કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,
કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,
આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.
કથીરી માટે સલ્ફર એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.
રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.
મરચી ની ખેતી માં હવામાન ની અસરો વિષે આપણે વારંવાર વાતો કરીયે છીએ , તમારો પ્રશ્ન પુરે પૂરો સાચો નથી કારણ કે રાતે વાદળ આવે તો દર વખતે મરચી ને નુકશાન થાય એવું નથી
વરસાદના મહિનામાં ઘણી વખત રાત્રે વાદળ વધુ આવે ને વરસાદ પડે તે શક્ય છે એટલે રાત્રે વાદળ આવે તો ભલેને આવે એનાથી મરચીના પાકને નુકશાન થાય જ તેવું નથી , સતત વરસાદ આવે 14 કલાક પાન ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનો એટેક મરચીઉપર લાગી શકે તે , ભેજ થી ફૂગ આવી શકે તેની આપણે અગાઉ વાત કરી હતી
તમારો પ્રશ્ન બીજી રીતે સાવ સાચો છે
એક દાખલા સાથે તમારો પ્રશ્ન સમજીયે
દા .ત . આજના ગુગલ ડેટા પ્રમાણે રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ છે , કાલે રાત્રે વાદળાં આવી જાય વરસાદ નથી અને કાલ નું મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે રાત ઠંડી હશે કે ગરમ ?
રાતે વાદળ હોઈ એટલે આખા દિવસની ની જમીન ની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે થશે નહિ ને ગરમી વધશે , એટલે કે રાતનું મિનિમમ તાપમાન ગઈ કાલ કરતા જો 3 ડિગ્રી થી વધુ વધ્યું તો , થ્રિપ્સની માદા પાન ની અંદર ખાંચો કરી ને ઈંડા મુકશે તે ઈંડા બીજા દિવસે ફૂટશે ને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રી ના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આવા વખતે આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો
આટલા જાગૃત રહી શકો તો મરચી સારી થાય , બાકી મારા પાન કુક્ડાય ગયા છે તેવું કહી મોંઘી દવાના ખર્ચ કરવાના બીજું શું ? તોય કાબુ માં આવે તો આવે ,
આવી માહિતી તમને અને તમારા મિત્ર ને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ જોડો
બાષ્પીભવનને લીધે ૨૪ કલાકમાં પાણી ઘટે તેને વાસ્પિકરણ દર કહેવાય જે મિલીમીટરમાં મપાય એક એકરમાં તળાવમાં ૧ મીમી પાણી નો વાસ્પિકરણ દર હોય તો તળાવમાંથી ૨૪ કલાકે અંદાજે ૪૦૦૦ લીટર પાણી ઉડી જાય બોલો, તો પછી આપણા ખેતર માંથી , જમીનમાંથી , છોડ માંથી કેટલું પાણી ઉડી જતું હશે ?
મરચીની ખેતીમાં આવતી વિવિધ જીવાતોને કાબૂમાં લેવા માટે આપણું સૂત્ર એ હોવું જોઇએ કે દુશ્મનને નબળી કડી શોધીને મારવો,
દા. ત. જીવાત કે ઈયળની કમજોર-નબળી કડી કઈ ?
નબળી કડી એટલે જીવાત-ઈયળનું ઈંડું.
ઈંડા જ મારી નાખો તો ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી.
ઈંડા જ મરી જાય કે નાશ પામે તો બચ્ચા જન્મે જ નહીં અને ઈંડા માંથી આવેલા બચ્ચાંથી મરચીને નુકસાન થાય નહીં,
પણ
કઈ જીવાત ક્યાં ક્યારે અને કેવી રીતે ઈંડા મૂકે તેનો અભ્યાસ કરવો પડે.
આ માટે રોજ ખેતર નું આવલોકન , આપણા બ્લોગ નું વાંચન , હવામાન ના બદલાવ માટે થર્મોમીટર જોતા શીખવું વગેરે કરવું પડે .
જો આટલું કરી ને ઈંડા જ મારી નાખો તો.......
વૈજ્ઞાનિક ખેતીમાં જો આપણી પાસે તાપમાન, હવામાન, ઉત્સ્વેદન એટલે કે હવામાં પાણી કેટલું ઉડી જાય છે તે જમીનનું તાપમાન કેટલું છે તે જમીનમાં ભેજ કેટલો છે તે માપવાના સ્વતંત્ર હવામાન વેધર સ્ટેશન ૩૭૦૦૦ થી ૪૫,૦૦૦ સુધીમાં પોતાની વાડી એ અપનાવી શકાય છે. વધુ વિગત માટે વાંચતા રહો આજની ખેતી બ્લોગ અથવા પોસ્ટ મુકાયા ની જાણ કરતી અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત
હવામાન માપક સાધનો થી હવામાનના બદલાવ થી આવતા રોગ, જીવાત, હિમ વર્ષા, ઝાકળ ની આગોતરી જાણકારી મળે છે તેના લીધે જંતુનાશક દવા, ફૂગનાશકના ઓછા ખર્ચે સારું- સમયસર નિયંત્રણનો લાભ મળે છે.
ચાલો ભલે આવા મોંઘા સાધનો ના અપનાવીએ પણ તમારી વાડીએ થર્મોમીટર તો વસાવી શકો કે નહિ ? જે 300 થી 600 રૂપિયાનું આવે તે તો લગાડી શકો કે નહીં. ? અથવા ગુગલ વેધર ને ફોલો કરો અને ના કરો તો દવા ના વધારે પડતા ખરચ કરો તમારી મરજી છે
કયાં વાતાવરણ ને લીધે ક્યાં રોગ કે જીવાત આવવાની શક્યતા છે તે ની સમજણ અને જાણકારી મેળવવા વાંચતા રહો ટેલિગ્રામ ચેનલ -ખેતર ની વાત
થ્રીપ્સની જીવન અવસ્થામાં પહેલી ઈંડા અવસ્થા, બીજી ઈયળ (લાર્વા) બચ્ચું અવસ્થા, ત્રીજી પ્રી-ટ્યુંપા અવસ્થા, ચોથી પ્યુપા અને પાંચમી પુખ્ત અવસ્થા.
થ્રીપ્સની આ અવસ્થાઓમાં ઈંડામાંથી નીકળતી નાની લાર્વા અવસ્થામાં જો મારીએ અથવા ઈંડાનાશકથી ઈંડા મારી નાખીએ તો જ થ્રીપ્સનું નિયંત્રણ આપણા માટે સહેલું,
નહિતર મોટી લાર્વા પ્યુપા માં જાય તે પહેલાની અવસ્થા પાંદડા ઉપર આવી ગઈ ને તો પછી નુકશાન હી નુકશાન. ત્રીજી અને ચોથી અવસ્થામાં પ્યુપા તો જમીનમાં થતી હોય છે. તેમાંથી પુખ્ત બહાર નીકળીને નર-માદા ને એકવાર સંવનન -મેટિંગ કર્યું એટલે માદા ઈંડા મુક્યા જ કરે બોલો, તમે જ વિચારો કઈ અવસ્થામાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ કરી દેવું જોઈએ
થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે તમે તંમારા દવા વાળા ને પૂછ્યું કે નહિ ? તેને ખબર છે કે નહિ ? કસોટી કરો , નહીંતર તમને દવા સાચી કેમ આપશે ? જવાબ અમને મોબાઈલ દ્વાર મોકલજો 9825229966