દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય
મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો
ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું
સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?
મને ખબર છે તમારો જવાબ ના છે
તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ......
આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો
આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો .....
જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો
હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે
નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે
કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત
--
--
ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ?
ભૂકીછારો ક્યારે આવે ?
નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી.
જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે ,
હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો
અથવા
મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે યાદ રાખજો,
સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખાતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -
મરચી ના પાંદડા પર આપણે કેમિકલ ઇન્જુરી ખોટી દવા કે દવાના મિશ્રણ નું નુકશાન ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
આપણે કેવા ખબર છે ? આપણે અભ્યાશ બહુ ઓછો કરીયે અને ડાયરી પણ રાખીયે નહિ
આપણે બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટીએ
અથવા
ઘણી વાર પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બે કે ચાર દવા ને મિક્સ કરી ને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી
આવું થાય ત્યારે કેટલું નુકશાન જાય તેની આપણને જરાય ખબર નથી બોલો,
છોડ આ આઘાત કે નુકસાની માંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ
મરચી માં ટબુકોનાઝોલ અને મેટાલેકઝીલ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
ટેબુકોનાઝોલ સાથે કોપર હાઇડ્રોક્સાઇડ કે કોપર ઓક્સીકલોરાઇડ ભળતું નથી
મેટાલેકઝીલ સાથે કોપર કે માઇક્રોનાઇઝડ સલ્ફર કે લૂફેનયુરોન કે થાયોડિકાર્બ ભેળવવું નહિ
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?
કારણ મરચી તો તમારી છે ને તેમાંથી તમારે આવક મેળવવા ની છે તો પછી કાળજી તમારી હોવી જોઈએ ને દવાના વેપારી ની ?
વિચારજો , વાંચતા રહો આજની ખેતી ચેનલ
--
--
તમે મરચી વાવી છે , તમે લીલા મરચા તોડીને વેજિટેબલ માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો , દલાલ તમારા મરચાનું વજન કરે છે , દા .ત . તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા . તમારી જમીનમાંથી આ 1000 કિલો મરચાં એ કેટલો ઉપાડ કરીને તમારી જમીનમાંથી શું ઓછું કર્યું ?
વૈજ્ઞાનિકો કહેછે કે 1000 કિલો મરચા પકાવવા છોડ જે ખાતર ઉપાડે તેને ક્રોપ રિમૂવલ કહે છે , હવે કહો તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમારા ખેતર માંથી શું વપરાયું ?
નોંધ કરી રાખો એક ટન લીલા મરચા પકાવવા તમારી જમીનમાંથી નીચેમુજબનું ખાતરનું રિમૂવલ થાય છે
5 કિલો નાઇટ્રોજન, 2 કિલો ફોસ્ફરસ,7 કિલો પોટાશ
અને 900 ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વોના રૂપમાં અને થોડા સૂક્ષ્મ તત્વો
તમારી જમીનમાંથી ઓછું થયું ત્યારે 1000 કિલો તોડાઈ શક્ય બની .
હવે તમે આ ખાતરની પૂર્તિ તમે ના કરો તો શું થાય ? અને હા , તમારે જો સૂકા મરચા કરવા હોઈ તો સૂર્યપ્રકાશમાં કણ ચડેલા કેટલા મરચા સુકાવવા પડે ત્યારે 50 મણ ખોખા થાય ? તો પછી ક્રોપ રિમૂવલ ના આધારે તમારી જમીનમાં પોષણ ઉપલબ્ધી માટે કેટલું ફર્ટિગેશન આપવું પડે વિચારજો . રિમૂવલ ડેટા હવે તમારી પાસે છે એટલે માંડો અને વિચારો કેટલું ઉત્પાદન લેવું છે ?