ગોંડલ વિસ્તારના ખેડૂતો મરચીની ખેતીમાં મહેનત બહુ કરે છે પરંતુ મરચીના ઉત્પાદનમાં પાછળ રહે છે ? શું કારણ ?
1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે સારું બીજ પસંદ કરો
2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા , મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .
3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .
4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .
વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના
હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે ,
જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ
રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો
નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
જે ખેતરમાં મરચી વાવતી હોય અથવા મગફળીની ખેતી થતી હોય તે મરચીના ખેતરમાં સ્ક્લેરોસિયા નામની રાઈ જેવા દાણા ધરાવતી ફૂગના દાણા પડ્યા રહે છે જેમાં અનુકુળ વાતાવરણ એટલે કે ભેજ વાળું વાતાવરણ મળતા મરચીની ફેરરોપણી કરી હોય કે મરચી ચોપી હોય તેમાં થડ પાસે લાગે છે આપણે તેને ગળું પડ્યું તેમ કહીએ છીએ ઘણીવાર છોડ મારી જાય છે.
આ રોગનું કારણ છે વધારે ભેજ, બહુ ઓછો ભેજ, વધુ ગરમ વાતાવરણ, ખાતર ગળતીયું ન વાપર્યું હોય, આ રોગ માટે ડ્રેન્ચિંગ તાત્કાલિક કરવું પડે અથવા પહેલા વરસાદ પછી થડે થડે ટ્રાયકોડરમાનું ડ્રેન્ચિંગ કરવું પડે.
મરચીમા લાગતો સુકારાનો રોગપીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારક ને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજ ને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે.
રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એપ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, રોપની જગ્યા સારી પસંદ કરો
રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો,બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપનાથડે થડે ડ્રેન્ચિંગ કરો, ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે
તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળા ને આપીને રોપ નર્સરી મા તૈયાર કરાવતા હો તોજે નર્સરી ઇન્સેક્ટ નેટ નો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોઈ તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આ વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે
આ જમીનજન્ય ફૂગ પીથીયમ અને રાઈઝેક્ટોનીયા ને લીધે રોપ ઉભો જમીન પાસેથી સુકાય છે , જમીન પાસે ગળું પડે, પાણી પોચા ડાઘ થડ ઉપર અને
ડાળી ઉપર જોવા મળે, પાણી અપાતું હોઈ તે પાણીનાપ્રવાહ તરફ રોગ
આગળફેલાય, ઘાટા વાવેતરમાં આ રોગવધે, પાણીની નિતાર સારો ના હોય તેવી જમીન આ રોગ જોવા મળે છે , વધુ પડતું નાઈટ્રોજન આપવાથી આ
રોગ વધે . જે જમીનમાં ફાયટોપથોરા આવે છે ત્યાં વધુ જોવા મળે છે .
આ રોગ થવાનું કારણ : ઘાટું વાવેતર, નાઈટ્રોજન નો વધુ પડતો વપરાશ, એકને એક
ખેતરમાં મરચી કરવી , નિતાર સારો ના હોય તેવી જમીન .
નિયંત્રણ : નીતાર સારો રાખો , જમીન સુધારણા કરો , સેન્દ્રીય તત્વો નું ઉમેરણ
કરો , પાક ફેરબદલી કરો , વરસાદ પછી ખાસકાળજી લેવી, રેઈસ બેડ
એટલે કે પાળાઉપર મરચી વાવો, ફૂગનાશક પ્રયોગ કરો . ડ્રેનચિંગ કરો
વરસાદને લીધે આપણા મરચીના છોડ કેવા આઘાત અનુભવતા હતા તે આપણ ને ખબર છે ? એમાંય આ વરસાદથી પણ આઘાત લાગ્યો તે તમે અનુભવ્યું હશે ?
ઘણા ખેડૂતોના મરચીના પાંદડા આ વરસાદ પછી ખરી ગયા, વરસાદ થી પણ આઘાત પડ્યો હવે શું કરવું ???
જે ખેડૂતોએ મરચીને સારું પોષણ અને ફુગનાશકના સ્પ્રેય આપી દીધેલ તેને સારું છે , જ્યાં પાણીનો નિકાલ થયો ત્યાં સારું છે .
ઉઘાડ નીકળે કે તુર્તજ PSAP ખાતરનો ઘાટો સ્પ્રે કરી દેવો
સારી ફુગનાશક છાટવી
યાદ રાખો વરસાદ પછી પાલર પાણી ઉતારજો અને પછી
છોડને શું જોઈએ ? જેવી જમીન તે પ્રકારે તેને પિયત ની વ્યવસ્થા જોઈએ , પણ કેટલું પાણી જોઈએ ? જમીનના પ્રકાર પ્રમાણે છોડને કેટલું પાણી જોઈએ ? એક લિટર ? સાત લિટર ? 18 લિટર ? કેટલું ? છોડ ને પિયત જોતું નથી છોડને ભેજ જોઈએ છે , યાદ રાખો છોડને ભેજ જોઈએ છે
ભેજ પૂરતો ના થાય એટલું પાણી હોય તો છોડ તણાવ અનુભવે , છોડ ઉત્પાદન ઓછું આપે, છોડ મરી પણ જાય ,જો ભેજની જરુરુયાત કરતા પાણી વધુ આપો તો છોડના મૂળિયાંને નુકશાન થાય , મૂળને લગતા રોગો નો ઉપદ્રવ વધે, ઉત્પાદન ઘટે , છોડ મરે ,
વાંચતા રહો ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા તમારા મોબાઈલમા
મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે ,
વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું.
પાણી જમીનમાં ભરાય એટલે જમીનની અંદર નો O2 ઓક્સીજન બહાર નીકળી જાય. ઓક્સિજન બહાર નીકળી જાય તો મૂળ શ્વસન કેમ કરે ?
થોડું ટેક્નિકલ થઇ જશે છતાં સમજવું તો જમીનમાં રહેલ આયન(લોહતત્વ) આયનમાંથી ફેરિક બની જાય અને ફેરિક છોડ ઉપાડી શકે નહિ એટલે છોડમાં આયનની ઉણપ દેખાવા માંડે છોડ પીળા પડી જાય.
મરચીની ખેતી એટલે જ તો પાળા ઉપર કરાય ,
ખેતી કરવી તો સમજી ને ,
સાચી માહિતી ક્યાંથી મળે એની કિંમત સમજાય તો પછી ખેતી ખંત થી થાય