આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા
Excel Industries Bioculum, Biological Inoculum, 1 Kg, Brown: Amazon.in:  Garden & Outdoors





ધરતીનું ધરતી ને પાછું આપવાનો તમને વિચાર આવ્યો તે બદલ ધન્યવાદ.....

જમીન આપણા પાકનો આધાર છે , જમીન આપણી ધરતી માતા છે , વધુ ઉત્પાદન લેવા જમીન ને જીવતી કરવી હશે તો જમીનમાં આપણું ગળતિયું ખાતર બનાવી ને વાપરવું પડશે અથવા જમીનમાં સાદું નહિ ફોર્ટિફાઇડ કરેલું સેન્દ્રીય ખાતર વાપરવું પડશે , આવું ફોર્ટિફાઇડ ખાતર બઝાર 50 કિલો ના પેકીંગ માં એક્સલ કંપની નું સેલરીચ ના નામે મળે છે

જો તમારે ધરતી નું ધરતી ને પાછું આપવું હોઈ તો તમે એક કામ કરો તમારા ખેતર નો એક પણ કચરો બહાર લઇ જવાની મનાઈ કરી દયો અને છાણ અને વાડીના કચરા જેવાકે પાંદડા -ઝડિયા -સાંઠી કે શાકભાજી ના પાન વગેરે ને સેડવી ઝડપી અને વધુ તાકાત વાળું ખાતર બનાવવા માટે જરૂરી એરોબિક બેક્ટરિયા ( વગર પૈસા ના દાડિયા ) જો તમારા પાસે હોઈ તો તમારા ખેત કચરા માંથી કંચન જેવું ખાતર એક મહિનામાં બની જાય અને એ પણ ખુબજ સરસ સોડમદાર

શું કરવું ?

તમારા છાણ અને કચરો જ્યાં નાખતા હો તો તેમાં બાયોક્યુલમ નાખો તેનાથી ઝડપી અને સ્ટ્રોંગ ખાતર બનશે.

કેટલા બેક્ટરિયા નાખવા ?

૫૦ મણ છાણ કે ખેતર નો કુચો હોય તો તેમાં ૧ કિલો બાયોક્યુલમની જરૂર પડે એટલે સાદી ગણતરી કરીએ તો ૧ કિલો છાણ અને કુચા માટે ખાલી ૧ ગ્રામ બાયોક્યુલમ નાખવું પડે.


ભાવ :-

બાયોક્યુલમ નો ૧ કિલોનો ભાવ ફક્ત 250/- રૂ. ( કુરિયર સાથે )
બાયોક્યુલમ અત્યારે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229766 થી મળશે , બાયોક્યુલમ તમે નજીક ના તાલુકા સ્થળે કુરિયર દ્વારા મંગાવી શકો છો ,

નાણાં કઈ રીતે મોકલવા ?

ગુગલ પે, ફોન પે, પેટીએમ , એમેઝોન પે, તથા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા નીચે આપેલ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.



વધુ માહિતી માટે ફોન કરો 9825229766




યાદ રાખો

આ દેખાય નહિ તેવા બેક્ટરિયા ભગવાને ખેડૂતો માટે બનાવેલા વગર પૈસાના દાડિયા છે , તેને ઓળખો અને તમારી વાડી માં કામે લગાડો. આ વગર પૈસાના દાડિયા એટલે બાયોક્યુલમ.

છાણ અને વાડીના કચરાને સેડવી ઝડપી અને વધુ તાકાતવાળું ખાતર બનાવવા વપરાતા એરોબિક બેક્ટરિયા એટલે એક્સેલ કંપનીનું બાયોક્યુલમ.




Book your Advt Here
400 x 90


સર્કોસ્પોરા પાન ના ટપક અથવા
ફ્રોગ આઈ પાનના ટપકા માટે ફુગનાશક જોઈએ કારણ કે આ ફૂગ થી થતો રોગ છે

બજારમાં મળતી દવા

નેટીવો (ટ્રાફ્લોક્ષોસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
સ્કોર (ડાયફેન્કોઝોલ) ૧૫ મિલી / પંપ અથવા
પોલીરામ (મેટીરામ) ૩૦ ગ્રામ / પંપ અથવા
એન્ટ્રાકોલ (પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/ પંપ અથવા
કવચ (ક્લોરોથેનોલીન) ૨૫ મિલી/ પંપ નો અથવા

ઝાઈનેબ અથવા કોપર અથવા બેનોમિલ માંથી કોઈ પણ એક દવા નો પણ ઉપયોગ કરી શકો
Fasal - Smart Agriculture - Fasal in all it's glory helping ...


વૈજ્ઞાનિક ખેતીમાં જો આપણી પાસે તાપમાન, હવામાન, ઉત્સ્વેદન એટલે કે હવામાં પાણી કેટલું ઉડી જાય છે તે જમીનનું તાપમાન કેટલું છે તે જમીનમાં ભેજ કેટલો છે તે માપવાના સ્વતંત્ર હવામાન વેધર સ્ટેશન ૩૭૦૦૦ થી ૪૫,૦૦૦ સુધીમાં પોતાની વાડી એ અપનાવી શકાય છે. વધુ વિગત માટે વાંચતા રહો આજની ખેતી બ્લોગ અથવા પોસ્ટ મુકાયા ની જાણ કરતી અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત

હવામાન માપક સાધનો થી હવામાનના બદલાવ થી આવતા રોગ, જીવાત, હિમ વર્ષા, ઝાકળ ની આગોતરી જાણકારી મળે છે તેના લીધે જંતુનાશક દવા, ફૂગનાશકના ઓછા ખર્ચે સારું- સમયસર નિયંત્રણનો લાભ મળે છે.
ચાલો ભલે આવા મોંઘા સાધનો ના અપનાવીએ પણ તમારી વાડીએ થર્મોમીટર તો વસાવી શકો કે નહિ ? જે 300 થી 600 રૂપિયાનું આવે તે તો લગાડી શકો કે નહીં. ? અથવા ગુગલ વેધર ને ફોલો કરો અને ના કરો તો દવા ના વધારે પડતા ખરચ કરો તમારી મરજી છે

કયાં વાતાવરણ ને લીધે ક્યાં રોગ કે જીવાત આવવાની શક્યતા છે તે ની સમજણ અને જાણકારી મેળવવા વાંચતા રહો ટેલિગ્રામ ચેનલ -ખેતર ની વાત

400 x 90

થ્રીપ્સ તમારા ખેતરમાં છે તો તે કઈ અવસ્થામાં છે? થ્રીપ્સના ઈંડા પાન ચીરીને એટલેકે સ્લીટ મારી ને થ્રીપ્સએ મૂક્યા હોય બીજા દિવસે તેમાંથી બચ્ચા બહાર આવી જાય છે. હવે સમય જોવો પડે, જો ઈંડા અંદર છે. તો ટ્રાન્સલેમીનિયર દવા જેવીકે સ્પીનોસાડ, ઈમીડાક્લોપ્રીડ, થાયોમીથોકઝામ વગેરે ચાલે

પણ જો ઈંડામાંથી બચ્ચા બહાર આવી ગયા તો પછી હવે સીસ્ટેમિક દવા છાંટવી પડે, તમારા વેપારી મિત્રોને પણ સમજાવો કે દવામાં લાગઠ ન ચાલે, મારે જેવી પરિસ્થિતિ તેવી દવા જોઈએ, ખેતરે ખેતરે જુદી વાત હોય

-




Newer Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • મરચી મૂળ અને થડ પાસે ગળું પડે છે શું કારણ હશે ?
  • વરસાદ પછી મરચી માં શું કરવું ? કઈ ચાર વાત ખાસ કરવી ?
  • મરચીનો ડમ્પિંગ ઓફ - રોપનો સુકારો ઉગસુક
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીની ખેતીમાં વાતાવરણીય અસર
  • વરસાદ પછીની માવજત - ૧૮ - મરચી નો સુકારો - ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ?
  • ટેકો આપવો - ફાલ ખરણ - ફૂલો લાવવા -બ્લોસમ રોટ
  • વરસાદ પછીની માવજત - ૧૭- મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો
  • આજનો પ્રશ્ન : મરચી માં વાવેતર પછી 15 દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?
  • * મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates