મરચીમાં નુકશાન કરતી થ્રીપ્સ મરચીને કઈ રીતે નુકશાન કરે છે


થ્રીપ્સ એક નાનકડી અને મરચીને નુકશાન કરતી ટચુકડી જીવાત છે જે પાનની નીચે રહી ઘસરકા કરીને પાનનો રસ ચૂસે છે થ્રીપ્સનું લાર્વા એક્ટીવ હોતું નથી. પરંતુ પુખ્ત થ્રીપ્સ અડધા મીમીનું હોય છે. તે પાંદડાને નુકશાન કરે છે. આ પુખ્ત અંદાજે ૨૦ દિવસ જીવે છે. રોજના ૨ થી ૧૦ ઈંડા ઉપરના નવા પાંદડા ની અંદર સ્લીટ મારી ને મુકે છે. આ ઈંડા ૨ થી ૭ દિવસમાં બચ્ચા બહાર આવે છે. થ્રીપ્સના લીધે મરચીનું ૩૦ થી ૫૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે.

લીફ કર્લ ફેલાવવામાં પણ થ્રીપ્સ ઘણો ભાગ ભજવે છે. ખેતરમાં આંટો મારતા તમને એક પાન દીઠ ૩ બચ્ચા અથવા ૧ પુખ્ત દેખાય તો તરત જ દવા છાંટવી જોઈએ. થ્રીપ્સનું પુખ્ત પછી પ્યુપા (કોશેટા)માં જઈને જમીન ઉપર પડીને ૨૫ મીમી ઊંડું જતું રહે છે. ત્યાં ૩ થી ૬ દિવસમાં બહાર આવી ફરી એકડે એકથી નવું જીવન ચક્ર શરુ કરી પાકને નુકશાન કરતુ રહે છે.

થ્રીપ્સ ઘણા પ્રકારના વાયરસને ફેલાવવામાં મદદ કરે છે. જેવા કે CLCV, TSV, WsMoV, MYSV અને CaCV જેવા વાયરસ.

0 comments