મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?




મરચીની ખેતીમાં વાયરસ આવતો અટકાવવા પહેલું પગથીયું છે મરચીના બીજ માંથી તૈયાર થતા રોપના શરૂઆતના દિવસોની પુરેપુરી કાળજી એટલે કે બીજમાંથી રોપ તૈયાર થાય તે પ્રથમ ૩૦ થી ૪૫ દિવસ રોપ ઉછેર વખતે એક પણ પ્રકારની ચુસીયા જીવાત રોપમાં લાગવી જોઈએ નહિ તે માટે જરૂર પડે તો જ્યાં નર્સરી એટલે કે રોપ ઉછેર કર્યો છે ત્યાં રોપ ને ઇન્સેક્ટ નેટ (૬૦ થી ૮૦ મેશની નાઈલોન નેટ) ની અંદર કરો,

નર્સરી રોપ જ્યાં કર્યો છે તે ગાદીકયારો બેડની માટીમાં ફ્યુરાડાન નાખો. રોપની ફેરરોપણી કરો ત્યારે ૧ મહિનો ચુસીયાથી બચી રહ તે માટે ઈમીડાક્લોપ્રિડના ૧ મિલી દવા /૨ લીટર પાણીમાં નાખી મૂળને બોળીને ફેરરોપણી કરો.

ફેર રોપણી કરતા પહેલા નર્સરીના રોપ ઉપર ફીપ્રોનીલ અથવા થાયોમેથોકઝામનો છંટકાવ પણ કરો. જ્યાં ફેરરોપણી કરવાની છે ત્યાં જમીનમાં ફ્યુરાડાન જરૂર નાખો અને ડ્રીપ અને મલ્ચીંગ કરો તો મરચીની ખેતી માટે ખુબ સારું છે.

એક વાત પ્રવીણભાઈની યાદ રાખો કે જો રોપ માં ચુસીયા ખાસ કરી ને સફેદ માખી આવી હોય તો વાયરસ મૂકી ગઈ છે તેટલે તમારી મરચી માં કુક્ડ આવશે તે નક્કી છે , તો જાગવાનો સમય કયો ?

હવે અત્યારે જાગ્યા હો તો સતત ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 80 થી 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો



1 comments

  1. મરચી મા કુકડ આવી ગઈ છે તો કઈ દવા નો સ્પરે કરવો

    ReplyDelete