આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.
તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.
એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ
એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.
છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766
લીફકર્લ એટલે શું ? લીફકર્લ હોય ત્યારે પાંદડા કેવા થઈ જાય ?
નીતિન ભાઈ તમારો પ્રશ્ન ખુબ જ અગત્યનો અને બધા માટે જાણવા યોગ્ય છે. લીફકર્લ એક વાયરસ છે લીફકર્લ ને લીધે પાંદડા કોક્ડાઈ જાય છે. અને ઉપર દર્શાવેલા ફોટા જેવા થઇ જાય છે. પાનની સપાટીઓ ઉપસી આવે છે. આપણે જાણીએ છીએ કે મરચીની અંદર ૧૬ પ્રકારના વાયરસ આવે છે. આ બધા વાયરસ મોટેભાગે ચુસીયા જીવાત જેવી કે સફેદમાખી, થ્રીપ્સ, મોલો દ્વારા આપણા પાકમાં ફેલાય છે.
આપણા પાકમાં મરચીનો વાયરસ ન આવે તે માટે ચુસીયા જીવાતોનું સફળ નિયંત્રણ કરવું જરૂરી છે.
મધ્યપ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં લીફ કર્લ વાયરસ વધુ આવ્યો છે. આંધ્રપ્રદેશ ભારતનો મરચી ઉગાડતું રાજ્ય છે. ત્યાં મોનોક્રોપીંગ થતું હોવાથી અથવાતો પાકની ફેરબદલી ઓછી થતી હોવાથી મરચીમાં જ્યારે ચુસીયા જીવાત આવે છે ત્યારે એપેડેમીક રીતે મરચીનો લીફકર્લ વાયરસ ફેલાય છે.
આ લખાય છે ત્યારે પણ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં લીફકર્લ વાયરસ આવ્યો તેવા સમાચાર છે. એક વાર લીફ્કર્લ આવી જાય પછી તેનું નિયંત્રણ કરવું ખુબ જ કઠીન હોય છે. તેને તમારી મરચી માં આવા એકલ દોકલ છોડ હોઈ તો તેને ઉખાડીને બાળી નાખો ,
જો રાખશો અને આ ઉપદ્રવીત છોડ પર જેટલા ચુસીયા હશે તે છોડ ના ચુસીયા જેટલા છોડ પર જશે ત્યાં આ લીફ કર્લ વાઇરસ ફેલાશે પછી તમે કઈ નહિ કરી શકો
વાંચતા રહો મારી ચેનલ ખેતરની વાત.
મરચી ઉગાડનાર ખેડૂતોને પજવનારો અને ખુબ જ નુકશાન કરનારો કૂકડ રોગ
૧૬ પ્રકારના વાયરસથી થાય છે.
જેમાં મુખ્ય કુકુબર મોઝેક વાયરસ (CMV) મોલોથી પ્રસરે છે.
ચીલી વેઈનલ મોટેલ વાયરસ (CVMV) મોલોથી પ્રસરે છે.
ચીલી લીફ કર્લ વાયરસ (CLCV) સફેદમાખીથી પ્રસરે છે.
મગફળી બડ નેક્રોસીસ વાયરસ (GBNV) થ્રીપ્સથી પ્રસરે છે.
ટૂંકમાં
ચુસીયા જીવાત જેવી કે મોલો, સફેદમાખી અને થ્રીપ્સ મરચી માં વાયરસ દ્વારા કૂકડ લાવે છે તે હમેશા યાદ રાખો.
ચુસીયા જીવાતના નિયંત્રણ માટે તમારા ખેતરમાં કઈ ચુસીયા જીવાત છે તે જાણવા અને નિયંત્રણ કરવા
યલો સ્ટીકી ટ્રેપ ખાસ લગાડો.
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866
મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે
એટલે કૂકડનું.
આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,
કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે
એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.
સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો
ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.
ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો
સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો
સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,
સફેદમાખી આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે
ગોંડલ વિસ્તારના ખેડૂતો મરચીની ખેતીમાં મહેનત બહુ કરે છે પરંતુ મરચીના ઉત્પાદનમાં પાછળ રહે છે ? શું કારણ ?
1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે સારું બીજ પસંદ કરો
2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા , મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .
3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .
4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .