દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય
મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો
ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ?
ભૂકીછારો ક્યારે આવે ?
નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી.
જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે ,
હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો
અથવા
મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે યાદ રાખજો,
મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,
આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.