેનેટ મિથાઇલ 25 ગ્રામ પ્રતિ પમ્પ
સપાટ ક્યારામાં મરચી વાવી હોય, પાણી ભરાયા હોય
વખતો વખત વાતાવરણમાં ૯૫ ટકા ૧૦૦ ભેજને લીધે હવામાન ભેજવાળું રહ્યું હોય
ખેતરની માટી ચીકણી હોય,
વરસાદ વખતે છોડ પવનના લીધે ડગડગ થયો હોય,
વરસાદ પડતો હોઈ ત્યારે છોડ જો બાંધ્યાના હોય તો થડ ડગ ડગ થવાથી થડપાસે આઈસક્રીમના કોન જેવો ખાડો પડ્યો હોય, તેમાં પાછા પાણી ભરાય હોય ત્યારે નિતાર વગરની જમીન અને થડ પાસે ફૂગ લાગે,
તાપમાન ૨૦ સે.ગ્રે.થી ૪ડિગ્રી વધુ અથવા ૪ ડિગ્રી ઓછું તાપમાન હોય ત્યારે પ્રકોપ દેખાય , આવા સમયે મરચીમાં ફાલ પણ પૂરતો લાગ્યો હોય છે ,
આવું થાય ત્યારે ફાયટોપ્થોરા લાગે છે છોડ ડગે નહીં તે માટે ચોમાસામાંજ દરેક ચાસ માં દર ૫ ફૂટના અંતરે લાકડા બાંધી તેની સાથે દોરી ખેંચી લ્યો ને દોરી સાથે છોડ ને સપોર્ટ આપો જમીન અને થડ પાસે કોન આકાર પડવાજ ના દ્યો , કોન થાય તો પાણી ભરાય ને ત્યાં ફૂગ લાગે એવું થાય જ નહિ તેવું કરો
જો તમારે આ સુકારો દેખાતો હોઈ તો આપણી ચેનલ ખેતરની વાત માં બતાવ્યા મુજબના ફુગનાશકના છંટકાવ અને ડ્રેનચિંગ બંને કરો
સ્ટેકીંગ એટલેકે મરચીનો ટેકો આપવો
રોગકારક :
આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે.
જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય,
સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય,
પાન ખરી જાય .જુવો ચિત્ર પાન ઉપર સફેદ છારી તો ભૂકી છારો , પાનમાં પીળા ધાબા તો તળછારો .
ભૂકીછારો થવાનું કારણ :
ભૂકીછારો 15 થી 27 સેં .સુકું અને ભેજવાળા એમ બંને તાપમાનમાં થાય, ભેજવાળામાં વધુ ફેલાય , 32 થી ઊંચું તાપમાન ભૂકીછારા ને અનુકૂળ આવતું નથી , સૌ પ્રથમ ભૂકી છારો જુના પાનમાં દેખાય છે પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.રોગ લાગ્યા પછી કાળજી લેવામાંના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.ભૂકીછારાથી પાન ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોવી જોઈએ , એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? સમજાય તેવી વાત છે
ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , સમય ચુકી ગયા તો પાન ખરશે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.
ભૂકીછારો ક્યારે આવે ?
શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે તો આપણે શું કરીયે ? વેસેલીન લગાડીયે .
મરચીમાં આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો . જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભૂકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , ટૂંકમાં ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અને ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.