જો મરચીની ક્વોલિટી કરવી હોય તો રોજ મરચીની ખેતી વિષે સાચું અને સમયસરની માહિતી જાણો અને બીજાને પણ સાચી માહિતી પહોંચાડો, પટેલ એગ્રોની ટેલીગ્રામ ચેનલ આજની ખેતી તમને ઉપયોગી થઇ શકે, પણ જો તમે રોજ વાંચવાના હો તો.
પ્રવીણ પટેલ દ્વારા મરચીનો બ્લોગ આજ ની ખેતીમાં તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે, આ બધું તમારા ઘેર બેઠા તમારા મોબાઈલમાં વિના મુલ્યે મળવાનું છે પણ જો તમે માહિતીના મૂલ્ય ને સમજતા હો તો !
જો તમારે મરચીની રોગ-જીવાત અને પોષણની ઉપયોગી માહિતી જોઈતી હોઈ તો તમે વોટ્સએપ જેવું ટેલિગ્રામ તમારા મોબાઈલમાં ડોઉનલોડ કરો તેથી તમને પ્રવીણભાઈના આજનીખેતી બ્લોગમાં મુકાયેલ પોસ્ટની માહિતી રોજ રોજ મળશે.
મરચીની માહિતી માંગતા ખેડૂતો ની સંખ્યામાં રોજ વધારો થાય છે
વોટ્સઅપ કરતા ટેલીગ્રામમાં માહિતી અનેકને મોકલી શકાય એટલે અમે આવું કર્યું છે અત્યારે હજારથી વધારે મિત્રોને સીધી માહિતી જાય છે
જો તમને મરચીનું ઉત્પાદન કેમ વધુ લેવું તેની માહિતી રોજ રોજ જરૂર હોય તો તમારા મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરો, ટેલીગ્રામ ડાઉનલોડ થઇ ગયા પછી અમારી ચેનલ ખેતરની વાત ચેનલમાં જોડાવ. આ પોસ્ટ માં નીચે આપેલા શેર બટન થી તમારા મિત્રોને પણ આ સંદેશ આપી રાખોતમારા મરચી ઉગાડતા ખેડૂત મિત્ર ને ફોરવર્ડ કરી દેજો ,
ચાલો મરચીની ખેતી સારી બનાવીએ અને આ વર્ષની મરચીની ખેતીને બદલી નાખીએ.
વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,
મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી
પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,
રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે
જયારે બેક્ટેરિયલ વિલ્ટમાં મરચીનો છોડના પીળા પાંદડા થયા વગર છોડ લીલે લીલો સુકાય.
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
400 x 90
--
મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,
આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.
થ્રીપ્સ એક નાનકડી અને મરચીને નુકશાન કરતી ટચુકડી જીવાત છે જે પાનની નીચે રહી ઘસરકા કરીને પાનનો રસ ચૂસે છે થ્રીપ્સનું લાર્વા એક્ટીવ હોતું નથી. પરંતુ પુખ્ત થ્રીપ્સ અડધા મીમીનું હોય છે. તે પાંદડાને નુકશાન કરે છે. આ પુખ્ત અંદાજે ૨૦ દિવસ જીવે છે. રોજના ૨ થી ૧૦ ઈંડા ઉપરના નવા પાંદડા ની અંદર સ્લીટ મારી ને મુકે છે. આ ઈંડા ૨ થી ૭ દિવસમાં બચ્ચા બહાર આવે છે.
થ્રીપ્સના લીધે મરચીનું ૩૦ થી ૫૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે.
લીફ કર્લ ફેલાવવામાં પણ થ્રીપ્સ ઘણો ભાગ ભજવે છે. ખેતરમાં આંટો મારતા તમને એક પાન દીઠ ૩ બચ્ચા અથવા ૧ પુખ્ત દેખાય તો તરત જ દવા છાંટવી જોઈએ. થ્રીપ્સનું પુખ્ત પછી પ્યુપા (કોશેટા)માં જઈને જમીન ઉપર પડીને ૨૫ મીમી ઊંડું જતું રહે છે. ત્યાં ૩ થી ૬ દિવસમાં બહાર આવી ફરી એકડે એકથી નવું જીવન ચક્ર શરુ કરી પાકને નુકશાન કરતુ રહે છે.
થ્રીપ્સ ઘણા પ્રકારના વાયરસને ફેલાવવામાં મદદ કરે છે. જેવા કે CLCV, TSV, WsMoV, MYSV અને CaCV જેવા વાયરસ.
વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના
હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે ,
જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ
રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો
નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
તમારા પ્રશ્ન માટે તમને અભિનંદન,
પાણી વધુ પાવાથી,
પા્ળા ઉપર મરચી ન કરવાથી,
વિવિધ રોગ જીવાત આવે તે આપણને ખબર છે,
તે જ રીતે હિમ પડવું,
વધુ પડતું હવાનું પ્રદૂષણ.,
જમીનને પાણીના પી એચ માં અસંતુલન ,
વધુ પડતી ગરમી એટલે સૂર્યપ્રકાશથી પણ દાઝ લાગવાથી મરચામાં ડાઘ પડે છે. તેને સન સ્કેલ્ડ કહે છે.
સૂક્ષ્મ તત્વની ખામીના લીધે ફળનું ફાટી જવું,
કરા પડે તેનું નુકસાન વળી અલગ હોય છે,
કેલ્શિયમની ખામીથી બ્લોસમ રોટ આવી શકે છે ,
ઘણી વખત ચીલાચાલુ સસ્તાના લોભે ક્લોરિન યુક્ત ઉપરથી છાંટવાના ખાતરોથી પાન પર ઘસરકા થાય છે તે નુકસાન દેખાતું નથી પણ ઉત્પાદન વધારવાને બદલે ઘટાડે છે.
વેપારી પાસેથી ક્વોલિટી ઇનપુટસ જંતુનાશક ખરીદતી વખતે માંગતા આવડવું જોઈએ
નહીં કે જે આપે તે છાંટવું.