આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

Total Pageviews

Powdery mildew, oidium - fungi on your plants | CANNA Australia



ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , પણ જો ભૂલી ગયાતો પાન ખરશે ત્યારે દવા લેવા દોડસો , ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે



શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સી. સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે

આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો,

આ રોગ રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે આવે છે.









યાદ રાખો મરચીમાં જીવાત, ફૂગ, બેક્ટેરિયા, વાયરસની સાથે સાથે તાપમાન, વધુ ભેજ, ઓછો સૂર્ય પ્રકાશ, અપૂરતા પોષક તત્વો, જમીનનો પી.એચ. અને હવા ઉજાસ પણ રોગકારકને ખુલ્લું મેદાન આપે છે એટલે જ કહેવાય  છે કે જે ખેડૂત મરચીના પાકના દુશ્મનને તેની નબળી કડીમાં અથવા તો પાણી પહેલા પાળના સિધ્ધાંત મુજબ નિર્ણય લ્યે છે તે મહત્તમ ખોખા લણી શકે છે.. 







દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,

યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય

મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી


નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા

કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા

એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા

અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ

અથવા

ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.

કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો



ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું


સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?

મને ખબર છે તમારો જવાબ ના છે

તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ......


આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો

આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો .....

જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો

હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે


યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે

નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે

કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત







-- --






થ્રીપ્સનું નિયંત્રણ ક્યારે કરવું? તે ખુબ અગત્યનું છે તેથી ખેતરમાં આંટો મારી સ્કાઉટીંગ કરી ને મરચી ની થ્રેસોલ્ડ લેવલ પ્રમાણે પાંદડા દીઠ કેટલી થ્રીપ્સ છે તેનુ અવલોકન કરતુ રહેવું નહીતર થ્રીપ્સ નો ઉપદ્રવના નુકશાનમાંથી મરચીનો છોડ બહાર આવી શકતો નથી તેટલું થ્રીપ્સ પાંદડા ઉપર ઘસરકા કરીને નુકશાન કરી દે છે. મરચી ની ખેતી બહુ ટેક્નિકલ ખેતી છે , મરચી ની ખેતી નિયમ આધારિત કરો , ક્વોલિટી મરચા પકાવશો તો ફાવશો
થ્રીપ્સના નિયંત્રણ માટે

જંપ (ફીપ્રોનીલ) ૫ ગ્રામ/પંપ અથવા
સ્પીન્ટોરમ અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
ફેનપ્રોપેથ્રીન અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) ૨૫ મિલી/પંપ અથવા
રીઝન્ટ (ફીપ્રોનીલ) ૨૫ મિલી/પંપ અથવા
સ્પીન્ટોર (સ્પીનોસાડ) ૧૫ મિલી/ પંપ અથવા
મોવેન્ટો (સ્પયરોટેટ્રામેટ) ૧૨ મિલી/પંપ વારાફરતી પ્રયોગ કરવો.


400 x 90


ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.

પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.

રોગ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.

આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.

ઉગમણા-આથમણા વાવેતરમાં ભૂકીછારો ઓછો આવે છે કારણ કે હવા ઉજાસ રહે છે.

ભૂકીછારા થી પાન ખરે તે ખેડૂતની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે આપણા ગ્રુપને ખબર છે ,

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?
સમજાય તેવી વાત છે

પાંદડું ખરે ત્યારે તો બહુ મોડું થયું ગણાય મારા ભાઈ , 😅

બોલો ભૂકી છારો ક્યારે લાગે ???? 15 નો તફાવતનો આંકડો યાદ છે ?






ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ?



ભૂકીછારો ક્યારે આવે ?
નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી.

જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે ,


હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો

અથવા

મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે યાદ રાખજો,











સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.

સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.


ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખાતરો  ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ


 પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -

400 x 90
Thrips in Greenhouse Crops - Biology, Damage and Management

થ્રીપ્સ જેવી નાનકડી જીવાત મરચીનો મહાદુશ્મન છે , થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. અન્યથા એકવાર તેનો ઉપદ્રવ ખૂબ વધે તો છોડને ખૂબ જ નુકસાન કરે છે એટલે તો સમયસર થ્રિપ્સ નો કંટ્રોલ કર્યો ના હોય તો ઉત્પાદન ઘટે છે એ આપણા માટે મરચીની ખેતીનો નુકસાનનો સોદો પડી શકે.

થ્રીપ્સનાં નુકસાન માંથી ઘણી વખત છોડ બહાર આવી શકતો નથી. તેટલું નુકસાન આ નાનકડી જીવાત કરી શકે છે. થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે મૂકે છે, પાન કુકડાઈ જાય છે, જો આનું જીવન ચક્ર ની જાણકારી ના હોઈ તો ખેડૂત ખર્ચના ખાડા માં પડી જાય છે ,

દવા ઈંડા માટે જુદી અને દવા નાનકડા બચ્ચા માટે જુદી હોઈ છે એ પણ ખબર ના હોઈ તો ખર્ચ ના ખાડા માં ઉતાર્યા સમજો , તમારા પણ પાર ક્યાં સ્ટેજ ની થ્રિપ્સ છે તે જોજો , દવા લેવા ક્યારે જાવ છો તે મુજબ દવા બદલી જાય છે , સારી અને સાચી દવા વાપરજો , ટેક્નિકલ ક્યુ છે તે જાણજો અને દવા સીલબંધ પેકીંગ માં ખરીદજો , નિયમ આધારિત ખેતી કરો




મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે ...

તમારી વાડી એ થર્મોમીટર છે ? અથવા તમે રોજે રોજ ના તાપમાન ના આંકડા ગુગલ, અશોક પટેલ ની વેબસાઈટ કે મેઘદૂત એપ્પ માંથી નોંધો છો ? જો હા તો તમારી મરચી સારી રહેશે કારણ કે હવામાન અનુસાર તમારે મરચી ની માવજત કરવાની છે નહિ કે બાજુવાળો દવા છાંટે છે એટલે છાંટવી ! એમાંય આ વર્ષે ભાવ સારા રહેવાની શક્યતા છે ત્યારે 

જાગી જજો 


દા ત દિવસનું તાપમાન ૩૫ છે અને રાત્રિનું મીનીમમ ૨૫ છે
તફાવત કેટલો થયો ? ૧૦ સેન્ટિગ્રેડ દવા છાંટવાની જરૂર નથી.

પણ આજે દિવસનું તાપમાન ૩૭ છે અને રાત્રિનું ૨૨ થઈ ગયું તો તફાવત કેટલો થયો ? ૧૫ તો દવા છાંટી દયો.

ચોથા દિવસે દિવસનું તાપમાન ૩૮ અને રાત્રિનું ૨૦ થઈ ગયું તો ફરી દવા છાંટવાનું શરૂ કરો

અથવા

સહેલો ઉપાય તમારી પત્નીના હોઠ અને ચામડી સૂકા હવામાનને લીધે તરડાઈ કે તે પોતાની ચામડી ઉપર નખથી તમારું નામ લખી શકે ત્યારથી ભૂકીછારા માટેની દવા છંટકાવ કરવો

અથવા 15 સેન્ટીગ્રેટ તફાવત વાળું વાતાવરણ જેટલી વાર થાય એટલી વાર ભુકીછારા ની દવા 80 ટકા સલ્ફર છાંટો ,તો તમે ભૂકીછારાના નુક્શાનમાંથી બચી જશો

સારું તે તમારું

પણ મરચી હજુ ઉગે ત્યારથી ભૂકીછારાની દવા છાંટવાની જરૂર નથી એમ મારુ તમને કહેવાનું છે,







મરચી હોય કે ટામેટી વાનસ્પતિક વિકાસ માટે કોઈ પણ પાક ને નાઇટ્રોજન ની આવશ્યકતા હોય છે , નાઇટ્રોજન ની પૂરતી
માટે સારું અને સસ્તું ખાતર યુરિયા છે તે આપણે બધા જાણીયે છીએ એટલે આપણે તેને સમજી ને વાપરવા ને બદલે વધુ
વાપરીને પાક ને નુકશાન કરીયે છીએ

ઘણા ખાતરો મોંઘા હોય છે પરંતુ જરૂરિયાત હોય તો મોંઘા ખાતરો પણ વાપરવા પડે.

દા.ત નાઇટ્રોજન માટે યુરિયા સસ્તુ ખાતર છે અને તે જ વાપરવું જોઈએ પણ
છોડ કંઈ યુરિયા ખાતો નથી તે તો જમીનમાં રહેલા બેક્ટેરિયા ની હાજરીમાંજ એમોનિકલ ફોર્મ અથવા
નાઈટ્રેટ માં રૂપાંતરિત બને છે. પણ જો ૧૨ સે.ગ્રે થી વધુ ઠંડી હોય તો બેક્ટેરીયા ઓછા પ્રવૃત્ત હોય ત્યારે યુરિયાનો લાભ જલ્દી મળતો નથી તેથી આવા વખતે ન છૂટકે એમોનિયમ સલ્ફેટ કે પોટેશિયમ નાઇટ્રેટ વાપરીને લાભ લઈ લેવાય.

વિજ્ઞાન સમજાય તેને ખેતી માં ફાયદો ઘણો થઈ શકે કારણ કે બચત ઘણી થાય છે



Widespread crop damage from dicamba herbicide fuels controversy

મરચી ના પાંદડા પર આપણે કેમિકલ ઇન્જુરી ખોટી દવા કે દવાના મિશ્રણ નું નુકશાન ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ

આપણે કેવા ખબર છે ? આપણે અભ્યાશ બહુ ઓછો કરીયે અને ડાયરી પણ રાખીયે નહિ

આપણે બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટીએ
અથવા
ઘણી વાર પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બે કે ચાર દવા ને મિક્સ કરી ને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી

આવું થાય ત્યારે કેટલું નુકશાન જાય તેની આપણને જરાય ખબર નથી બોલો,

છોડ આ આઘાત કે નુકસાની માંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ

મરચી માં ટબુકોનાઝોલ અને મેટાલેકઝીલ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો


ટેબુકોનાઝોલ સાથે કોપર હાઇડ્રોક્સાઇડ કે કોપર ઓક્સીકલોરાઇડ ભળતું નથી

મેટાલેકઝીલ સાથે કોપર કે માઇક્રોનાઇઝડ સલ્ફર કે લૂફેનયુરોન કે થાયોડિકાર્બ ભેળવવું નહિ


દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?

કારણ મરચી તો તમારી છે ને તેમાંથી તમારે આવક મેળવવા ની છે તો પછી કાળજી તમારી હોવી જોઈએ ને દવાના વેપારી ની ?

વિચારજો , વાંચતા રહો આજની ખેતી ચેનલ




-- --


Book your Advt Here
400 x 90


તમે મરચી વાવી છે , તમે લીલા મરચા તોડીને વેજિટેબલ માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો , દલાલ તમારા મરચાનું વજન કરે છે , દા .ત . તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા . તમારી જમીનમાંથી આ 1000 કિલો મરચાં  એ કેટલો ઉપાડ કરીને તમારી જમીનમાંથી શું ઓછું કર્યું ? 

વૈજ્ઞાનિકો કહેછે કે 1000 કિલો મરચા પકાવવા છોડ જે ખાતર ઉપાડે તેને ક્રોપ રિમૂવલ કહે છે , હવે કહો તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમારા ખેતર માંથી  શું વપરાયું ?

નોંધ કરી રાખો એક ટન લીલા મરચા પકાવવા તમારી જમીનમાંથી નીચેમુજબનું ખાતરનું રિમૂવલ થાય છે
5 કિલો નાઇટ્રોજન, 2 કિલો ફોસ્ફરસ,7 કિલો પોટાશ
અને 900 ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વોના રૂપમાં અને થોડા સૂક્ષ્મ તત્વો
તમારી જમીનમાંથી ઓછું થયું ત્યારે 1000 કિલો તોડાઈ શક્ય  બની .

હવે તમે આ ખાતરની પૂર્તિ તમે ના  કરો તો શું થાય ? અને હા , તમારે જો સૂકા મરચા કરવા હોઈ તો સૂર્યપ્રકાશમાં કણ ચડેલા કેટલા મરચા સુકાવવા પડે ત્યારે 50 મણ ખોખા થાય ? તો પછી ક્રોપ રિમૂવલ ના આધારે તમારી જમીનમાં પોષણ ઉપલબ્ધી માટે કેટલું ફર્ટિગેશન આપવું પડે વિચારજો . રિમૂવલ ડેટા હવે તમારી પાસે છે એટલે માંડો અને વિચારો  કેટલું ઉત્પાદન લેવું છે ?








Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારા રોગ ને લીધે પાંદડા ખરે ? 3
  • ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1
  • થ્રિપ્સ : થ્રીપ્સના નિયંત્રણ માટે બઝારમાં મળતી દવા કઈ કઈ છે ? 8
  • મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? 2
  • મરચીના પાનનું એનાલિસિસ કરવામાં આવે તો શું પરિણામ જોવા મળે છે ?
  • મિત્રો દવા છંટકાવ માં ધ્યાન આપો : ટેબુકોનાઝોલ અને મેટાલિકઝીલ જેવી ફુગનાશક સાથે કઈ દવા નહિ ભેળવવી ?
  • શિયાળા માં યુરિયા ને બદલે નાઇટ્રેટ કેમ વાપરવાનું સમજાવજો ?
  • ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5
  • મરચીના ભૂકીછારામાં કઈ નવી દવા બઝારમાં મળે છે? 6
  • મરચીના છોડ અચાનક સુકાવા લાગ્યા છે. છોડને ઉપાડતા મૂળમાં ગાંઠો થઇ ગઈ છે કયો રોગ હશે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates