આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા






પાણી વગર ખેતી શક્ય નથી એ તો જાણે આપણને ખબર છે , પણ પાણી કેટલું ? ક્યારે ? કેવીરીતે ? એની આપણને જરાય ખબર નથી અને એ બધું ઇઝરાયેલના ખેડૂતને ખબર છે માપી માપીને આપે કારણ કે તે બધા જાણે છે કે
પાણી કિંમતી છે અને સાથે વધુ પાણી પાકને આપવાથી શું નુકશાન થાય ? અને આપણે રાત્રે પાવર હોય  તો પછી સવાર પડે ત્યારે પાકના મૂળ પાણી માં ડૂબાડૂબા બડબડીયા બોલાવતા હોય , આપણેને પાકને વધુ પાણી આપવાથી થતું ભારે નુકશાનની ખબર જ નથી , બોલો ,

ડ્રિપની કોઈને વાત કરો તો સફળતાના લાખ અનુભવ સાંભળ્યા હોય  તો પણ બહાના કાઢે  ઉંદરડા નું ? કે ખિસ્કોલા નું ? કે અમારી જમીન માં રેડ પાવું પડે એવું બહાનું કાઢી ને વધુ ઉત્પાદનનો રસ્તો અપનાવે નહિ ,



મરચી ના પાક માં ભેજ જોઈએ છે , પિયત નહિ એટલામાં સમજજો , રોગ સામે લડવા કરતા પાણી નું નિયમન સારું છે, જે આજે આપણને સમજાય જાય તો સારું છે પાણી વગર આજે આપણે આકાશ સામે જોઈ રહ્યા છીએ , આ પરિસ્થિતિ કદાચ આપણ ને સમજાવવા આવી હોય , જેટલા  સામુહિક રીતે વહેલા સમજીશું એટલું ફાયદામાં 


જરુરી પાણી એટલે છોડની આવશ્યકતા , તમારી જમીનની ઉપલી સપાટીનો ભેજના આધારે પાણી આપો તો છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે તો વધુ ખોરાક મરચીના પાંદડા બનાવશે તો ઉપજ વધશે , પાણી નું સંચાલન વાડીના માલિક તરીકે તમારા હસ્તક રાખો , ભાગીયાને નહિ , પાણી આપવાનો સમય ઘડિયાળ ના કાંટે નક્કી કરો , આવું કરશો તો તમને ત્રણ લાભ થશે પાણી બચશે , રોગ જીવાત ઓછા આવશે , ખાતર તમે આપ્યું છે તે મૂળ પ્રદેશમાંથી નીચે નહિ જાય ને છોડ લઇ લેશે તો ઉત્પાદન વધશે , બાકી આટલું વાંચ્યા પછી તમે આવતા વર્ષે મરચીની ખેતીમાં પાળા ના કરો , મ્લચીંગ ના કરો ને ડ્રિપ ના વસાવો તો પછી રોગ જીવાત અને ઉત્પાદનની ફરિયાદ કરતા નહિ ....


કોઈ વાત સારી લાગે તો આપણે ગમ્યું એમ બીજાને કહીયે તો તે  વાત કુટુંબમાં પણ સારી છે 
શું તમને   આ મરચી અને લીંબુની  વૈજ્ઞાનિક માહિતી  તમને ગમે છે ?  તો ક્યારેક 9825229966 ઉપર પ્રતિભાવ આપશો તો ગમશે , 




-


-- --










મરચાના ફળ ફિક્કા પાડવા નું કારણ : 


  • થ્રીપ્સ, કથીરી અને વાઈરસનો પ્રકોપ

  • નબળું ફલીનીકરણ 








પાનની કોર આ રીતે પીળી પડી હોય તો આ લક્ષણ કોઈ જીવત ને લીધે નથી આ લક્ષણ પોટાશ ની ખામી બતાવે છે  ટમેટામાં ૧૩-૦-૪૫ ખાતર પંપે ૧૦૦ ગ્રામ નાખીને ઘાટો છંટકાવ કરવો તો સારું પરિણામ મળશે 









-- --










મરચીનો ઓછો વિકાસ થવાનું કારણ : 

  • ઘાટું વાવેતર, ઓછો સૂર્ય પ્રકાશ, 
  • નબળી જમીન
  • નીચું તાપમાન
  • અમુક જાત ધીરે વધે છે તે કારણ 

 










મરચીના છોડનું પડી જવાનું કારણ : 

  • વધુ પડતું પિયત 
  • ઓછા વિકસિત મૂળ 
  • છોડને અપૂરતો સપોર્ટ - ટેકો











મરચીના પાન ઉપર ઘસરકા છે  અથવા પણ લાંબા થઇ જવા 

  • સૂર્યતાપની ગરમી
  • બાયો દવાની દાઝ, વધુ પડતી દવાનો ડોઝ, 
  • ક્લોરીનવાળા ખાતરોનો છંટકાવ. ઉપરથી છાંટવા ના ખાતરો ક્લોરીન મુક્ત ખરીદો 
-- --




Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • મરચીમાં ભૂકીછારો - પાઉડરી મીલ્ડ્યું .
  • મારી મરચીમાં પાંદડા ખરી જાય છે ક્યાં કારણને લીધે પાંદડા ખરે?
  • પાઉડરી મીલ્ડ્યું કૃષિ વિજ્ઞાન નું પાનું
  • ગયા વર્ષે શિયાળાની શરૂઆત થઇ ત્યારે અમારી મરચીના પાન ભૂખરા થઇ ગયા ને મરચી ખાખરી ગઈ હતી શું આ ભુકીછારો છે ? 4
  • થ્રિપ્સ : થ્રીપ્સના નિયંત્રણ માટે બઝારમાં મળતી દવા કઈ કઈ છે ? 8
  • ચીલી કી પાઠશાલા : ખેતીમાં આપણા હાથમાં શું છે ?
  • સફેદ માખી
  • મરચીની ખેતીમાં લાલ મરચા કરતા ખેડૂતને પજવનારો રોગ એટલે એન્થ્રેકનોઝ -2
  • થ્રિપ્સ - ચુસીયા જીવાત
  • ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates