ગ્રો કવર શું છે ? તે રોપ ઉપર અને ફેરરોપણી પછી થોડા દિવસ ઢાંકવાનું કેમ કહે છે ?






























મચ્છરદાની શું કામ રાખવાની હોય ? 
મચ્છર ન કરડે એટલા માટે , 
મચ્છર કરડે તો શું થાય ? 
મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે ,

એવું જ મરચીની ખેતીમાં છે , 
મરચીમાં વાયરસ કેમ લાગે ?  
મરચીનો રોપ 35 થી 45 દિવસ નો થાય ત્યાં સુધી બાળકની જેમ ખાસ ધ્યાન રાખવું પડે. તે માટે હવે બઝારમાં 40 થી 50  મેશની ઇન્સેકટ નેટ અથવા ગ્રો કવર આવે  છે તે લગાડી હોય તો વ્હાઈટફ્લાઈ, થ્રીપ્સ, મોલો  મરચીના પાનને કરડશે નહિ , જો કરડશે તો રોપ માં વાયરસ લાગી જશે અને ફેરરોપણી પછી આપણી મરચીમાં વાયરસના લક્ષણ દેખાશે .

 ફેરરોપણી પછી થોડો સમય ગ્રો કવર લગાડીયે તો ચૂસીયા દ્વારા બચી શકાય ચૂસિયાં દ્વારા જો રોપમાં કે નાના છોડમા વાયરસ આવી ગયો એટલે જેમ  મચ્છર કરડે તો મલેરિયા થાય તેવુંજ સફેદમાખી કરડે તો કુક્ડ આવે . ટૂંકમાં યાદ રાખો  ચુસીયા લાગ્યા એટલે વાયરસ આવવાનો.

યાદ રાખો કુક્ડ એટલે વાયરસ અને વાયરસ માટે જરૂરી છે ચુસીયા જીવાત નું સેનિટાઇઝેશન , સોસીયલ ડિસ્ટન્સ એટલે કે બહુ ઘાટું વાવેતર નહિ  અને સમયસર પગલાં .

ઇન્સેક્ટ નેટ અને ગ્રો કવર માટે વધુ માહિતી માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો 

0 comments