થ્રિપ્સ - ચુસીયા જીવાત














નુકશાન :

થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે, પાન કુકડાઈ જાય છે, વધુ ઉપદ્રવ થાય તો છોડ નુકશાની માંથી બહાર આવી શકતો નથી તેથી ઉત્પાદન ઘટે છે , ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે ઈંડા મૂકે છે જીવાત મરચીમાં સપ્ટેમ્બરથી માર્ચ સુધી વધારે નુકસાન કરે છે. થ્રીપ્સના વધુ ઉપદ્રવ માટે સૂકા, ગરમ તેમજ ઓછું ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે.
વ્યવસ્થાપન :
ખેતરમાં રોજ બિલોરી કાચ લઈને આંટોમારીને સ્કાઉટીંગ કરો કારણકે દુશ્મનને તેની નબળી કડી માં મારવો જોઈએ એટલે કે થ્રીપ્સના ઈંડા ક્યારે મુકાય અને ક્યા મુકાય તે ખબર હોય તો થાય ! શું તમને ખબર છે ? થ્રિપ્સ કઈ કાગળનો લખે કે હું તમારી મરચીમાં એટેક કરવાની છું

દાખલા સાથે સમજીયે દા .ત . તમારા વાડીના થર્મોમીટર પ્રમાણે અથવા ગુગલ ડેટા પ્રમાણે ગઈ રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ હતું અને આજે રાત્રે વાદળાં આવી જાય , વરસાદ નથી અને મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે ?

રાત ઠંડી હશે કે ગરમ ? રાતે વાદળ હોય એટલે આખા દિવસની જમીનની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે ઓછી નહિ થાય અને રાત્રે ગરમી વધશે , હવે અહીં સમજવાનું છે .....જો રાતનું મિનિમમ તાપમાન ગઈ રાત કરતા 3 ડિગ્રી થી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે, થ્રિપ્સની માદા પાનની અંદર સ્લીટ -ખાંચો કરીને ઈંડા મૂકે છે ઈંડા એક બે દિવસે ફૂટશેને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....

આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રીના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો , જો આટલા જાગરૂક રહેશો તો તમારી મરચી થ્રિપ્સમાં મોટા નુક્શાન માંથી બચી જશે .

જીવન ચક્ર :
હવે થ્રિપ્સ નું જીવન ચક્ર સમજીયે તો જીવાતને ક્યાં સ્ટેજ માં મારવી તેનું આયોજન કરી શકીયે , જીવાંતના મોટા મોટા 4 સ્ટેજ હોય છે, ઈંડા -બચ્ચું -કોશેટો -પુખ્ત . આપણે વાત કરી ગયા તેવું વાતાવરણ થયું એટલે નર માદા નું સંવનન થાય ને માદા રાતે ઈંડા મૂકે આ ઈંડા ફૂટે( 2-4 દિવસ ) એટલે એમાંથી લાર્વા નાનું બચ્ચું ( 1-2 દિવસ ) લાર્વા મોટુ થાય મોટું બચ્ચું (2-4 દિવસ) આ 6 દિવસ આપણ ને જોરદાર નુકસાન કરી જાય પછી લાર્વા પ્યુંપા તરીકે જમીન પડી જાય ને ( 1-5 દિવસ ) અને તેમાંથી ફરી વાતાવરણ થાય એટલે પુખ્ત બહાર આવે ને પાછા નર માદા મળે ને આ ચક્ર ચાલ્યા કરે .

ઈંડા મારવા ટ્રાન્સલેમીનીયર ઈંડાનાશક દવા છાંટો તો ઈંડાનો નાશ કરી સફળતા મેળવી શકાય પણ ઈંડા મુકાય ક્યારે તે જ કામ આવે બીજા દિવસે બચ્ચા બહાર આવી જાય તો પછી તેને મારવા માટે ટ્રાન્સ્લેમીનિયર નહિ ચાલે તેના માટે હવે કોન્ટેક્ટ ઇન્સેક્ટીસાઈડ એટલે કે સ્પર્શ કરેને મારે તેવી દવા છાંટવી પડે

નિયંત્રણ :

ડેનીટોલ મિયોથ્રિન ( ફેનપ્રોપેથ્રીન ) અથવા
રીઝન્ટ - જંપ (ફીપ્રોનીલ) અથવા
ડેલિગેટ (સ્પીન્ટોરમ ) અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) અથવા
સ્પીન્ટોર -ટ્રેસર (સ્પીનોસાડ) અથવા
મોવેન્ટો (સ્પાયરોટેત્રામેટ ) વારાફરતી પ્રયોગ કરવો.








0 comments