ઠંડીની સીઝનમાં આવતી મોલો-એફિડ નામની પોચા શરીર વાળી જીવાતનો વધુ ઉપદ્રવ થાય તો પાંદડા કુકડાઈ જશે, નવા કુમળા પાંદડામાં જોવા મળતી આ જીવાત પોતાના શરીરમાંથી મીઠો રસ હગાર તરીકે કાઢે છે, જેના લીધે તેમાં પાછી ફૂગ લાગે છે અને છોડ કાળો પડી જશે. મોલોની દવા જેવી કે એકતારા અથવા ડેન્ટોપસુ અથવા એડમાયર અથવા પ્રોફેનોફોસનો પ્રયોગ કરો
બંને રોગ છે અને બંને વાતાવરણમાંના બેક્ટેરિયાને લીધે થાય છે , બંને ને ઉગતા ડામો તો ફાયદો થાય ,
બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે સુકારો તેમાં છોડ લીલે- લીલો છોડ સુકાઈ જાય છે આવું એસિડિક પીએચ વાળી જમીનમાં વધુ થાય છે , આપણા રાજકોટ જિલ્લા માં આવી જમીન મોટાભાગે નથી , પછી ખબર નહિ ટાશ કે નકામો કાંપ ઉમેરીને કોઈએ બગાડી હોઈ તો ......
બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનનાં ટપકાનો રોગમાં પણ પર ટપક પડે છે જેમાં મરચી ના પાન ખરી પડે છે એટલે મોટુનુકશાન થાય છે
ખેતીના રસ ધરાવતા તમારા જેવા ખેડૂતો ઓછા હોય છે. આ પ્રશ્ન મરચી વાવો તે પહેલા કરવો જોઈએ
તમારી વાત સાચી છે મરચીમાં સુકારાનો રોગ જ રીતે લાગી શકે ફાયટોપ્થોરા સુકારો, ફ્યુઝેરીયમ વિલ્ટ, વર્સીટીસીલીયમ વિલ્ટ, બેક્ટેરિયલ વિલ્ટ ( આ ઉપરાંત ઘણી વખત નેમેટોડના લીધે છોડ સુકાય જાય છે.)
આ સુક્વાની મુશ્કેલી એ છે કે આ ચારેય સુકારામાં નિષ્ણાંત પણ ભૂલ ખાય જાય તેવા એક સરખા લક્ષણો જોવા મળે
આ સુક્વાની મુશ્કેલી એ છે કે આ ચારેય સુકારામાં નિષ્ણાંત પણ ભૂલ ખાય જાય તેવા એક સરખા લક્ષણો જોવા મળે
જેમ કે બધામાં છોડ મરચીના છોડના થડ બ્રાઉન (ભૂખરા કલર)નું થાય છે.
બેક્ટેરિયાથી થતા સુકારામાં બેક્ટેરિયાનો સ્ત્રાવ દેખાય છે.
સુકારો ન આવે માટે પહેલેથી જ ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફૂગ્નાશકો સેન્દ્રિય ખાતરો સાથે આપવા જોઈએ. રોગ લાગે ત્યારે નહિ, અત્યારે પણ મોનિટર નું ડ્રેનચિંગ કરી દ્યો ,
દર 10 દિવસે પી એસ એ પી ખાતર 150 ગ્રામ પ્રતિ પમ્પ આપવાનું શરુ રાખો ,
આમતો વાવણી પહેલા જ ખેત પદ્ધતિમાં ફેરફાર કરી વહેલીથી આયોજન કરવું પડશે તો મરચીની ખેતી થશે.
મૂળમાં થતી આવી ગાંઠોના લક્ષણો નેમેટોડના લક્ષણો છે.
મૂળમાં ગાંઠો ગાંઠો થઇ જાય છે ,
આ આપણી જમીનમાં બીજે થી આવી જાય છે
દા .ત . નજરે ના દેખાય તેવી કૃમિ ઘણી વાર નર્સરી માંથી રોપા દ્વારા આપણી જમીનમાં આવી જાય છે,
તમારી જમીનમાં રૂટનોટ નેમેટોડ આવી ગઈ હોય તો તમારે જમીનજન્ય આ નરી આંખે દેખાય નહિ તેવી કૃમિ - નેમેટોડને મારવા દવાનો ઉપયોગ કરવો પડશે ,
હવે તમારી ખેતી માં ખર્ચ વધશે
નિયમિત લીંબોળી નો ખોળ વાપરવો પડશે ,
એરંડા ખોળ આપવો પડશે ,
જમીન નું ફ્યુમીગેશન કરવું પડશે ,
ગલગોટા ઉગાડીને જમીન માં દબાવવા પડશે
તેમ છતાં તેનો સંપૂર્ણ નાબૂદ કરવું ખુબ મુશ્કેલ છે તેથી આપણે આપણી ખેતી પદ્ધતિ માં બહાર થી આવતું કોઈ પણ મટેરીઅલ ખેતર માં પ્રવેશબંધી અથવા કાળજી લેવી પડશે
બીજાના ખેતર માંથી પાણી આવવું , ખેતર માં વાહનો નો પ્રવેશ , ખેતર માં બીજા કોઈ વ્યક્તિ ના ચપ્પલ સાથે આવતા નિંદામણ કે બીજા રોગ માટે , તમને ખબર હશે કે ગ્રીન હાઉસ માં પ્રવેશ કરો ત્યારે તમારે ફોર્માલ્ડિહાઇડ ના દ્રાવણ માં પગ બોલોને પ્રવેશ કરવાનો હોઈ છે
મરચીનો પાક સોલેનેસિ ગ્રુપ માં આવતા પાકો જેવાકે રીંગણ , ટામેટા વગેરે ની જેમ ખાતર ની આવશ્યકતા ઘણી વધારે હોય છે , આ બધા લાંબા ગાળા ના પાક હોવાથી આ પાકો માં પોષણ વધુ માંગી લે છે ,
રીંગણ ના મૂળ નો વિકાસ ઊંડા મુળ વાળા પાકો માં ગણાય છે , જો હાડપાન કઠણ ના હોઈ તો રીંગણ ના મૂળ 120 થી 150 સેમી ઊંડા જઈ શકે છે , ટામેટા અને મરચી મીડીયમ મૂળ પ્રદેશ ફેલાવે છે પણ તેના છોડ ને પોષણ સારા એવા પ્રમાણ માં જોઈએ છે ,
મરચી નો વિચાર કરીયે તો છોડની ફેર રોપણી પછી ના 30 દિવસ છોડ સ્થિર થવા માં હોય છે પરંતુ પછી ના એટલે કે ફેરરોપણી પછી ના 45 થી 105 દિવસ તેને સમયે સમયે ખાતર ની જરૂરિયાત વધુ રહે છે ,
આપણે વધુ જથ્થો મેળવવા માટે ફૂલ થી શરૂ કરી મરચા પાકે ત્યાંસુધી કેટલું ખાતર ? ક્યારે ?અને કેટલું ?આપવું તે તમે કઈ પિયત પધ્ધ્તિ થી ખેતી કરો છો તેના આધારે કેટલું અને ક્યારે આપવું તે નકી કરી શકાય , ડ્રિપ દ્વારા ખાતર આપવું અત્યંત સહેલું પડે છે અને સાથે સાથે રોગ જીવાત પણ ઓછા આવે છે તે નફા માં , મરચી ની ખેતી માં જમીન પૃથ્થકરણ ખુબ અગત્યનું છે તે કરાવજો અને સેન્દ્રીય ખાતર નો વપરાશ વધુ કરવાનો છે
તમારી અનુકૂળતા મુજબનું બીજ તમોએ પસંદ કર્યું છે હવે ત્યારે તમારું લક્ષ કેટલા ઉત્પાદન નું છે તે પણ તમારી ડાયરી માં લખી રાખો , ટૂંક માં બીજ નો ખર્ચ મરચા ની કુલ ખેતી ખર્ચ નો ફક્ત દશ ટકા છે તે યાદ રાખી સારું પસંદ કરેલું હોઈ તે અગત્ય નું છે ઘણા દેખાદેખી માં બીજ ની પસંદગી કરતા હોઈ છે , બીજ પસંદગી એ પાયા ની વસ્તુ છે પણ ઉત્પાદન લેવા સાચું અને સમયસર નું ખાતર આપવું પડશે વધુ વિગત માટે વોટ્સએપ કરો 9825229966
-
ઈયળ ના નિયંત્રણ માટે
એમામેકટીન 9 મિલી /પંપ અથવા
ફેમ (ફ્લુબેન્ડીયા માઈન) ૬ મીલી/પંપ અથવા
કોરાજન (ફ્લોરાન્ટૃાનીલીપ્રોલ) ૬ મીલી/પંપ અથવા
બેનીવીયા (સાયજીપાયર) ૨૫ મીલી/પંપ અથવા
અલાન્ટો (થાયોક્લોપ્રિડ) નો વારાફરતી પ્રયોગ કરવો.
વાંકાનેરના સિંધાવદર ના એક ખેડૂત નો પ્રશ્ન છે તેના મરચાની નીચેની ટીપ ઉપર એવો ડાઘ પડે છે
તેમનો જવાબ : જુઓ આપની વાત અને પ્રશ્ન પરથી લાગે છે તે પ્રમાણે જ્યાંથી મરચું લાગેલું છે એ ટોપી થોડી પીળી પડી હોય અને મરચીના નીચેના ભાગે થોડું મરચું પાણી પોચું થઈ સડો લાગેલો હોય તો (જુઓ ચિત્ર) આ બ્લોસમ રોટ કે જે કેલ્શિયમની ખામી ના લીધે થાય છે અને પછી તેમાં ફૂગ પણ લાગે છે કેલ્શિયમનો છંટકાવ કરવો
કેલ્શિયમ નો છંટકાવ કરવો
મરચીની ખેતીમાં આવતી વિવિધ જીવાતોને કાબૂમાં લેવા માટે આપણું સૂત્ર એ હોવું જોઇએ કે દુશ્મનને નબળી કડી શોધીને મારવો,
દા. ત. જીવાત કે ઈયળની કમજોર-નબળી કડી કઈ ?
નબળી કડી એટલે જીવાત-ઈયળનું ઈંડું.
ઈંડા જ મારી નાખો તો ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી.
ઈંડા જ મરી જાય કે નાશ પામે તો બચ્ચા જન્મે જ નહીં અને ઈંડા માંથી આવેલા બચ્ચાંથી મરચીને નુકસાન થાય નહીં,
પણ
કઈ જીવાત ક્યાં ક્યારે અને કેવી રીતે ઈંડા મૂકે તેનો અભ્યાસ કરવો પડે.
આ માટે રોજ ખેતર નું આવલોકન , આપણા બ્લોગ નું વાંચન , હવામાન ના બદલાવ માટે થર્મોમીટર જોતા શીખવું વગેરે કરવું પડે .
જો આટલું કરી ને ઈંડા જ મારી નાખો તો.......
તમારા પ્રશ્ન ના જવાબ માં જણાવવાનું કે એન્થ્રેકનોઝ નામના રોગ મરચીનો ખુબ જ નુકશાન કરતો રોગ છે.
આ રોગ જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે, ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે.
વરસાદ વધુ પડે તો પણ અને ઓછો પડે તો પણ વરસાદ ને યશ નથી મળતો કારણ કે આટલું મોટું નુકશાન આપડી મરચી ની ખેતી માં આવ્યું છે
આપને 3 વીઘા સારી મરચી માં એક વિઘાની મરચી ઉપાડી ને તમે જ્યાં ખાલા પડ્યા છે ત્યાં ફેર રોપણી કરવા માંગો છો તેવું આપના પ્રશ્ન થી સમજાય છે ,
જુવો , મરચી નો રોપ 25 થી 35 દિવસનો હોય ત્યારે ફેરરોપણી કરીયે તો તેને મૂળ સરસ રીતે ફેરરોપણી ની જગ્યાએ ચોટી જાય છે , હવે જયારે આપ મોટો છોડ થયો છે અને જયારે તેને ઉપાડો છો ત્યારે તેના મૂળ ને ઘણું નુકશાન થાય છે તમે ખાસ પ્રકાર ના પ્લાન્ટર થી ઉપાડતા નથી એટલે માટી નો પિંડો ત્યાં રહેવાનો નહિ એટલે જ્યાં ચોપો ત્યાં ઝડપથી તંતુમુલ ફૂટે એવું કરવું પડે
ફેરરોપણી નહિ રિસોઈંગ કરો ત્યારે રોપને ના ઝડપથી મૂળ ફૂટે અને એ પણ જથ્થામાં તે માટે રોપણી કરીને આ નવા ચીપેલાં છોડ ના થડે થડે ઝાયટોનિકસ બાયો ફેર્ટીલાઇઝર ( પંપે 500 ગ્રામ નાખી ને ) ડ્રેનચિંગ કરવું જોઈએ , એક વીક પછી મૂળ ને પોષણ મળી રહે તે માટે ફરી એપીસેલ નું ( પંપે 100 મિલી નાખી ને ) થડે થડે ડ્રેનચિંગ કરવું જોઈએ તો તમારો છોડ સારી રીતે ચોંટીને બીજા છોડ સાથે હરીફાઈ કરે તેવો થઇ જશે
વધુ વિગત માટે 9825229766 ફોન કરવા માટે નંબર ઉપર ક્લિક કરો.
આપણે ખેતર ની વાત ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત અને મારો બ્લોગ આજનીખેતી દ્વારા શું કરવા માંગીયે છીએ તે પ્રશ્ન ના જવાબ માં લખવાનું કે આ ચેનલ નો ઉદેશ બહુ સ્પષ્ટ છે ઇન્ફોર્મેશન ઇઝ પાવર
ખેડૂત મિત્ર ને સાચી માહિતી દ્વારા જાણકાર બનાવવો જેથી ખોટા ખર્ચ માંથી બચે
ખેડૂત મિત્ર ને આધુનિક ખેતીની માહિતી આપી તેને સફળ બનવા મદદ કરવી
ખેડૂત મિત્ર પોતે પોતાની ખેતીનો કૃષિ નિષ્ણાંત જાણકાર બનાવવા
ખેડૂત મિત્ર પોતે નિર્ણય લેતા થાય તેવું જ્ઞાન આપવું
ખેડૂત મિત્ર બીજાના નિર્ણયો કરતા પોતાનો નિર્ણય ને માને અને સાચી ખેતી કરે
ખેડૂત મિત્ર પોતે મરચી નું અથ તિ ઇતિ જાણે અને સાચો નિર્ણય કરે
હજુ મને જે પ્રતિભાવ મળવો જોઈએ તે મળતો નથી ,
સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે પણ પ્રતિભાવ ખૂટે છે
દા .ત . મેં તમારા ખેતર ના રોગ જીવાત અવલોકન સપ્ટેમ્બર સર્વે ફોર્મ મોકલ્યું તે 343 જણાએ જોયું પણ ખાલી 25 જણાએ ભર્યું , બોલો શું કરવું ?
એમાં શું માહિતી હતી ખબર છે ?
તમારી મરચી માં ક્યાં રોગ જીવાત ડ્રિપ વગેરે માહિતી ને આધારે આપણ ને આપણા વિસ્તાર નો સર્વે થાય તે માટે પૂછેલું તો મને ખબર પડે મારે હવે પછી ક્યાં રોગ જીવાત કે વાયરસની માહિતી મોકલવી,
મને કઈ સપનું ના આવે કે તમારા ખેતર માં થ્રિપ્સ છે કે કથીરી , સમજ્યા કે ?
પણ આપણે પ્રતિભાવ ન આપીયે શું સમજવાનું ?
કા તો તમે ખાલી ખોટા મારી સાથે એટલે કે ખેતર ની વાત સાથે આપનો સમય નો વ્યય કરો છો
અથવા
તમે ભૂલથી અહીં આવી ગયા છો , આવું હોઈ તો ડિલીટ બટન તમારી રાહ જુવે છે
અથવા
તમે એમ માનતા હો કે આતો પોતાના ધંધા માટે કરતા હોઈ આપણે કઈ થર્મોમીટર ના વસવાય , તો તમને ઠીક લાગે તે કરજો
અથવા
પ્રતિભાવ ની જરૂર એટલા માટે હોઈ છે કારણ કે આપણા ઉદેશ પ્રમાણે તમારે માહિતી કઈ જોઈએ છે? તે તો ગ્રુપ એડમીન ને ખબર હોવી જોઈએ આ કઈ ફોરવર્ડ ગ્રુપ નથી કે જે હોઈ તે ઉપર થી આવ્યું fwd મોકલી ને ઇનબૉક્સ ભરી દેવું
આશા છે કે હવે પછી ના બધા માસિક સર્વે માં આપ ભાગ લેશો તો આપણા માટે માહિતી આપવી અને તમને સમય પ્રમાણે ની સાચી માહિતી મળી રહેશે , મરજી તમારી ,
હું પ્રતિભાવ ના આપું તો ચાલશે એવું નહિ વિચારતા , તમારો અભિપ્રાય મારા માટે કિંમતી છે
આપણે સંખ્યા નથી વધારવી , આપણે સારું ઉત્પાદન લઇ ને જીતો ને જિતાડો કરવું છે
તમારા માટે આ ગ્રુપ ઉપયોગી ના હોઈ તો તમારી જગ્યા તમારા કોઈ મિત્રને આપી તેને મદદ કરજો , તમને આભાર મળશે એની ખાતરી રાખજો
નીચે આપેલું બટન તમારો પ્રસન પૂછવા અહીં ક્લિક કરો છે ત્યાં પ્રશ્ન પૂછી શકો છો
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.