આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

Total Pageviews


મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,

આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.




-- --





મરચીના પાકમાં શરુ શરૂમાં નીચેના પાન પીળા પડે અને થોડા વખતમાં જ લીલો છોડ આખો ઉભે ઉભો સુકાય જાય આવી પરિસ્થિતિ માટે ફયુઝેરીમ રોગકારકને જમીનનું તાપમાન જો ૩૨૦ સે. થી વધુ મળે અને જમીનમાં રોગકારક હોય અને વધુ પડતો ભેજ જમીનમાં હોય તો ફ્યુઝેરીયમ વિલ્ટ ફાટી નીકળે છે. ઉભે ઉભા એટલે લીલેલીલા છોડ સુકાય જાય છે. આ રોગ જે જમીનમાં આવતો હોય ત્યાં વર્ષો સુધી ટકે છે. આ રોગ ખેતીના સાધનો દ્વારા, પાણી દ્વારા પ્રસરે છે.















બીજ માટેનો 4R ખ્યાલ રાખો તો તમને  ખાતરી મળે  છે કે પાકમાંથી શ્રેષ્ઠ મળશે 


1️⃣ યોગ્ય બીજ - સફળતાનો પાયો

✅ વિવિધ આબોહવા અને જમીન માટે તૈયાર કરાયેલ ઉચ્ચ ઉપજ આપનારા હાઇબ્રિડ બીજ       પસંદ કરો .
✅ મજબૂત પાક માટે શ્રેષ્ઠ અંકુરણ, આનુવંશિક શુદ્ધતા અને બીજનો વિગર ખાસ જુવો .
✅ પાકના નુકસાનને ઘટાડવા માટે જંતુ અને રોગ પ્રતિકાર જાતની પસંદગી કરો. 

✅ પ્રમાણિત અને પરીક્ષણ કરાયેલ માન્ય કંપનીનું બીજ લેજો .

2️⃣ યોગ્ય સ્થળ -પાક ફેરબદલી અને જમીનની પસંદગી 

✅ શ્રેષ્ઠ પ્રદર્શન માટે યોગ્ય ક્ષેત્ર અને માટીનો પ્રકાર પસંદ કરવો.

✅ ઉપજ વધારવા માટે શ્રેષ્ઠ છોડની સંખ્યા અને અંતર જાળવવું ખાલા પુરવા .
✅ જમીનના સ્વાસ્થ્યને વધારવા માટે મિશ્ર પાક માં કઠોળ પાક અપનાવવા  
✅ ટકાઉપણું માટે વરસાદી અને સિંચાઈવાળી પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવું.

3️⃣ યોગ્ય સમય - સમયસર વાવેતર અને લણણીની ખાતરી કરવી

✅ મજબૂત ઉગાવા માટે શ્રેષ્ઠ સમય અને મોસમ અનુરૂપ અને જમીનની સ્થિતિમાં વાવણી.
✅ વધુ નફાકારકતા માટે બજારની માંગ જોઈને  વાવેતરને કરવું.
✅ વધુ સારા પાક સ્વાસ્થ્ય માટે સમયસર ખેત કામગીરી અને કૃષિ વ્યવહારો.
✅ ગુણવત્તા જાળવવા અને મહત્તમ વળતર મેળવવા માટે યોગ્ય તબક્કે લણણી.

4️⃣ યોગ્ય વ્યવસ્થાપન - શ્રેષ્ઠ ઉપજનું સંવર્ધન

✅ બીજ માવજત અને જીવાતો અને રોગો સામે રક્ષણ.
✅ શ્રેષ્ઠ વિકાસ માટે સંતુલિત પોષણ અને સચોટ સિંચાઈ.

✅ સ્વસ્થ પાક માટે સંકલિત નીંદણ અને જીવાત નિયંત્રણ.
✅ બીજની ગુણવત્તા અને ખેડૂતની નફાકારકતા સુનિશ્ચિત કરવા માટે લણણી પછીનું સંચાલન.







આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.





થ્રિપ્સ જીવાત ક્યારે ઈંડા મૂકે અને ક્યાં મૂકે તે આપણને ખબર છે કરણ કે આગળ આપણે જોઈ ગયા .થ્રિપ્સ ઈંડા પાંદડામાં ખાંચ કરીને  અંદર ઈંડા મૂકે અને તે બેદિવસમાં સેવાઈને બચ્ચા બહાર આવી જાય . જો ઈંડા ને મારવા હોય તો ટ્રાન્સ્લેમીનીયર એટલે કે આંતરપ્રવાહી , આ દવા ઈંડાનાશક એટલે ઓવિસાઈડ કામ આવે છે.બચ્ચા બહાર આવી ગયા પછી આ દવા નહિ ચાલે ત્યારે કોન્ટેક્ટ દવા છાંટવી પડે  

આ દવા સમય પ્રમાણે છાંટવી જોઈએ , ઈંડા અવસ્થા પુરી થયા  પછી નહિ
આવી દવાની વાત કરીએ તેમાં પાંચ દવા નોંધો ,

ક્લોથીયાનીડીન,
ફીપ્રોનીલ,
ઈમીડાક્લોપ્રીડ,
પાયરીપ્રોક્ષીફેન
ઈટોફેનપ્રોક્ષ
વગેરે છે

400 x 90





થ્રિપ્સનું અત થી ઇતિ  ? મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 





-- --






બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...




400 x 90

ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમેટિક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે બે પાંદડા વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેલી લીફ માયનર પાનમાં (સર્પોલીયું) લીટા કરતી જીણી જીવાત. ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં શોષાય અને પાનમાં ઊંડે સુધી ઊતરી જાય.

સીસ્ટેમિક એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય તેવી દવા અથવા ફુગનાશક

ટૂંકમાં આ બંને દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?








થ્રિપ્સ ઈંડા ક્યારે મૂકે શું તમને ખબર છે ? મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 








-- --





થ્રીપ્સ એક નાનકડી અને મરચીને નુકશાન કરતી ટચુકડી જીવાત છે જે પાનની નીચે રહી ઘસરકા કરીને પાનનો રસ ચૂસે છે થ્રીપ્સનું લાર્વા એક્ટીવ હોતું નથી. પરંતુ પુખ્ત થ્રીપ્સ અડધા મીમીનું હોય છે. તે પાંદડાને નુકશાન કરે છે. આ પુખ્ત અંદાજે ૨૦ દિવસ જીવે છે. રોજના ૨ થી ૧૦ ઈંડા ઉપરના નવા પાંદડા ની અંદર સ્લીટ મારી ને મુકે છે. આ ઈંડા ૨ થી ૭ દિવસમાં બચ્ચા બહાર આવે છે. થ્રીપ્સના લીધે મરચીનું ૩૦ થી ૫૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે.

લીફ કર્લ ફેલાવવામાં પણ થ્રીપ્સ ઘણો ભાગ ભજવે છે. ખેતરમાં આંટો મારતા તમને એક પાન દીઠ ૩ બચ્ચા અથવા ૧ પુખ્ત દેખાય તો તરત જ દવા છાંટવી જોઈએ. થ્રીપ્સનું પુખ્ત પછી પ્યુપા (કોશેટા)માં જઈને જમીન ઉપર પડીને ૨૫ મીમી ઊંડું જતું રહે છે. ત્યાં ૩ થી ૬ દિવસમાં બહાર આવી ફરી એકડે એકથી નવું જીવન ચક્ર શરુ કરી પાકને નુકશાન કરતુ રહે છે.

થ્રીપ્સ ઘણા પ્રકારના વાયરસને ફેલાવવામાં મદદ કરે છે. જેવા કે CLCV, TSV, WsMoV, MYSV અને CaCV જેવા વાયરસ.








નુકશાન :

થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે, પાન કુકડાઈ જાય છે, વધુ ઉપદ્રવ થાય તો છોડ નુકશાની માંથી બહાર આવી શકતો નથી તેથી ઉત્પાદન ઘટે છે , ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે ઈંડા મૂકે છે જીવાત મરચીમાં સપ્ટેમ્બરથી માર્ચ સુધી વધારે નુકસાન કરે છે. થ્રીપ્સના વધુ ઉપદ્રવ માટે સૂકા, ગરમ તેમજ ઓછું ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે.


વ્યવસ્થાપન :
ખેતરમાં રોજ બિલોરી કાચ લઈને આંટોમારીને સ્કાઉટીંગ કરો કારણકે દુશ્મનને તેની નબળી કડી માં મારવો જોઈએ એટલે કે થ્રીપ્સના ઈંડા ક્યારે મુકાય અને ક્યા મુકાય તે ખબર હોય તો થાય ! શું તમને ખબર છે ? થ્રિપ્સ કઈ કાગળનો લખે કે હું તમારી મરચીમાં એટેક કરવાની છું

દાખલા સાથે સમજીયે દા .ત . તમારા વાડીના થર્મોમીટર પ્રમાણે અથવા ગુગલ ડેટા પ્રમાણે ગઈ રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ હતું અને આજે રાત્રે વાદળાં આવી જાય , વરસાદ નથી અને મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે ?

રાત ઠંડી હશે કે ગરમ ? રાતે વાદળ હોય એટલે આખા દિવસની જમીનની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે ઓછી નહિ થાય અને રાત્રે ગરમી વધશે , હવે અહીં સમજવાનું છે .....જો રાતનું મિનિમમ તાપમાન ગઈ રાત કરતા 3 ડિગ્રી થી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે, થ્રિપ્સની માદા પાનની અંદર સ્લીટ -ખાંચો કરીને ઈંડા મૂકે છે આ ઈંડા એક બે દિવસે ફૂટશેને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....

આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રીના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો , જો આટલા જાગરૂક રહેશો તો તમારી મરચી થ્રિપ્સમાં મોટા નુક્શાન માંથી બચી જશે .

જીવન ચક્ર :
હવે થ્રિપ્સ નું જીવન ચક્ર સમજીયે તો જીવાતને ક્યાં સ્ટેજ માં મારવી તેનું આયોજન કરી શકીયે , જીવાંતના મોટા મોટા 4 સ્ટેજ હોય છે, ઈંડા -બચ્ચું -કોશેટો -પુખ્ત . આપણે વાત કરી ગયા તેવું વાતાવરણ થયું એટલે નર માદા નું સંવનન થાય ને માદા રાતે ઈંડા મૂકે આ ઈંડા ફૂટે( 2-4 દિવસ ) એટલે એમાંથી લાર્વા નાનું બચ્ચું ( 1-2 દિવસ ) લાર્વા મોટુ થાય મોટું બચ્ચું (2-4 દિવસ) આ 6 દિવસ આપણ ને જોરદાર નુકસાન કરી જાય પછી લાર્વા પ્યુંપા તરીકે જમીન પડી જાય ને ( 1-5 દિવસ ) અને તેમાંથી ફરી વાતાવરણ થાય એટલે પુખ્ત બહાર આવે ને પાછા નર માદા મળે ને આ ચક્ર ચાલ્યા કરે .

ઈંડા મારવા ટ્રાન્સલેમીનીયર ઈંડાનાશક દવા છાંટો તો ઈંડાનો નાશ કરી સફળતા મેળવી શકાય પણ ઈંડા મુકાય ક્યારે તે જ કામ આવે બીજા દિવસે બચ્ચા બહાર આવી જાય તો પછી તેને મારવા માટે ટ્રાન્સ્લેમીનિયર નહિ ચાલે તેના માટે હવે કોન્ટેક્ટ ઇન્સેક્ટીસાઈડ એટલે કે સ્પર્શ કરેને મારે તેવી દવા છાંટવી પડે

નિયંત્રણ :

ડેનીટોલ મિયોથ્રિન ( ફેનપ્રોપેથ્રીન ) અથવા
રીઝન્ટ - જંપ (ફીપ્રોનીલ) અથવા
ડેલિગેટ (સ્પીન્ટોરમ ) અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) અથવા
સ્પીન્ટોર -ટ્રેસર (સ્પીનોસાડ) અથવા
મોવેન્ટો (સ્પાયરોટેત્રામેટ ) 
સિમોડીશ 
વારાફરતી પ્રયોગ કરવો.








Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • વરસાદ પછીની માવજત - ૫ - એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે ?
  • વરસાદ પછીની માવજત - ૭ - મરચીના પાકમાં ભર ચોમાસાના દિવસોમાં કઈ બે વાત નું ધ્યાન રાખવું
  • રાત્રે વાદળ આવે અને ગઈ રાત કરતા 3 ડિગ્રી ગરમી વધે તો મારી મરચી માં કઈ જીવાત ઈંડા મૂકે ?
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • વરસાદ પછીની માવજત - ૧ - મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ?
  • મરચી માં આવતા વિવિધ રોગો અને જીવાતો સામે જતુંનાશક દવાનો ખુબ મોટો ખર્ચ થાય છે તે ઘટાડવો કેવી રીતે ?
  • વરસાદ પછીની માવજત - ૪ - આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે ?
  • થ્રિપ્સ : મરચી માં લાગતી થ્રીપ્સ માટે બજારમાં કઈ કઈ દવા ઉપલબ્ધ છે ? 7
  • સુક્ષ્મ તત્વ અને પોષણની ઘટ છે તે છોડવો આપણને કેવી રીતે કહે? ?
  • મરચી સારી બનાવવા માટે PSAP ખાતર છે ખાસ - વધારો ઉપજ આ વર્ષે ખાસ
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates