મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે ...
જાગી જજો
દા ત દિવસનું તાપમાન ૩૫ છે અને રાત્રિનું મીનીમમ ૨૫ છે
તફાવત કેટલો થયો ? ૧૦ સેન્ટિગ્રેડ દવા છાંટવાની જરૂર નથી.
પણ આજે દિવસનું તાપમાન ૩૭ છે અને રાત્રિનું ૨૨ થઈ ગયું તો તફાવત કેટલો થયો ? ૧૫ તો દવા છાંટી દયો.
ચોથા દિવસે દિવસનું તાપમાન ૩૮ અને રાત્રિનું ૨૦ થઈ ગયું તો ફરી દવા છાંટવાનું શરૂ કરો
અથવા
સહેલો ઉપાય તમારી પત્નીના હોઠ અને ચામડી સૂકા હવામાનને લીધે તરડાઈ કે તે પોતાની ચામડી ઉપર નખથી તમારું નામ લખી શકે ત્યારથી ભૂકીછારા માટેની દવા છંટકાવ કરવો
અથવા 15 સેન્ટીગ્રેટ તફાવત વાળું વાતાવરણ જેટલી વાર થાય એટલી વાર ભુકીછારા ની દવા 80 ટકા સલ્ફર છાંટો ,તો તમે ભૂકીછારાના નુક્શાનમાંથી બચી જશો
સારું તે તમારું
પણ મરચી હજુ ઉગે ત્યારથી ભૂકીછારાની દવા છાંટવાની જરૂર નથી એમ મારુ તમને કહેવાનું છે,
|
|
|





Photo courtesy : google Image
0 comments