મરચીના પાકમાં ફાલ ખરણ ક્યારે થાય? શું કોઇ કેમિકલ દ્વારા અટકી શકે ?





યાદ રાખો મરચીમા ફળનૂ બંધાવું વાતાવરણને તાપમાનને આધારિત છે

તમે થર્મોમીટર વસાવ્યું ? જોતા આવડી ગયું ? હા, તો મરચી ની ખેતી ના લાયક છો .

જો રાત્રિનું તાપમાન મિનિમમ ૨૮ થી ૩૦° સે થી ઉપર થયું તો મરચીના ફુલ માં રહેલી પરાગરજ સ્ટરાઇલ થઇ જશે.
તેથી ફાલ લાગતો નથી. તે ફૂલ ને ખરી જવાનું

( તમે દોડતાનહી દવા લેવા તમને એન એ એ આપશે પણ આવા તાપમાને તે કઈ તમારી મરચી માં ઉપયોગી નહિ થાય)

પરંતુ

જે દિવસથી રાત્રીનું (મિનિમમ તાપમાન) ૨૮ થી ૩૦° સે થી નીચું ગયું ફરી ફાલ લાગવાનું શરૂ થશે.

વેપારીના કહેવાથી કોઇ કેમિકલ છાંટી ખર્ચ વધારતા નહીં,

હા , પોષક તત્વોની ખામીના લીધે ફાલ ખરણ થતું હોઈ તો તેની પૂરતી કરો PSAP નો છંટકાવ શરુ રાખજો અને વજનદાર માલ પેદા કરજો


0 comments