આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા



ખેતીમા આપણા કાબુમાં શું છે? આપણા કાબુમાં છે કે પાકની અવસ્થા મુજબ શું કરવું અને શું આપવું તેનું સતત રોજ ધ્યાન આપવું,
ભાવ આપણા હાથમાં નથી પણ ઉત્પાદન વધારવું આપણા હાથમાં છે .

દા ત દુનિયાના કોઈપણ પાક ધાર્યું ઉત્પાદન મેળવવા કેટલું ખાતર તત્વોના રૂપમાં ખાતર જમીનમાંથી કેટલું ઉપાડે તેને ક્રોપ રિમૂવલ ડેટા કહેવાય ,


તમારી જમીન ની ફળદ્રુપતા અને નકામાં તત્વોની હાજરીની માહિતીના આધારે તેમાં વધઘટ કરીને તમારા પાકનો ફેર્ટીગેશન પ્રોગ્રામ બની શકે , જો તમારે ડ્રિપ થી પાણી અપાતું હોઈ તો !

તો તો આપણને ઉત્પાદનની ચાવી મળી ગઈ. જો મારે ૧૦ ટન ઉત્પાદન લેવું હોય તો ક્રોપ રિમૂવલ આંકડાને દસ ગુણીને પાક અવસ્થા પ્રમાણે જરૂરી પોષક તત્વો આપવાના આનું નામ ધાર્યું ઉત્પાદન લેવાની એક ચાવી. ના સાવ એટલું સહેલું નથી એગ્રોનોમીસ્ટ ની મદદ લેવી પડે ભલેને ઈ એકર દીઠ ફી લે


આવી તો મરચાની ખેતી માં ઘણી ચાવી છે બધી મળી જાય તો !!
પણ
આપણને ચાવી ક્યાં જોઈએ છે ?

શું તમે આવતા વર્ષ માટે ચીલી કી પાઠશાલા સેમિનાર કર્યો ? ના , તો જોડાવા માટે 9825229966 ઉપર વોટ્સએપ કરો



વાંચતા રહો ટેલિગ્રામ ની પ્રખ્યાત ચેનલ ખેતરની વાત બીજાને જોડવાનું ભૂલતા નહિ




આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.





મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.


દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે

આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.

પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,

કારણ શું છે ? ઉપાય શું છે ?

અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો

અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો








Powdery mildew, oidium - fungi on your plants | CANNA Australia



રોગકારક :

આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે.
જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય,
સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય,
પાન ખરી જાય .જુવો ચિત્ર પાન ઉપર સફેદ છારી તો ભૂકી છારો , પાનમાં પીળા ધાબા તો તળછારો .


ભૂકીછારો થવાનું કારણ :

ભૂકીછારો 15 થી 27 સેં .સુકું અને ભેજવાળા એમ બંને તાપમાનમાં થાય, ભેજવાળામાં વધુ ફેલાય , 32 થી ઊંચું તાપમાન ભૂકીછારા ને અનુકૂળ આવતું નથી , સૌ પ્રથમ ભૂકી છારો જુના પાનમાં દેખાય છે પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.રોગ લાગ્યા પછી કાળજી લેવામાંના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.ભૂકીછારાથી પાન ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોવી જોઈએ , એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? સમજાય તેવી વાત છે
ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , સમય ચુકી ગયા તો પાન ખરશે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.

ભૂકીછારો ક્યારે આવે ?

શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે તો આપણે શું કરીયે ? વેસેલીન લગાડીયે .
મરચીમાં આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો . જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભૂકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , ટૂંકમાં ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.

બઝારમાં મળતી નવી દવાઓ :

નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા

કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા

એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા

અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ

અથવા

ફ્લ્યૂસીલાઝોલ અને ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.








-- --






-- --




Powdery mildew, oidium - fungi on your plants | CANNA Australia



ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , પણ જો ભૂલી ગયાતો પાન ખરશે ત્યારે દવા લેવા દોડસો , ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે



શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સી. સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે

આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો,

આ રોગ રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે આવે છે.









યાદ રાખો મરચીમાં જીવાત, ફૂગ, બેક્ટેરિયા, વાયરસની સાથે સાથે તાપમાન, વધુ ભેજ, ઓછો સૂર્ય પ્રકાશ, અપૂરતા પોષક તત્વો, જમીનનો પી.એચ. અને હવા ઉજાસ પણ રોગકારકને ખુલ્લું મેદાન આપે છે એટલે જ કહેવાય  છે કે જે ખેડૂત મરચીના પાકના દુશ્મનને તેની નબળી કડીમાં અથવા તો પાણી પહેલા પાળના સિધ્ધાંત મુજબ નિર્ણય લ્યે છે તે મહત્તમ ખોખા લણી શકે છે.. 







દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,

યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય

મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી


નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા

કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા

એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા

અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ

અથવા

ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.

કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો



ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું


સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?

મને ખબર છે તમારો જવાબ ના છે

તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ......


આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો

આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો .....

જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો

હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે


યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે

નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે

કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત







-- --




Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • મરચીમાં ભૂકીછારો - પાઉડરી મીલ્ડ્યું .
  • મારી મરચીમાં પાંદડા ખરી જાય છે ક્યાં કારણને લીધે પાંદડા ખરે?
  • થ્રિપ્સ : થ્રીપ્સના નિયંત્રણ માટે બઝારમાં મળતી દવા કઈ કઈ છે ? 8
  • પાઉડરી મીલ્ડ્યું કૃષિ વિજ્ઞાન નું પાનું
  • ગયા વર્ષે શિયાળાની શરૂઆત થઇ ત્યારે અમારી મરચીના પાન ભૂખરા થઇ ગયા ને મરચી ખાખરી ગઈ હતી શું આ ભુકીછારો છે ? 4
  • ચીલી કી પાઠશાલા : ખેતીમાં આપણા હાથમાં શું છે ?
  • સફેદ માખી
  • ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5
  • તમારા દુશ્મનના ઓળખો - સ્કાઉટીંગ ટીપ્સ
  • મરચીના છોડ અચાનક સુકાવા લાગ્યા છે. છોડને ઉપાડતા મૂળમાં ગાંઠો થઇ ગઈ છે કયો રોગ હશે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates