વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે , જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,
મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી
પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,
રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે
જયારે બેક્ટેરિયલ વિલ્ટમાં મરચીનો છોડના પીળા પાંદડા થયા વગર છોડ લીલે લીલો સુકાય.
400 x 90
--
ઘણીવાર બે ખોટી દવાઓ ભેગી કરવાથી પાન પીળા પડે છે, ખાખરી જાય છે, વાંકા વળી જાય છે, તેને કેમિકલ ઇન્જરી એટલે રસાયણનું નુકસાન કહે છે.
ખોટી દવા છાંટીએ અથવા વધુ પ્રમાણ છાંટીને મરચીના છોડવાઓને રાડ બોલાવી દઈએ છીએ , આપણી પાસે નથી એવા કાન કે નથી એવી નજર કે આપણે છોડ જે પોકારી પોકારીને કહે છે તે સાંભળી શકીયે ,
આપણે તો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને નઠારી દવાના રગડા સાચા નિદાન વગર છાંટે રાખીયે છીએ અને પાછા નો - ભેળવવાના રસાયણો ભેળવીએ
મરચીના છોડના પાન રૂપી રસોડામાં સ્કોરચિંગ ( પાંદડા ઉપર ઘસરકા કે દવાની દાહક અસરના લીટા પડવા ) કે પાન પર આવા કેમિકલના લીટા પડવા થી છોડ તણાવ માં આવી જાય છે , પાછો પડી જાય છે .
બહુ બધા રસાયણો ભેગાના કરો , ક્લોરીનવાળા ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નહિ વાપરો , હક્ક થી જોઈએ તે ટેકિનકલ માંગતા શીખશો તો ફાવશો ,
ખેતીની અવનવી સાચી પદ્ધતિ વિષે વાંચવું હોય તો કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ રોજ એકવાર ખોલજો અને બીજા મિત્રોને પણ કહેજો કે આ કૈક સારું છે ....
મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોઈ , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો
જો મરચીની ક્વોલિટી કરવી હોય તો રોજ મરચીની ખેતી વિષે સાચું અને સમયસરની માહિતી જાણો અને બીજાને પણ સાચી માહિતી પહોંચાડો, પટેલ એગ્રોની ટેલીગ્રામ ચેનલ ખેતરની વાત તમને ઉપયોગી થઇ શકે, પણ જો તમે રોજ વાંચવાના હો તો.
પ્રવીણ પટેલ દ્વારા મરચીનો બ્લોગ આજ ની ખેતીમાં તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે, આ બધું તમારા ઘેર બેઠા તમારા મોબાઈલમાં વિના મુલ્યે મળવાનું છે પણ જો તમે માહિતીના મૂલ્ય ને સમજતા હો તો !
જો તમારે મરચીની રોગ-જીવાત અને પોષણની ઉપયોગી માહિતી જોઈતી હોઈ તો તમે વોટ્સએપ જેવું ટેલિગ્રામ તમારા મોબાઈલમાં ડોઉનલોડ કરો તેથી તમને પ્રવીણભાઈના આજનીખેતી બ્લોગમાં મુકાયેલ પોસ્ટની માહિતી રોજ રોજ મળશે.
મરચીની માહિતી માંગતા ખેડૂતો ની સંખ્યામાં રોજ વધારો થાય છે
વોટ્સઅપ કરતા ટેલીગ્રામમાં માહિતી અનેકને મોકલી શકાય એટલે અમે આવું કર્યું છે અત્યારે હજારથી વધારે મિત્રોને સીધી માહિતી જાય છે
જો તમને મરચીનું ઉત્પાદન કેમ વધુ લેવું તેની માહિતી રોજ રોજ જરૂર હોય તો તમારા મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરો, ટેલીગ્રામ ડાઉનલોડ થઇ ગયા પછી અમારી ચેનલ ખેતરની વાત ચેનલમાં જોડાવ. આ પોસ્ટ માં નીચે આપેલા શેર બટન થી તમારા મિત્રોને પણ આ સંદેશ આપી રાખોતમારા મરચી ઉગાડતા ખેડૂત મિત્ર ને ફોરવર્ડ કરી દેજો ,
ચાલો મરચીની ખેતી સારી બનાવીએ અને આ વર્ષની મરચીની ખેતીને બદલી નાખીએ.
મરચી ની ખેતી કરતા ખેડૂતે પોતે હવામાન ના બદલાવનો અભ્યાસ કરવો પડશે ,
મરચી માં આવતી ફૂગ હોઈ કે બેક્ટેરિયા , ચુસીયા જીવાત હોઈ કે કથીરી, નિમેટોડ હોઈ કે વાઇરસ બધા માં હવામાનની કઈ કઈ અસરના લીધે થાય છે તેનો અભ્યાસ કરવો પડશે ,
મિત્રો અભ્યાસ કરો, રોગનો ફેલાવો કેવા હવામાન માં વધે છે ?
જીવાત સંવનન કયા હવામાનમાં કરે અને ઈંડા પણ માં ક્યાં મૂકે ? પાનની ઉપર કે પાન માં ખાંચો કરીને કે પાન ની અંદર ?
કઈ જીવાતો વાયરસનો રોગ ફેલાય છે તે ખબર હોય તો મરચી ની ખેતી આબાદ થાય અથવા સારી થઈ શકે
રોગ અને જીવાત ને લીધે થતું નુકશાન મરચીના છોડ પર જોઈ શકો તેના માટે સ્કાઉટીંગ કરો , બિલોરી કાચ વસાવો અને સમયસર પગલાં લેશો તો આ વર્ષની મરચી ની ખેતી બદલાય જશે
મરચી ની માહિતી રોજ પ્રવીણ પટેલ ના બ્લોગ આજનીખેતી બ્લોગ માં ક્યારે મુકાશે ? તેની જાણ મેળવવા પટેલ એગ્રો ની ટેલિગ્રામની ખેતરની વાત ચેનલ માં જોડાઈ જાવ
સારા મરચાનો પાક લેવો છે ?
હવે આવનારા રોગ વિશે જાણો અને કૃષિ નિષ્ણાંત ની સલાહ લ્યો
સારા અને અનુભવી વેપારી પાસેથી માર્ગદર્શન લ્યો ,
દા . ત . પશુને ખરવા થયો હોય તો દવા કરીએ એટલે રૂઝ આવી જાય.
સમયસર દવા પીવડાવીએ તો પગ કાપવો ન પડે !
જ્યારે તમે મરચીના રોગ ના ચિન્હોની ખબર ના હોય , તમે ભાગીયા ભરોશે હો , તમે રોજ મરચીના ખેતરમાં અવલોકન કરતા ના હો તો ......મરચીના રોગ લાગે તેની ખબર ન રહે તો પાંદડું જ ખરી જાય.
રસોડું નાશ પામે, શું કરો ખોરાક બનતો બંધ, ચેપ લાગે તે વધારામાં, નુકસાનનો પાર નહીં !
એટલે જ જીવાત કરતા રોગ નુકસાન મોટું.
મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે સ્કોવીલ હિટ યુનિટ જેટલા વધારે એટલી મરચી તીખી. ભારતની પાતળી લાંબી મરચીમાં ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ SHU હોય છે. દા.ત. જ્વાલા, સિન્દુરિયા મરચી, ગુન્ટૂરની સેલમ મરચીમાં ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ SHU હોય છે. સ્કોમ બોનનેટ ગ્રુપ માં આવતી મરચીમાં ૧,૦૦,૦૦૦ થી ૩,૫૦,૦૦૦ SHU હોય છે. જ્યારે નાગા જોલેકીયા જેને ભૂત જોલેકીય અથવા કોબ્રા મરચી કહે છે તેમાં ૧૦,૦૦,૦૦૦ દસ લાખ SHU હોય જે આસામ અને બાંગ્લાદેશમાં થાય છે. તે દવા માટે પણ વિદેશ માં નિર્યાત થાય છે.
આપણે ત્યાં આ બધી શ્રેણીમાં હવે હાઈબ્રીડ જાતો વિવિધ કમ્પનીની આવી ગઈ છે તેથી આપણે ત્યાં મળતી બધી મરચીના બીજ તીખાશ પ્રમાણે ઉપરના કોઈ ગ્રુપમાં આવતી હોય છે. ટૂંકમાં SHU દ્વારા તેની તીખાશના યુનિટ દ્વારા જાણી શકાય છે.આપણે ત્યાં મઘ્યમ તીખાશ વળી મરચી ના વાવેતર વધુ થતા હતા હવે કંપની દ્વારા કલર વેલ્યુના આધારે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એટલે મહિકો ની તેજા અને તેજસ્વનીના પણ વાવેતર થાય છે જે લીલા માં પણ હવે સારી ખપત છે વધુ વિગત માટે પૂછો 9825229766