મરચી લાંબા ગાળા નો પાક છે , મરચી ના જીવનકાળ દરમિયાન અલગ અલગ પાક પરિસ્થિતિ આવે છે , બીજ ઉગતા સમયે , પાક માં ફૂલ અને ફળ આવતા હોઈ ત્યારે કે મરચી ના ફળ ની પરિપક્વ અવસ્થા હોઈ આ બધા સમયે અલગ અલગ ખાતર ની કે પાણી ની જરુરીયાત હોઈ શકે , પાણી પિયત ને તો પાછું હવામાન સાથે પણ સમજવું પડે
મરચી ના બે પ્રકાર ના મૂળ હોય છે , એક પ્રાથમિક મૂળ અને બીજા દ્વિતીય એટલે કે તંતુમુલ , આ બને ને જરૂરિયાત પણ ભિન્ન ભિન્ન હોઈ છે , હવે નવી ટેક્નોલોજી આવી છે , બઝાર માં જમીન ના ભેજ માપક યંત્ર મૉઇસ્ચર મીટર એટલે કે બંને કેટેગરી ના મૂળ પાસે તે ખેતર માં એકાદ જગ્યાએ મૂકી દેવામાં આવે તો આપણ ને મોબાઈલ માં માહિતી મળે છે કે છોડ ને કેટલું પાણી જરૂર છે અથવા તો ખેંચ છે
દા ત મરચી ના પાક માં ફુલ ખુબ આવ્યા છે ગરમી પણ છે આવા સમયે પાણી ઓછું મળ્યું તો મરચી ના ફુલ નું ફલીનીકરણ નહિ થાય ને ફૂલ ખરી જશે કારણ ગરમી અને છોડ ના આવશ્યક ભેજ વગર ફુલ માં રહેલા પુંકેસર સ્ત્રીકેશર સુકાય જશે તમને થશે ફુલ ખરે છે તમે દવા લેવા દોડસો દવાવાળો તમને આલ્ફા નેપથેલિક એસિટિક એસિડ આપીને કહેશે આ છાંટો ફળ ખરતા અટકશે ? બોલો તમારું શું કહેવું છે
મરચી માં ફૂલ અને ફળ બહુ છે વધુ પાણી આપશો તો તમારી વાડીનું માઈક્રો ક્લાઈમેટ એટલે કે ખેતર માં તમે આંટો મારો તો આપણને ગરમી કે ઘામ થાય તેવું વધુ ભેજ વાળું વાતાવરણ મરચી માં રોગ લાવવા કારણભૂત બનશે , આવી પરિસ્થિતિ ને લીધે રોગ લાગશે પછી પંદર દિવસે પાંદડા માં રોગ દેખાશે ત્યારે તમે દવા લેવા દોડશો પણ કેટલા મોડા ગયા ? પંદર દિવસ મોડા ,
ટૂંક માં મરચી ની ખેતી કરવી હશે તો આંખ , કાન ખુલા રાખી ને પોતે જાતે વૈજ્ઞાનિક નિર્ણયો લેવા પડશે , ભાગિયાથી આવું નહિ થાય , મરચી ની ખેતી ભાગીયા ને ભરોસે નો થાય મારા ભાઈ , વાંચતા રહો , જીતો ને જીતાડો , બીજાને પણ સાચી સલાહ આપતા રહો , આ માહિતી ફક્ત તમારા પૂરતી સીમિત ના રાખતા તમારા વાડી વિસ્તાર ની દર શુક્રવાર ની મીટીંગ માં બોલી બતાવજો
હવામાન ઉપર નજર કેમ રાખવી ? બટુકભાઈ સાવ સહેલું છે
તમારો બધા ને ઉપયોગી પ્રશ્ન બદલ આભાર , આપડે રોજ આપણી ચેનલ માં રજુ થતી પોસ્ટ દ્વારા એ તો સમજીગયા કે વાતાવરણ ના બદલાવ આવે એટલે આપણા ખેતર , આપણા પાક કે આપડા પાક ના પાન , જમીન કે આખા છોડ માં ફેરફાર થાય છે
અત્યારે ભાદરવાની ગરમી છે તો બપોરે મરચીના છોડ કેવા લંઘાઈ જાય છે , આ વાતાવરણ ના બદલાવ ની અસર છે
શું થયું છોડ માં એવું તમે વિચાર્યું ?
છોડ માં જીવ રસમાં પાણી મહત્તમ છે તે પાંદડા દ્વારા તડકાને લીધે બાષ્પીભવન એટલે કે ઉડી જાય છે તે એટલું ઉડી ગયું કે નીચે જે ભેજ છે તે પૂરતો નથી અથવા તો મૂળ નું કાર્ય નબળું છે ....
એવીજ રીતે રોગ જીવાંત આવવા માટે અનુકૂળ અને વિપરીત વાતાવરણ કે હવામાન હોઈ તે તમે નોંધો
થ્રિપ્સ : ગઈ રાત્રી ના મિનિમમ તાપમાન કરતા આજની રાત્રિનું મિનિમમ તાપમાન 3 ડિગ્રી વધારે હોઈ તો રાતે ઉઠી ને જુવો તો આકાશ માં વાદળ હોવાના , તો આવી રાત્રે થ્રિપ્સ પાનમાં ખાંચો કરી ઈંડા મુકશે , સવારે ભૂલ્યા વગર ઈંડાં નાશક ( ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટો નહીંતર બીજે દિવસે ઈંડા ફૂટી જશે તો બચ્ચા બહાર આવી જશે પછી તમારે સિસ્ટમીક છાંટવી પડશે , બોલો હવામાન ની ખબર હોઈ તો કેટલા રૂપિયા બચે , સારું લાગે તો કરજો
ભુકીછારો : ગુગલ તમને રોજ ના મિનિમમ અને મહત્તમ તાપમાન ના આંકડા આપે છે , હું તમને વળી મહત્તમ અને મિનિમમ તાપમાન માપવા 250 રૂપિયાનું થરમોમીટર વસાવા કહું છું અને એનાથી કેટલા રૂપિયા તમારા બચશે ખબર છે? તમારી વાડી નું માઈક્રો કલાયમેટ માપશે અને મહત્તમ તાપમાન અને મિનિમમ તાપમાન વચ્ચે 15 ડિગ્રી થી વધારે તફાવત જેટલી વાર થાય તેટલીવાર તેના બીજા દિવસે સલ્ફર છાંટી દ્યો અને જુવો કે તમારે મોંઘી દવામાંથી થતો ખર્ચ કેમ બચ્યો ?
આવી તો અનેક વાતો છે વાંચતા રહો મારી ચેનલ અને બ્લોગ
--
--
મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો
મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે ,
તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર સહેલાઇ થી મળે છે પરંતુ વાડીયે વાડીયે માઈક્રો ક્લાયમેટમાં ફેરફાર હોય છે , બાર ગાવે બોલી બદલાય તેવી રીતે તાપમાનમાં બદલાવ હોય છે તેથી વાડીયે થર્મોમીટર વસાવવું જોઈએ તેવો મારો આગ્રહ ભલે તમને હસવા જેવો લાગતો હોય પણ એક દિવસ તમે જરૂર માનશો કે , મરચીની ખેતીમાં તાપમાનનું કેટલું મહત્વ છે ?
૧૫ સેન્ટિગ્રેડ થી થી ઓછુ તાપમાન હોઈ તો મરચીમાં ફાલ ઓછો લાગે છે
અને
૩૨ સેન્ટિગ્રેડથી વધુ તાપમાન હોય તો પણ મરચી માં ફાલ ઓછો લાગે
આ તાપમાન યાદ રાખી લો , નહીંતર શું થાય તેની વાર્તા વાંચો :
હવે રૂપિયા , સમય અને મજૂરી બચાવવાની કૃષિવિજ્ઞાનની ટિપ્સ નોંધી લ્યો તમારું 399/- રૂપિયાનું લવાજમ વસુલ કરી લો, આવીતો અનેક ટિપ્સ કૃષિ વિજ્ઞાન મેગેઝીન આપે છે
વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ માં જોડાઈ જાવ , આવું તો કેટલુંય મળશે ને તમારા રૂપિયા બચશે
દા . ત . તમને તમારા ખેતરના તાપમાનની ખબર નથી , તમારા ખેતરમાં મરચીના ફૂલ ખરે છે તમે દોડતા ડીલર પાસે જાવ છો અને તે તમને આલ્ફા નેફથેલિક એસિટિક એસિડ આપે છે અને તમે છાંટો છો પણ ફળ ખરતા અટકતા નથી એટલે તમે ચોથા દિવસે ફરી દોડતા જાવ કે વેપારી ભાઈ મારે હજી ફાલ ખરવાનું ચાલુ છે ! એટલે તે આ વખતે તે તમને માઈક્રોનુટ્રીયન્ટ આપે છે અને તો પણ ફૂલ ખરતા અટકતા નથી એટલે તમે બાજુવાળા પાડોશી ખેડૂત મિત્રને પણ પૂછ્યા વગર ફરી દોડોને જાવ છો , આ વખતે તમને તમારા વિશ્વાશું વેપારી તમને ઝીબ્રેલીક એસિડ આપે છે ને તમે ખુબ હોંશે હોંશે છાંટો છો અને ફૂલ ખરતા અટકી જાય છે . તમે ખુશ થાવ છો !
તો શું ? જીબ્રેલીક એસિડ કામ કરી ગયું ?
જી ના તાપમાન બદલાયું એટલે ફાલ ખરણ અટક્યું એમાં કેમિકલનો કોઈ રોલ નથી .આ ફાલ ખરણ તાપમાનના બદલાવને લીધે હતું.કારણકે ફાલ લાગવા માટે નીચેના કારણો જવાબદાર છે તે યાદ રાખી લો અને ખોટા ખર્ચમાંથી બચો
ફાલ લાગવાનું મુખ્ય કારણ તો તાપમાન છે,
પહેલું કારણ : રાત્રીનું મિનિમમ તાપમાન ૨૮ થી ૩૦° ગ્રે. થી ઊંચું હોય તો ફાલ લાગતો નથી. તાપમાન નીચો જતા આપો આપ ફાલ લાગવાનું ચાલુ થઈ શકે.
બીજું કારણ : ઈયળ હોય અને ફૂલને નુકસાન કરતી હોય.
ત્રીજુ કારણ : ફાલ લાગેલો છે. ફળો ઉતરતા નથી. નવા ફૂલ ખરી જાય છે. પોષણ ઓછું હોય તો પહેલા જુના ફળોને મળે છે.
ચોથું કારણ : સતત વરસાદ છે બેક્ટેરિયાનો રોગ લાગ્યો છે તો પણ ફાલ ખરણ થઈ શકે.
પાંચમું કારણ :પાણીની ખેંચ અથવા વધુ પડતું પાણીનો સ્ટ્રેસ.
છઠ્ઠું કારણ : વાઇરસ હોય .
સાતમુ કારણ : સતત વાદળછાયું વાતાવરણ સૂર્ય પ્રકાશની ગેરહાજરી નવા ફૂલ ખરી પડશે
આમ વિવિધ કારણો છે પરંતુ મહત્વનું કારણ તાપમાન છે
પણ જો તમે 250 રૂપિયાનું થર્મોમીટર વસાવ્યું હોત અથવા ગુગલ હવામાનને જોયું હોત તો 1200 નો ખર્ચ બચી જાત , ખેતી કરો તો કૃષિ નું વિજ્ઞાન સમજીને કરો , નિયમ આધારિત ખેતી કરશો તો ફાવશો . આવા અનેક કૃષિના વિજ્ઞાન ને જાણવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ અથવા ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અથવા રૂપિયા 399 /- ભરી તમારી કૃષિ વિજ્ઞાન ની કોપી ટપાલમાં ઘેર બેઠા મંગાવો 9825229966
--
--
પ્રશ્ન શું છે ?
કારણ શું છે ?
ઉપાય શું છે ? અને
હું શું કરી શકું ?
આ ચાર સવાલના જવાબ જે ખેડૂત ને મળી ગયા તે મરચીની ખેતીમાં સફળ
આવા ખેડૂત રૂપિયા કમાય બાકીના જોઈ રહે
આજનો પ્રશ્ન
મરચીની ખેતીમાં રોગ આવવાના કારણો અને પરિબળો ક્યાં છે ?
રોગ આવવામાં મદદ કરતા પરિબળો
જેવા કે
ગરમી
દુષ્કાળ -સુકો
પોષણ ની ખામી કે ખાતરની વિપરીત અસરો -દાહક અસરો
કેમિકલ INJURY, ખોટી દવાનો છંટકાવ
મીકેનીકલ INJURY, ખેત ઓજાર કે મજૂરો દ્વારા કે પશુ દ્વારા છોડને નુકશાન
POOR DRAINAGE- પાણી નો ભરાવો-વધુ પડતો સતત ભેજ
જમીનનો અને પાણીનો પી.એચ વધારે કે ઓછો
આસપાસના વાતાવરણ નું પ્રદુષણ
હિમ પડવો-લીવીંગ BIOTIC
પરજીવી નિંદામણ કે છોડ ઉગી નીકળવા વગેરે
આટલું ધ્યાન રાખો તો મણિકા થાય
--
--