રોગકારક :
આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે.
જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય,
સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય,
પાન ખરી જાય .જુવો ચિત્ર પાન ઉપર સફેદ છારી તો ભૂકી છારો , પાનમાં પીળા ધાબા તો તળછારો .
ભૂકીછારો થવાનું કારણ :
ભૂકીછારો 15 થી 27 સેં .સુકું અને ભેજવાળા એમ બંને તાપમાનમાં થાય, ભેજવાળામાં વધુ ફેલાય , 32 થી ઊંચું તાપમાન ભૂકીછારા ને અનુકૂળ આવતું નથી , સૌ પ્રથમ ભૂકી છારો જુના પાનમાં દેખાય છે પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.રોગ લાગ્યા પછી કાળજી લેવામાંના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.ભૂકીછારાથી પાન ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોવી જોઈએ , એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? સમજાય તેવી વાત છે
ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , સમય ચુકી ગયા તો પાન ખરશે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.
ભૂકીછારો ક્યારે આવે ?
શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે તો આપણે શું કરીયે ? વેસેલીન લગાડીયે .
મરચીમાં આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો . જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભૂકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , ટૂંકમાં ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અને ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
હવામાન ઉપર નજર કેમ રાખવી ? બટુકભાઈ સાવ સહેલું છે
તમારો બધા ને ઉપયોગી પ્રશ્ન બદલ આભાર , આપડે રોજ આપણી ચેનલ માં રજુ થતી પોસ્ટ દ્વારા એ તો સમજીગયા કે વાતાવરણ ના બદલાવ આવે એટલે આપણા ખેતર , આપણા પાક કે આપડા પાક ના પાન , જમીન કે આખા છોડ માં ફેરફાર થાય છે
અત્યારે ભાદરવાની ગરમી છે તો બપોરે મરચીના છોડ કેવા લંઘાઈ જાય છે , આ વાતાવરણ ના બદલાવ ની અસર છે
શું થયું છોડ માં એવું તમે વિચાર્યું ?
છોડ માં જીવ રસમાં પાણી મહત્તમ છે તે પાંદડા દ્વારા તડકાને લીધે બાષ્પીભવન એટલે કે ઉડી જાય છે તે એટલું ઉડી ગયું કે નીચે જે ભેજ છે તે પૂરતો નથી અથવા તો મૂળ નું કાર્ય નબળું છે ....
એવીજ રીતે રોગ જીવાંત આવવા માટે અનુકૂળ અને વિપરીત વાતાવરણ કે હવામાન હોઈ તે તમે નોંધો
થ્રિપ્સ : ગઈ રાત્રી ના મિનિમમ તાપમાન કરતા આજની રાત્રિનું મિનિમમ તાપમાન 3 ડિગ્રી વધારે હોઈ તો રાતે ઉઠી ને જુવો તો આકાશ માં વાદળ હોવાના , તો આવી રાત્રે થ્રિપ્સ પાનમાં ખાંચો કરી ઈંડા મુકશે , સવારે ભૂલ્યા વગર ઈંડાં નાશક ( ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટો નહીંતર બીજે દિવસે ઈંડા ફૂટી જશે તો બચ્ચા બહાર આવી જશે પછી તમારે સિસ્ટમીક છાંટવી પડશે , બોલો હવામાન ની ખબર હોઈ તો કેટલા રૂપિયા બચે , સારું લાગે તો કરજો
ભુકીછારો : ગુગલ તમને રોજ ના મિનિમમ અને મહત્તમ તાપમાન ના આંકડા આપે છે , હું તમને વળી મહત્તમ અને મિનિમમ તાપમાન માપવા 250 રૂપિયાનું થરમોમીટર વસાવા કહું છું અને એનાથી કેટલા રૂપિયા તમારા બચશે ખબર છે? તમારી વાડી નું માઈક્રો કલાયમેટ માપશે અને મહત્તમ તાપમાન અને મિનિમમ તાપમાન વચ્ચે 15 ડિગ્રી થી વધારે તફાવત જેટલી વાર થાય તેટલીવાર તેના બીજા દિવસે સલ્ફર છાંટી દ્યો અને જુવો કે તમારે મોંઘી દવામાંથી થતો ખર્ચ કેમ બચ્યો ?
આવી તો અનેક વાતો છે વાંચતા રહો મારી ચેનલ અને બ્લોગ
--
--
આપણે આ અગાઉ સમજ્યું છે કે એન્થ્રેકનોસ એટલે કે ડાઈબેક કે લાલ ફળોનો ડાઘીનો રોગ ક્યારે આવે ?
હવામાનના બદલાવના લીધે બે પરિસ્થિતિ સાથે થાય તો આવે
તમારી મરચીમાં એન્થ્રેકનોસનો મોટો એટેક આવી શકે છે કારણ કે આવતા 4 દિવસમાં વધુ વાદળ થવાની સંભાવના છે
જો આવું થાય અને
તાપમાન 28 સેન્ટિગ્રેડ ( ગુગલ જુવો ) અને
રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ 95 % થાય તો એન્થ્રેકનોસ નો ચેપ મરચીને લાગી શકે છે
આપણી ચેનલ માં એન્થ્રેકનોસની દવા જણાવી છે તે તમારે તાત્કાલિક ઘાટો સ્પ્રે કરવો પડશે ક્યારે ?
જો આ બે વાતો એક સાથે બને તો જ
તાપમાન 28 ડિગ્રી સેન્ટિગ્રેડ
ભેજ ની ટકાવારી 95 %
આપણી ચેનલના ખેડૂત મિત્રોએ ગુગલ વેધર જોતા રહો
થર્મોમીટર વાંચતા રહો
પ્રવીણ પટેલ
આ પોસ્ટ આજેજ વોટ્સએપથી તમારા સગા -સંબંધી -મિત્રને મોકલવા માટે અહીં નીચે સોસીઅલ મીડિયા લોગો છે તેમાં વોટ્સએપ લોગો પર ક્લિક કરી મોકલો
દવાના નામ નોંધો ,
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ
ડાયફેનકાઝોલ + અઝોસ્ટરૉબિન 20 પ્રતિ પમ્પ
--
--