આવતા વર્ષની નોંધ તમારી ડાયરીમાં કરો .
મરચી વાળામાં મરચીનું વાવેતર ન કરો,
મલ્ચીંગનો પ્રયોગ કરો,
સપાટ ક્યારા ને બદલે પાળા ઉપર મરચી ની ખેતી કરો,
નિંદામણથી પાકને મુકત રાખો,
વરસાદ વખતે પવન થી છોડ હલતા હશે તો મરચી ના થડ પાસે આઈસ્ક્રીમ માં કોન ના આકાર જેવો કોન થશે ત્યાં જો વરસાદ નું પાણી ભરાશે તો મરચી માં રોગ જરૂર લાગશે તેથી છોડ હલે નહિ તે માટે થોડા થોડા અંતરે લાકડાના ટેકા મારી દોરી કે સુતળી થી છોડને ટેકો આપી બાંધીશ તેવું લખો ,
છોડની સંખ્યા મહત્તમ રાખો તો પણ ફાયદો થશે . ડ્રીપ ઈરીગેશનનો પ્રયોગ કરો જેથી ધાર્યું પાણી આપી ને વધુ પડતા ભેજ થી આવતા ફુગ ના રોગો થી બચી શકાય . પુષ્ક્લ ફળ લાગી ગયા પછી એટલે કે પાક અવસ્થા વખતે ધોરીયા ક્યારા પદ્ધતિમાં પાણી વધુ ન અપાય જાય તે જુઓ.
વધુ વિગતો માટે આજનીખેતી વાંચતા રહો, દવા વિષે હવે પછી
લાલ મરચાની ખેતી કરનારને એટલે કે સૂકા મરચા ની ખેતી કરતા ખેડૂતો ને મહાપજવનારો આ રોગ ને
એન્થ્રેકનોઝ કહેવાય છે. આ રોગ કોલેટોટ્રીટમ પ્રજાતિના રોગકારકને લીધે થાય છે.
રોગ વહેલો લાગે છે એટલે કે કે મરચી માં ફળ લાગેલા હોઈ ત્યારે વધુ વરસાદ વખતે જો મરચી નો છોડ કે મરચા સતત વરસાદ ના પાણી કે ઝાકળને લીધે ભીનાને ભીના રહ્યા હોય તે છોડ અને તે મરચામાં અન્થ્રેકનોઝ ત્યારે લાગી ગયો હોય છે, સમય જતા પાછળ થી મરચાના ફળમાં પાણી પોચા ડાઘ ગોળાકારમાં પડે છે ફળ પાકે ત્યારે આપણને ખબર પડે છે.
રીંગ આકારે ફળમાં ૩ થી ૪ સેમી સુધી ગોળ ગોળ ડાઘ થતા ફળ નકામાં બને છે. મરચા સુકાય જાય તોય ડાઘવાળા રહે છે તેથી આવું મરચું ફોરવર્ડના નીચા ભાવે વેચાય છે ,
આ રોગ થી ઘણું આર્થિક નુકશાન ખેડૂતો ને જાય છે,
આ રોગને ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. ૨૦ થી ૨૮o તાપમાન અને ભેજવાળું વાતાવરણમાં આ રોગ લાગે છે. થડ ઉપર પણ આ રોગના ડાઘ પડે છે