આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

Total Pageviews



તમે મરચી વાવી છે , તમે લીલા મરચા તોડીને વેજિટેબલ માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો , દલાલ તમારા મરચાનું વજન કરે છે , દા .ત . તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા . તમારી જમીનમાંથી આ 1000 કિલો મરચાં  એ કેટલો ઉપાડ કરીને તમારી જમીનમાંથી શું ઓછું કર્યું ? 

વૈજ્ઞાનિકો કહેછે કે 1000 કિલો મરચા પકાવવા છોડ જે ખાતર ઉપાડે તેને ક્રોપ રિમૂવલ કહે છે , હવે કહો તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમારા ખેતર માંથી  શું વપરાયું ?

નોંધ કરી રાખો એક ટન લીલા મરચા પકાવવા તમારી જમીનમાંથી નીચેમુજબનું ખાતરનું રિમૂવલ થાય છે
5 કિલો નાઇટ્રોજન, 2 કિલો ફોસ્ફરસ,7 કિલો પોટાશ
અને 900 ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વોના રૂપમાં અને થોડા સૂક્ષ્મ તત્વો
તમારી જમીનમાંથી ઓછું થયું ત્યારે 1000 કિલો તોડાઈ શક્ય  બની .

હવે તમે આ ખાતરની પૂર્તિ તમે ના  કરો તો શું થાય ? અને હા , તમારે જો સૂકા મરચા કરવા હોઈ તો સૂર્યપ્રકાશમાં કણ ચડેલા કેટલા મરચા સુકાવવા પડે ત્યારે 50 મણ ખોખા થાય ? તો પછી ક્રોપ રિમૂવલ ના આધારે તમારી જમીનમાં પોષણ ઉપલબ્ધી માટે કેટલું ફર્ટિગેશન આપવું પડે વિચારજો . રિમૂવલ ડેટા હવે તમારી પાસે છે એટલે માંડો અને વિચારો  કેટલું ઉત્પાદન લેવું છે ?









પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે



એફીડોપાયરાપેન

સાયન્ત્રાનીલીપરોલ

ફ્લોનીકામીડ

એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ) 


પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા


કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ


400 x 90





મરચીમાં પોચો સડો: 

  • બેક્ટેરીયલ સોફ્ટ રોટ- પોચો સડો
  • ગ્રે મોલ્ડ ના લીધે 

 








મરચીમાં પાંદડામાં કાણાં પડ્યા નું કારણ : 
  • ગોકળગાય, ઈયળ, ઢાલીયાનો ઉપદ્રવ હોઈ શકે અથવા 
  • મેંગેનીઝ તત્વની ખામી હોઈ શકે 

વધુ માહિતી માટે વાચતા રહો 


 












ChiLCV ચીલી લીફ કર્લ વાઈરસ એ મરચી ઉગાડનાર ખેડૂતની સૌથી મોટી સમસ્યા છે તેનું નિયંત્રણ કરવા માટે જંતુ દવા દ્વારા સફેદ માખીનું નિયંત્રણ સતત કરવું તે ખૂબ મહત્વનું છે

બીજના ઉગવાથી શરૂ કરી રોપ કરો ત્યારે રોપ ની નર્સરી ઉપર 40 થી 50 મેશ ની ઇન્સેક્ટ નેટ અથવા તો ગ્રો કવર લગાડો , સફેદમાખી આ વાઇરસ ફેલાવ્યા કરે છે એમાંય જેના રોપમાં સફેદમાખી આવી તેને કુકડ આવ્યો જ સમજો

આ કૂકડ પાંદડાની નસો પીળી પાડે છે પાન ઉપરની તરફ કુકડાઈને વાટકા જેવા થઇ જાય છે અથવા તો પાનની કિનારી વળી જાય છે

મરચીના ઉપરના પાન ઝુમર જેવા થઇ જાય છે છોડનો વિકાસ અટકી જાય છે વેપારીઓને સમજાતું નથી કે શું કરવું ? તેથી એક નહીં બે નહીં પાંચ પાંચ દવાનું મિશ્રણ છાંટવાની ભલામણ કરે છે ઘણા તો જીબ્રેલીક એસિડનો સ્પ્રે કરાવે છે

પણ સાચું શું ?


સાચું છે સફેદ માખીનું પહેલાથી નિયંત્રણ મરચીમા ફરતે જુવાર/મકાઈના ચાસ કરો અને વચ્ચે વચ્ચે જુવાર/મકાઈના ચાસ કરો અને તેમાં નિયમિત દવા છંટકાવ કરો.

સફેદ માખીના નિયંત્રણ માટે અસરકારક પગલા લ્યો

તમારા ખેતર માં પીળા સ્ટીકી ટ્રેપ -ક્રોપ ગાર્ડ લગાડો 10 પ્રતિ એકર - 9825229766



લાનો (પાયરોપ્રોક્સિફેન) 9 મિલી / પંપ અથવા

ડેનીટોલ ( ફેનપ્રોપેથ્રિન ) 8 મિલી /પંપ અથવા

પેગાસસ (ડાયફેન્થુંરોન )૧૫ ગ્રામ / પંપ અથવા

ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨૫ મિલી/પંપ અથવા

સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨૫ મિલી/ પંપ અથવા


મિયોંથ્રીન

વારાફરતી ઉપયોગ કરવા.



400 x 90


-- --







ફર્ટીગેશન એટલે ડ્રીપમાં ખાતર આપવું, ડ્રીપ દ્વારા ફર્ટીગેશન અથવા ન્યુટ્રીગેશન આપી મબલક ઉપજ મળી શકે છે. પરંતુ જે ખાતરો આપવાના છે અલગ માત્રાના તે ખાતરો વેન્ચુરી અથવા ટેંકમાં ભેળવવા પહેલા ઓગળવાના હોય છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે કારણકે તેવું ન કરવામાં આવે તો ડ્રીપર ચોકઅપ- બંધ થવાના પ્રશ્નો આવી શકે.,

કોઇપણ ખાતર હોય તેને એકસરખા પાણીમાં ઓગળવાને બદલે ખાતરના પ્રકાર પ્રમાણે જુદા જુદા જથ્થામાં પાણી લેવું પડે છે. કારણ કે બધાજ ૧ કિલો ખાતરને તમે એક લીટરમાં ઓગાળી ન શકો હા કેલ્શિયમ નાઈટ્રેટ હોય તો શક્ય બને પરંતુ પોટેશિયમ નાઈટ્રેટ (૧૩-૦-૪૫) હોય તો ૮ ગણું પાણી લેવું પડે પોટેશિયમ ક્લોરાઈડ (૦-૦-૫૦) હોય તો ૩ ગણું પાણી જોઈએ, આપણને ખબર છે કે ફોસ્ફરસ ખાતરો પાણીમાં ઓગળતી વખતે અઢીગણું પાણી લઇને સોલ્યુશન બની શકે છે આવા સોલ્યુશન અલગ અલગ વાસણ કે ડોલ કે ડ્રમ માં બનાવીને વેન્ચ્યુરી દ્વારા ચડાવવા જોઈએ. વધુ ફર્ટીગેશન ની વાતો માટે વાચતા રહો મારો બ્લોગ આજ ની ખેતી











     








આ મચ્છર જેવી જીવાત મરચીમાં ઘણું નુકશાન કરી શકે
સાવધાન



મરચી ઉગાડનાર ખેડૂતો સારા સમાચાર ક્યારે ગણાય ?
જયારે તેની મરચી તંદુરસ્ત હોય ,
મરચીની સારી જાત વાવી હોય ,
મરચી ની ઉપજ વધુ મળે તેવા ખાતરો ના પ્રયોગ વિશેની ખબર હોય
મરચીના ઉત્પાદન વધુ લેવા યુરિયાનો પ્રયોગ એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ના થાય તે જોવું
કોઈ કહે અમારું આ ખાતર વાપરો
કોઈ કહે અમારું ઓર્ગનિક ખાતર વાપરો


કરવું શું ?


ઉપજ વધારવી છે પણ ખોટું ખાતર વપરાય જાય તો પણ જોઈએ તેટલો ફાયદો થાય નહિ
તમારી મરચી જમીનમાંથી તમે આપેલું ખાતર મેળવે છે તે મૂળ મજબૂત હોવા જોઈએ
મરચી નબળી હોઈ તો મૂળના સારા વિકાસ માટે મરચીના થડે થડે ઝેનક્રેસ્ટનું  માઈકોઝેન નું  ડ્રેનચિંગ કરો
પછી જુવો કમાલ , મરચી થશે ફૂલફટાક .
મરચીના મૂળ જ એવા હોય કે જે ખાતર આપો કે તે સીધું આપણા મરચાનું વજન વધારે 


રોગના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 
 આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો 


પીએસએપી નવા ખાતર વિશે જાણી રાખો

એક વિશિષ્ટ પ્રકારનું નવું મોલેક્યુલ કે જેમાં આપણે જોઈએ છે તે પોટેશિયમ અને એક્ટીવ ફોસ્ફરસ છે. પીએસએપી એ ટોનિક નથી પરંતુ છોડને રક્ષણ આપતી રસી  છે. વધુ વિગત માટે મોબાઇલ કરો  - 9825229766

પીએસએપીના પ્રયોગ પછી છોડમાં શું થાય છે ?

૧. છોડ જીવાત અને રોગ સામે ન છાંટેલા છોડ કરતા 70% જેટલો અલગ પડે છે

૨. પાન લીલા , પહોળા અને તંદુરસ્ત થાય છે.
૩. નવી ફૂટ સાથે પુષ્કળ ફળ લાગતા રહે છે.
૪. મરચીના છોડમાં લાગેલા મરચાનું વજન વધે છે

પીએસએપી વાપરવું ક્યારે ?

1. મરચીમાં ફૂલો આવવાનું શરુ થાય ત્યારથી મરચા લાલ થાય ત્યાં સુધી


તમારા મિત્રોને પણ આપણી ટેલીગ્રામ ચેનલમાં જોડો અને તેને પણ આ નવા સમાચાર આપો









Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • કેમિકલ ઇન્જુરીની વાત હવે મને સમજાણી , પ્રવીણભાઈ કોપર ઓક્ઝિક્લોરાઇડ સાથે કઈ દવા ના ભેળવાય ?
  • નફાકારક મરચીની ખેતી માટે ટેલિગ્રામ ડાઉનલોડ કરી ખેતરની વાત ચેનલ સાથે જોડાવા તમારા મિત્રને કહો ,
  • મરચી જીવાત - ફળ અને ફૂલને નુકશાન કરતી - ગલ મીંજ ની આ પોસ્ટ તમારા મિત્રને જરૂર મોકલજો
  • મરચી માં માઈકોઝેન ડ્રેનચિંગ ક્યારે આપવું ? બીજું મરચી માટે એક્ટિવ ફોસ્ફોરસ આપવો એટલે શું ?
  • ડ્રીપમાં ખાતર આપતા પહેલા ખાતર ઓગાળવાની વિધિ શું છે ? ફર્ટીગેશન -૧
  • માઈટસ કથીરી ને કેમ ઓળખવી? તેના લીધે મરચીને શું નુકસાન થાય ? 1
  • મરચીના પાકમાં મરચીનો છોડ ખાતરનો ઉપાડ ક્યારે અને કેટલો કરે છે ?
  • થ્રિપ્સ : થ્રીપ્સના લીધે મરચાં અને પાંદડામાં શું બદલાવ આવી જાય ? 1
  • મરચાના છેડા ઉપર ડાઘ પડે છે શું કરવું ?
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates