ડ્રીપમાં ખાતર આપતા પહેલા ખાતર ઓગાળવાની વિધિ શું છે ? ફર્ટીગેશન -૧




ફર્ટીગેશન એટલે ડ્રીપમાં ખાતર આપવું, ડ્રીપ દ્વારા ફર્ટીગેશન અથવા ન્યુટ્રીગેશન આપી મબલક ઉપજ મળી શકે છે. પરંતુ જે ખાતરો આપવાના છે અલગ માત્રાના તે ખાતરો વેન્ચુરી અથવા ટેંકમાં ભેળવવા પહેલા ઓગળવાના હોય છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે કારણકે તેવું ન કરવામાં આવે તો ડ્રીપર ચોકઅપ- બંધ થવાના પ્રશ્નો આવી શકે.,

કોઇપણ ખાતર હોય તેને એકસરખા પાણીમાં ઓગળવાને બદલે ખાતરના પ્રકાર પ્રમાણે જુદા જુદા જથ્થામાં પાણી લેવું પડે છે. કારણ કે બધાજ ૧ કિલો ખાતરને તમે એક લીટરમાં ઓગાળી ન શકો હા કેલ્શિયમ નાઈટ્રેટ હોય તો શક્ય બને પરંતુ પોટેશિયમ નાઈટ્રેટ (૧૩-૦-૪૫) હોય તો ૮ ગણું પાણી લેવું પડે પોટેશિયમ ક્લોરાઈડ (૦-૦-૫૦) હોય તો ૩ ગણું પાણી જોઈએ, આપણને ખબર છે કે ફોસ્ફરસ ખાતરો પાણીમાં ઓગળતી વખતે અઢીગણું પાણી લઇને સોલ્યુશન બની શકે છે આવા સોલ્યુશન અલગ અલગ વાસણ કે ડોલ કે ડ્રમ માં બનાવીને વેન્ચ્યુરી દ્વારા ચડાવવા જોઈએ. વધુ ફર્ટીગેશન ની વાતો માટે વાચતા રહો મારો બ્લોગ આજ ની ખેતી

1 comments

  1. ખુબજ ઉપયોગી માહિતી....

    ReplyDelete