મરચીમા લાગતો સુકારાનો રોગપીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારક ને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજ ને લાગે તો તેઉગસુકકહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે. રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એપ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, રોપની જગ્યા સારી પસંદ કરો
રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો,બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપનાથડે થડે ડ્રેન્ચિંગ કરો, ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે
તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળા ને આપીને રોપ નર્સરી મા તૈયાર કરાવતા હો તોજે નર્સરી ઇન્સેક્ટ નેટ નો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોઈ તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આવતા વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે
આ જમીનજન્ય ફૂગ પીથીયમ અને રાઈઝેક્ટોનીયા ને લીધે રોપ ઉભો જમીન પાસેથી સુકાય છે , જમીન પાસે ગળું પડે, પાણી પોચા ડાઘ થડ ઉપર અને
ડાળી ઉપર જોવા મળે, પાણી અપાતું હોઈ તે પાણીનાપ્રવાહ તરફ રોગ
આગળફેલાય, ઘાટા વાવેતરમાં આ રોગવધે, પાણીની નિતાર સારો ના હોય તેવી જમીન આ રોગ જોવા મળે છે , વધુ પડતું નાઈટ્રોજન આપવાથી આ
રોગ વધે . જે જમીનમાં ફાયટોપથોરા આવે છે ત્યાં વધુ જોવા મળે છે .
આ રોગ થવાનું કારણ : ઘાટું વાવેતર, નાઈટ્રોજન નો વધુ પડતો વપરાશ, એકને એક
ખેતરમાં મરચી કરવી , નિતાર સારો ના હોય તેવી જમીન .
નિયંત્રણ : નીતાર સારો રાખો , જમીન સુધારણા કરો , સેન્દ્રીય તત્વો નું ઉમેરણ
કરો , પાક ફેરબદલી કરો , વરસાદ પછી ખાસકાળજી લેવી, રેઈસ બેડ
એટલે કે પાળાઉપર મરચી વાવો, ફૂગનાશક પ્રયોગ કરો . ડ્રેનચિંગ કરો