શિયાળા માં યુરિયા ને બદલે નાઇટ્રેટ કેમ વાપરવાનું સમજાવજો ?


મરચી હોય કે ટામેટી વાનસ્પતિક વિકાસ માટે કોઈ પણ પાક ને નાઇટ્રોજન ની આવશ્યકતા હોય છે , નાઇટ્રોજન ની પૂરતી
માટે સારું અને સસ્તું ખાતર યુરિયા છે તે આપણે બધા જાણીયે છીએ એટલે આપણે તેને સમજી ને વાપરવા ને બદલે વધુ
વાપરીને પાક ને નુકશાન કરીયે છીએ

ઘણા ખાતરો મોંઘા હોય છે પરંતુ જરૂરિયાત હોય તો મોંઘા ખાતરો પણ વાપરવા પડે.

દા.ત નાઇટ્રોજન માટે યુરિયા સસ્તુ ખાતર છે અને તે જ વાપરવું જોઈએ પણ
છોડ કંઈ યુરિયા ખાતો નથી તે તો જમીનમાં રહેલા બેક્ટેરિયા ની હાજરીમાંજ એમોનિકલ ફોર્મ અથવા
નાઈટ્રેટ માં રૂપાંતરિત બને છે. પણ જો ૧૨ સે.ગ્રે થી વધુ ઠંડી હોય તો બેક્ટેરીયા ઓછા પ્રવૃત્ત હોય ત્યારે યુરિયાનો લાભ જલ્દી મળતો નથી તેથી આવા વખતે ન છૂટકે એમોનિયમ સલ્ફેટ કે પોટેશિયમ નાઇટ્રેટ વાપરીને લાભ લઈ લેવાય.

વિજ્ઞાન સમજાય તેને ખેતી માં ફાયદો ઘણો થઈ શકે કારણ કે બચત ઘણી થાય છે



0 comments