સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખાતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
જો મરચીની ક્વોલિટી કરવી હોય તો રોજ મરચીની ખેતી વિષે સાચું અને સમયસરની માહિતી જાણો અને બીજાને પણ સાચી માહિતી પહોંચાડો, પટેલ એગ્રોની ટેલીગ્રામ ચેનલ આજની ખેતી તમને ઉપયોગી થઇ શકે, પણ જો તમે રોજ વાંચવાના હો તો.
પ્રવીણ પટેલ દ્વારા મરચીનો બ્લોગ આજ ની ખેતીમાં તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે, આ બધું તમારા ઘેર બેઠા તમારા મોબાઈલમાં વિના મુલ્યે મળવાનું છે પણ જો તમે માહિતીના મૂલ્ય ને સમજતા હો તો !
જો તમારે મરચીની રોગ-જીવાત અને પોષણની ઉપયોગી માહિતી જોઈતી હોઈ તો તમે વોટ્સએપ જેવું ટેલિગ્રામ તમારા મોબાઈલમાં ડોઉનલોડ કરો તેથી તમને પ્રવીણભાઈના આજનીખેતી બ્લોગમાં મુકાયેલ પોસ્ટની માહિતી રોજ રોજ મળશે.
મરચીની માહિતી માંગતા ખેડૂતો ની સંખ્યામાં રોજ વધારો થાય છે
વોટ્સઅપ કરતા ટેલીગ્રામમાં માહિતી અનેકને મોકલી શકાય એટલે અમે આવું કર્યું છે અત્યારે હજારથી વધારે મિત્રોને સીધી માહિતી જાય છે
જો તમને મરચીનું ઉત્પાદન કેમ વધુ લેવું તેની માહિતી રોજ રોજ જરૂર હોય તો તમારા મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરો, ટેલીગ્રામ ડાઉનલોડ થઇ ગયા પછી અમારી ચેનલ ખેતરની વાત ચેનલમાં જોડાવ. આ પોસ્ટ માં નીચે આપેલા શેર બટન થી તમારા મિત્રોને પણ આ સંદેશ આપી રાખોતમારા મરચી ઉગાડતા ખેડૂત મિત્ર ને ફોરવર્ડ કરી દેજો ,
ચાલો મરચીની ખેતી સારી બનાવીએ અને આ વર્ષની મરચીની ખેતીને બદલી નાખીએ.
થ્રીપ્સ એક સૌથી વધુ નુકસાન કરતી મરચીની દુશ્મન છે , તમને થ્રીપ્સ ક્યારે આવે ? ક્યારે મારવી ? કઈ દવા છાંટવી ?ક્યારે છાંટવી ? તે જ ખબર ન હોય તો મરચી ખાખરી જાય છે મરચા ઉપર લીટા લીટા થઈ જાય છે તે લીટા આડા કે ઉભા હોઈ શકે જાણે મરચાં તરડાઈ ગયા હોય તેવા થઈ જાય છે.
વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,
મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી
પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,
રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
400 x 90
--
મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,
આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.
બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...
થ્રીપ્સ એક નાનકડી અને મરચીને નુકશાન કરતી ટચુકડી જીવાત છે જે પાનની નીચે રહી ઘસરકા કરીને પાનનો રસ ચૂસે છે થ્રીપ્સનું લાર્વા એક્ટીવ હોતું નથી. પરંતુ પુખ્ત થ્રીપ્સ અડધા મીમીનું હોય છે. તે પાંદડાને નુકશાન કરે છે. આ પુખ્ત અંદાજે ૨૦ દિવસ જીવે છે. રોજના ૨ થી ૧૦ ઈંડા ઉપરના નવા પાંદડા ની અંદર સ્લીટ મારી ને મુકે છે. આ ઈંડા ૨ થી ૭ દિવસમાં બચ્ચા બહાર આવે છે. થ્રીપ્સના લીધે મરચીનું ૩૦ થી ૫૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે.
લીફ કર્લ ફેલાવવામાં પણ થ્રીપ્સ ઘણો ભાગ ભજવે છે. ખેતરમાં આંટો મારતા તમને એક પાન દીઠ ૩ બચ્ચા અથવા ૧ પુખ્ત દેખાય તો તરત જ દવા છાંટવી જોઈએ. થ્રીપ્સનું પુખ્ત પછી પ્યુપા (કોશેટા)માં જઈને જમીન ઉપર પડીને ૨૫ મીમી ઊંડું જતું રહે છે. ત્યાં ૩ થી ૬ દિવસમાં બહાર આવી ફરી એકડે એકથી નવું જીવન ચક્ર શરુ કરી પાકને નુકશાન કરતુ રહે છે.
થ્રીપ્સ ઘણા પ્રકારના વાયરસને ફેલાવવામાં મદદ કરે છે. જેવા કે CLCV, TSV, WsMoV, MYSV અને CaCV જેવા વાયરસ.
નુકશાન :
થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે, પાન કુકડાઈ જાય છે, વધુ ઉપદ્રવ થાય તો છોડ નુકશાની માંથી બહાર આવી શકતો નથી તેથી ઉત્પાદન ઘટે છે ,ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે ઈંડા મૂકે છે જીવાત મરચીમાં સપ્ટેમ્બરથી માર્ચ સુધી વધારે નુકસાન કરે છે. થ્રીપ્સના વધુ ઉપદ્રવ માટે સૂકા, ગરમ તેમજ ઓછું ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે.
વ્યવસ્થાપન :
ખેતરમાં રોજ બિલોરી કાચ લઈને આંટોમારીને સ્કાઉટીંગ કરો કારણકે દુશ્મનને તેની નબળી કડી માં મારવો જોઈએ એટલે કે થ્રીપ્સના ઈંડા ક્યારે મુકાય અને ક્યા મુકાય તે ખબર હોય તો થાય ! શું તમને ખબર છે ? થ્રિપ્સ કઈ કાગળનો લખે કે હું તમારી મરચીમાં એટેક કરવાની છું
દાખલા સાથે સમજીયે દા .ત . તમારા વાડીના થર્મોમીટર પ્રમાણે અથવા ગુગલ ડેટા પ્રમાણે ગઈ રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ હતું અને આજે રાત્રે વાદળાં આવી જાય , વરસાદ નથી અને મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે ?
રાત ઠંડી હશે કે ગરમ ? રાતે વાદળ હોય એટલે આખા દિવસની જમીનની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે ઓછી નહિ થાય અને રાત્રે ગરમી વધશે , હવે અહીં સમજવાનું છે .....જો રાતનું મિનિમમ તાપમાન ગઈ રાત કરતા 3 ડિગ્રી થી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે, થ્રિપ્સની માદા પાનની અંદર સ્લીટ -ખાંચો કરીને ઈંડા મૂકે છે આઈંડા એક બે દિવસે ફૂટશેને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રીના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો , જો આટલા જાગરૂક રહેશો તો તમારી મરચી થ્રિપ્સમાં મોટા નુક્શાન માંથી બચી જશે .
જીવન ચક્ર :
હવે થ્રિપ્સ નું જીવન ચક્ર સમજીયે તો જીવાતને ક્યાં સ્ટેજ માં મારવી તેનું આયોજન કરી શકીયે , જીવાંતના મોટા મોટા 4 સ્ટેજ હોય છે, ઈંડા -બચ્ચું -કોશેટો -પુખ્ત . આપણે વાત કરી ગયા તેવું વાતાવરણ થયું એટલે નર માદા નું સંવનન થાય ને માદા રાતે ઈંડા મૂકે આ ઈંડા ફૂટે( 2-4 દિવસ ) એટલે એમાંથી લાર્વા નાનું બચ્ચું ( 1-2 દિવસ ) લાર્વા મોટુ થાય મોટું બચ્ચું (2-4 દિવસ) આ 6 દિવસ આપણ ને જોરદાર નુકસાન કરી જાય પછી લાર્વા પ્યુંપા તરીકે જમીન પડી જાય ને ( 1-5 દિવસ ) અને તેમાંથી ફરી વાતાવરણ થાય એટલે પુખ્ત બહાર આવે ને પાછા નર માદા મળે ને આ ચક્ર ચાલ્યા કરે .
ઈંડા મારવા ટ્રાન્સલેમીનીયર ઈંડાનાશક દવા છાંટો તો ઈંડાનો નાશ કરી સફળતા મેળવી શકાય પણ ઈંડા મુકાય ક્યારે તે જ કામ આવે બીજા દિવસે બચ્ચા બહાર આવી જાય તો પછી તેને મારવા માટે ટ્રાન્સ્લેમીનિયર નહિ ચાલે તેના માટે હવે કોન્ટેક્ટ ઇન્સેક્ટીસાઈડ એટલે કે સ્પર્શ કરેને મારે તેવી દવા છાંટવી પડે
નિયંત્રણ :
ડેનીટોલ મિયોથ્રિન ( ફેનપ્રોપેથ્રીન ) અથવા
રીઝન્ટ - જંપ (ફીપ્રોનીલ) અથવા
ડેલિગેટ (સ્પીન્ટોરમ ) અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) અથવા
સ્પીન્ટોર -ટ્રેસર (સ્પીનોસાડ) અથવા
મોવેન્ટો (સ્પાયરોટેત્રામેટ )
સિમોડીશ
વારાફરતી પ્રયોગ કરવો.
થ્રીપ્સ મરચી માટે ખૂબ જ મોટું નુકસાન કરતી જીવાત છે. પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. અને વાઇરસ જેવા રોગો પણ ફેલાવે છે.
થ્રીપ્સ પોતાના ઇંડા પાન ઉપર સ્લીટ-ખાચો કરીને પાનમાં મૂકે છે તે બે દિવસમાં બચ્ચા બહાર આવે છે.
આ ઈંડા મુક્યાના બે દિવસમાં ઈંડા નાશક અથવા તો ટ્રાન્સલેમીનીયર પ્રકારની દવા છંટાય. પરંતુ જો બચ્ચા બહાર આવી ગયા હોય તો કોન્ટેક દવા છાંટવી પડે.
તમે કહો છો બીજા કામમાં તમને મરચીની ખેતીમાં સમય મળતો નથી તેનો મતલબ કે તમે રોજ વાડીયે જતા નથી તમારા માટે મરચીનો પાક નથી.
આવું કરશો તો કંઈ હાથમાં આવશે નહીં પછી કા તો દવા, કા તો બીજ કે પછી હવામાનનો દોષ કાઢશો. જરૂર છે અત્યારે જાગી જવાની.
મરચીનો એન્થ્રેકનોઝ નામના રોગ નો ચેપ પાણી અને હવાથી ફેલાય છે.
વરસાદી વાતાવરણ અને ઝાકળ થી આ રોગ લાગવાની શક્યતા છે
દા .ત . લીલા મરચા લાગ્યા છે જોરદાર વરસાદ છે સતત ૧૨ કલાક સુધી છોડ ભીનાને ભીના રહ્યા છે તો અથવા ઝાકળથી સતત 12 કલાક ભીના રહ્યા તો
ત્યારે આ રોગનો ચેપ મરચીના ફળમાં લાગે છે.
આપણે ક્યારે દવા છાંટીએ જયારે લાલ મરચા પર ધાબુ દેખાય ત્યારે દવા ક્યારે છાંટવાની જરૂર હતી ?
જયારે તમારી મરચી વરસાદ કે ઝાકળથી ૧૨ કલાક સુધી સતત ભીની રહે ત્યારે ઉઘાડ નીકળતા તરત જ દવા છાંટવાની હતી.
જ્યારે જયારે તમારા ખેતર ની મરચી ૧૨ કલાક સુધી ભીની રહ્યા હોય તો ઉઘાડ નીકળે છે જો આવું થોડા દિવસ પછી ફરી બને તો ફરીવાર ઉઘાડ નીકળે ત્યારે દવા છાંટી દેશો તો તમારા મરચા માં એન્થ્રેકનોઝ ઓછો આવશે.
બીજી વાત દા .ત . શિયાળોમાં જો સાંજે 8 વાગ્યાથી મેઘરવો આવ્યો અને સવારે 8 વાગ્યા સુધી તમારી સિમમાં રહ્યો તો......તો પણ તમારે તરતજ ફુગનાશક ના સ્પ્રે કરવા પડશે
વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના
હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે ,
જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ
રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો
નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
મરચીનો પાક વધુ ગરમી અને વધુ ઠંડી સહન કરી શકતો નથી તેને હુંફાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે 20 થી 28° સે તાપમાનમાં મરચીનો પાક સારો થાય છે,
મરચી માં બીજના ઉગવા સમયે જરૂરી તાપમાન :
સારા ઉગવા માટે મિનિમમ 13 સે.ગ્રેડ અને મહત્તમ 40 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન જોઈએ પણ સૌથી સારા ઉગવા માટે 20-25 સે.ગ્રેડ અનુકૂળ હવામાન ગણાય છે, તો રોપ ક્યારે નખાય ? પછી કહેતાં નહીં કે રોપ ઉજ્જર્યો નહિ ?
મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે જરૂરી તાપમાન :
મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે મિનિમમ 15 સે.ગ્રેડ અને મહત્તમ 32 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી સારા વાનસ્પતિક વિકાસ માટે દિવસ નું તાપમાન 20-25 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 16-18 સે.ગ્રેડ તાપમાન આ વિકાસના તબક્કા માં જોઈએ , આ દિવસ અને રાત્રી ના તાપમાન ને બરાબર પારખી લેજો , ખુબ અગત્ય ની આ વાત ધ્યાને લેજો
મરચી માં ફૂલો વધુ લાવવા અને ફળો વધારે બેસવા માટે ક્યુ તાપમાનઅનુકૂળ:
ખુબજ અગત્યનો તબક્કો એટલે ફૂલ ફળ નો તબક્કો , આ તબક્કા માં મિનિમમ 18 સે.ગ્રેડ અને મહત્તમ 35 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી વધુ ફુલ અને ફળો બેસવા માટે દિવસ નું તાપમાન 26-28 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 18-20 સે.ગ્રેડ અનુકૂળ હોઈ છે , મરચી વધુ ફૂલે ફાલેને બધા ફૂલ ટકી રહે અને ફળ વધુ લાગે તે માટે આવું તાપમાન જોઈએ ,
રોજ રોજ તાપમાન તમારા વાડી ના થર્મોમીટર માં જોતા રહો અને ડાયરી માં નોંધો , તમારી વાડીયે એક નાનું ટેબલ વસાવો અને વાડીયે તમારી ઓફિસ બનાવો , તો તમનેજ સમજાશે કે ક્યારે કઈ દવાની જરૂર નથી , ગૂગલ વેધરને તમારો દોસ્ત બનાવીને રોજ રોજ ડેટા લેતા રહોને તમારી ડાયરી માં નોંધ કરી તમારા પાક ના બદલાવ પણ નોંધો , એક 300 રૂપિયાનું થર્મોમીટર તમારો હજારોનો ખર્ચ બચાવશે.દા .ત. ઘણી વખત હવામાન ફૂલ ટકવા માટેનું જ નથીને તમે ફાલ ખરણ અટકાવવાની દવાનો નકામો ખર્ચ કરો છો .
મિત્રો , તમારે અમારો આભાર માનવો હોય તો તમે તમારા પાંચ પાક્કા મિત્રને આપણી ચેનલ માં જોડો જેથી તેને પણ આવતા વર્ષે મરચીની ખેતીની નવી નવી ટેક્નોલોજીની માહિતીનો લાભ મળે અને એ પણ તમારી જેમ મરચીની ખેતી નફાકારક કરે, આજ અમારા માટે સન્માન છે
પટેલ એગ્રો ની ખેતરની વાત્ત નામની મરચીના પાક ની ટેલિગ્રામ ચેનલ ની માહિતી અનેક ખેડૂતોને ખુબ ઉપયોગી થઇ અને તેને લીધી જે ખેડૂતોને મરચીનું ઉત્પાદન વધ્યું તેની વિગતો ટૂંકમાં જણાવીશું
હજુ તો આ શરૂઆત છે આવતા વર્ષનીમરચીની ખેતી નવી ટેકનોલોજી સાથે કરવી હોય તો અત્યારથીજ આપણી વોટ્સએપ ચિલિકી પાઠશાળા માં જોડાઈ જાઓ
મરચી ની ખેતી માંથી આવતા વર્ષે પણ પૈસા કમાવા માંગતા હો તો ચીલાચાલુ વોટ્સએપ ગ્રુપ છોડી ને મરચીની આ ખેતરની વાત ટેલિગ્રામ ડાઉનલોડ કરી ચેનલ માં જોડાઈ જાવ અથવા ચીલી કી પાઠશાળા વોટ્સએપ ચેનલ જોઈન કરી લો
જો તમને મરચી , શાકભાજી , કપાસ ની સારી, સાચી અને નફાકારક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત હો તો જરૂર બીજા ને પણ જોડજો