તમારા પ્રશ્ન માટે તમને અભિનંદન,
પાણી વધુ પાવાથી,
પા્ળા ઉપર મરચી ન કરવાથી,
વિવિધ રોગ જીવાત આવે તે આપણને ખબર છે,
તે જ રીતે હિમ પડવું,
વધુ પડતું હવાનું પ્રદૂષણ.,
જમીનને પાણીના પી એચ માં અસંતુલન ,
વધુ પડતી ગરમી એટલે સૂર્યપ્રકાશથી પણ દાઝ લાગવાથી મરચામાં ડાઘ પડે છે. તેને સન સ્કેલ્ડ કહે છે.
સૂક્ષ્મ તત્વની ખામીના લીધે ફળનું ફાટી જવું,
કરા પડે તેનું નુકસાન વળી અલગ હોય છે,
કેલ્શિયમની ખામીથી બ્લોસમ રોટ આવી શકે છે ,
ઘણી વખત ચીલાચાલુ સસ્તાના લોભે ક્લોરિન યુક્ત ઉપરથી છાંટવાના ખાતરોથી પાન પર ઘસરકા થાય છે તે નુકસાન દેખાતું નથી પણ ઉત્પાદન વધારવાને બદલે ઘટાડે છે.
વેપારી પાસેથી ક્વોલિટી ઇનપુટસ જંતુનાશક ખરીદતી વખતે માંગતા આવડવું જોઈએ
નહીં કે જે આપે તે છાંટવું.
ઘણીવાર બે ખોટી દવાઓ ભેગી કરવાથી પાન પીળા પડે છે, ખાખરી જાય છે, વાંકા વળી જાય છે, તેને કેમિકલ ઇન્જરી એટલે રસાયણનું નુકસાન કહે છે.
ખોટી દવા છાંટીએ અથવા વધુ પ્રમાણ છાંટીને મરચીના છોડવાઓને રાડ બોલાવી દઈએ છીએ , આપણી પાસે નથી એવા કાન કે નથી એવી નજર કે આપણે છોડ જે પોકારી પોકારીને કહે છે તે સાંભળી શકીયે ,
આપણે તો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને નઠારી દવાના રગડા સાચા નિદાન વગર છાંટે રાખીયે છીએ અને પાછા નો - ભેળવવાના રસાયણો ભેળવીએ
મરચીના છોડના પાન રૂપી રસોડામાં સ્કોરચિંગ ( પાંદડા ઉપર ઘસરકા કે દવાની દાહક અસરના લીટા પડવા ) કે પાન પર આવા કેમિકલના લીટા પડવા થી છોડ તણાવ માં આવી જાય છે , પાછો પડી જાય છે .
બહુ બધા રસાયણો ભેગાના કરો , ક્લોરીનવાળા ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નહિ વાપરો , હક્ક થી જોઈએ તે ટેકિનકલ માંગતા શીખશો તો ફાવશો ,
ખેતીની અવનવી સાચી પદ્ધતિ વિષે વાંચવું હોય તો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ પેજ રોજ એકવાર ખોલજો અને બીજા મિત્રોને પણ કહેજો કે આ કૈક સારું છે ....