આ એક ફૂગથી થતો સીનોફોરા બ્લાઈટ નામનો રોગ છે. આ ફૂગ એમનામ કોઈ લીલા છોડને લાગતો નથી. પરુંતુ તમારા છોડમાં જો ઘાવ પડ્યો હોય, કોઈ ડાળી હાલતા ચાલતા કે મજુરોના પગથી ભાંગી ગઈ હોય અથવા એક બે દિવસમાં તમે મરચા ઉતાર્યા હોય અને છોડમાં તોડાઈ ને લીધે ડીટીયું તોડ્યું ત્યાં ઘાવ થયો હોય , અથવા તો ખેત ઓજાર ચલાવતી વખતે ડાલી તૂટી હોઈ તો ત્યાંથી આ ફૂગ ખાસ કરીને ચોમાસામાં પ્રવેશ કરે છે.
એટલે એમ નથી કે મરચા ઉતારવા નહિ, પરંતુ ક્યારે ના ઉતારવા તે સમજી લ્યો જો તેવા સમયે રાત ઠંડી હોય દિવસ ગરમ હોય રાત્રે ઝાકળ આવી હોય અને બીજા દિવસે સખ્ત તાપ પડે તો આ ફૂગ મરચીના છોડના ઘાવ કે ઇઝા થઇ છે ત્યાંથી પ્રવેશ કરી આ રોગ લાવે છે. ટૂંકમાં આ રોગ માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું વાતાવરણ જવાબદાર છે.
મરચી ની ખેતી માં હવામાન ની અસરો વિષે આપણે વારંવાર વાતો કરીયે છીએ , તમારો પ્રશ્ન પુરે પૂરો સાચો નથી કારણ કે રાતે વાદળ આવે તો દર વખતે મરચી ને નુકશાન થાય એવું નથી
વરસાદના મહિનામાં ઘણી વખત રાત્રે વાદળ વધુ આવે ને વરસાદ પડે તે શક્ય છે એટલે રાત્રે વાદળ આવે તો ભલેને આવે એનાથી મરચીના પાકને નુકશાન થાય જ તેવું નથી , સતત વરસાદ આવે 14 કલાક પાન ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનો એટેક મરચીઉપર લાગી શકે તે , ભેજ થી ફૂગ આવી શકે તેની આપણે અગાઉ વાત કરી હતી
તમારો પ્રશ્ન બીજી રીતે સાવ સાચો છે
એક દાખલા સાથે તમારો પ્રશ્ન સમજીયે
દા .ત . આજના ગુગલ ડેટા પ્રમાણે રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ છે , કાલે રાત્રે વાદળાં આવી જાય વરસાદ નથી અને કાલ નું મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે રાત ઠંડી હશે કે ગરમ ?
રાતે વાદળ હોઈ એટલે આખા દિવસની ની જમીન ની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે થશે નહિ ને ગરમી વધશે , એટલે કે રાતનું મિનિમમ તાપમાન ગઈ કાલ કરતા જો 3 ડિગ્રી થી વધુ વધ્યું તો , થ્રિપ્સની માદા પાન ની અંદર ખાંચો કરી ને ઈંડા મુકશે તે ઈંડા બીજા દિવસે ફૂટશે ને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રી ના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આવા વખતે આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો
આટલા જાગૃત રહી શકો તો મરચી સારી થાય , બાકી મારા પાન કુક્ડાય ગયા છે તેવું કહી મોંઘી દવાના ખર્ચ કરવાના બીજું શું ? તોય કાબુ માં આવે તો આવે ,
આવી માહિતી તમને અને તમારા મિત્ર ને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ જોડો
વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના
હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે ,
જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ
રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો
નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
તમારા પ્રશ્ન માટે તમને અભિનંદન,
પાણી વધુ પાવાથી,
પા્ળા ઉપર મરચી ન કરવાથી,
વિવિધ રોગ જીવાત આવે તે આપણને ખબર છે,
તે જ રીતે હિમ પડવું,
વધુ પડતું હવાનું પ્રદૂષણ.,
જમીનને પાણીના પી એચ માં અસંતુલન ,
વધુ પડતી ગરમી એટલે સૂર્યપ્રકાશથી પણ દાઝ લાગવાથી મરચામાં ડાઘ પડે છે. તેને સન સ્કેલ્ડ કહે છે.
સૂક્ષ્મ તત્વની ખામીના લીધે ફળનું ફાટી જવું,
કરા પડે તેનું નુકસાન વળી અલગ હોય છે,
કેલ્શિયમની ખામીથી બ્લોસમ રોટ આવી શકે છે ,
ઘણી વખત ચીલાચાલુ સસ્તાના લોભે ક્લોરિન યુક્ત ઉપરથી છાંટવાના ખાતરોથી પાન પર ઘસરકા થાય છે તે નુકસાન દેખાતું નથી પણ ઉત્પાદન વધારવાને બદલે ઘટાડે છે.
વેપારી પાસેથી ક્વોલિટી ઇનપુટસ જંતુનાશક ખરીદતી વખતે માંગતા આવડવું જોઈએ
નહીં કે જે આપે તે છાંટવું.