Showing posts with label પાક સંરક્ષણ. Show all posts
Showing posts with label પાક સંરક્ષણ. Show all posts
ChiLCV ચીલી લીફ કર્લ વાઈરસ એ મરચી ઉગાડનાર ખેડૂતની સૌથી મોટી સમસ્યા છે તેનું નિયંત્રણ કરવા માટે જંતુ દવા દ્વારા સફેદ માખીનું નિયંત્રણ સતત કરવું તે ખૂબ મહત્વનું છે
બીજના ઉગવાથી શરૂ કરી રોપ કરો ત્યારે રોપ ની નર્સરી ઉપર 40 થી 50 મેશ ની ઇન્સેક્ટ નેટ અથવા તો ગ્રો કવર લગાડો , સફેદમાખી આ વાઇરસ ફેલાવ્યા કરે છે એમાંય જેના રોપમાં સફેદમાખી આવી તેને કુકડ આવ્યો જ સમજો
આ કૂકડ પાંદડાની નસો પીળી પાડે છે પાન ઉપરની તરફ કુકડાઈને વાટકા જેવા થઇ જાય છે અથવા તો પાનની કિનારી વળી જાય છે
મરચીના ઉપરના પાન ઝુમર જેવા થઇ જાય છે છોડનો વિકાસ અટકી જાય છે વેપારીઓને સમજાતું નથી કે શું કરવું ? તેથી એક નહીં બે નહીં પાંચ પાંચ દવાનું મિશ્રણ છાંટવાની ભલામણ કરે છે ઘણા તો જીબ્રેલીક એસિડનો સ્પ્રે કરાવે છે
પણ સાચું શું ?
સાચું છે સફેદ માખીનું પહેલાથી નિયંત્રણ મરચીમા ફરતે જુવાર/મકાઈના ચાસ કરો અને વચ્ચે વચ્ચે જુવાર/મકાઈના ચાસ કરો અને તેમાં નિયમિત દવા છંટકાવ કરો.
સફેદ માખીના નિયંત્રણ માટે અસરકારક પગલા લ્યો
તમારા ખેતર માં પીળા સ્ટીકી ટ્રેપ -ક્રોપ ગાર્ડ લગાડો 10 પ્રતિ એકર - 9825229766

લાનો (પાયરોપ્રોક્સિફેન) 9 મિલી / પંપ અથવા
ડેનીટોલ ( ફેનપ્રોપેથ્રિન ) 8 મિલી /પંપ અથવા
પેગાસસ (ડાયફેન્થુંરોન )૧૫ ગ્રામ / પંપ અથવા
ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨૫ મિલી/પંપ અથવા
સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨૫ મિલી/ પંપ અથવા
મિયોંથ્રીન
વારાફરતી ઉપયોગ કરવા.



આપણે જંતુનાશક દવા થી અથવા નિંદામણ નાશક ની આડ અસર અથવા મરચીના પાંદડા પર વિપરીત અસર ની વાત કરી રહ્યા છીએ
આજ નો પ્રશ્ન પણ ખુબ અગત્યનો છે કે પ્રોફેનોફોસ સાથે કઈ દવા ભેળવવી જોઈએ નહિ ?
આપણે તો શું કરીયે છીએ ?
બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટવી ( સમજાયું) ? અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બંને દવા ને મિક્સ કરી ને પાણી નું પ્રમાણ કે છંટકાવ માં વપરાતા પાણી ના પી એચ નું ધ્યાન રાખ્યા વગર ભાગીયાને કહીયે કે છાંટી દે અથવા પ્રમાણ ના જાળવવાથી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને પછી છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ?
આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ
મરચી માં પ્રોફેનોફોસ દવા સાથે કઈ બીજી દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
ક્લોરોથેનોલીન દા .ત કવચ
કોપર હાઇડ્રોક્સાઇડ
કોપર ઓક્સીકલોરાઈડ
માઈક્રોનાઇઝડ સલ્ફર
અને અન્ય

ફાયટોપથોરા બ્લાઈટશું છે તે બરાબર સમજો :
મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે ફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે.
ઉપદ્રવિત છોડના મૂળ, થડ, પાન, ફળ ઉપર કાળો ડાઘ પડે છે, છોડ ઉભો સુકાય છે, પાંદડા પર પહેલા ડાર્ક ગ્રીન ડાઘ પડે છે પછી તે મોટા થાય છે. ફળ ઉપર ઘાટા ડાઘ પડે, પાણી પોચા થાય, સફેદ ફૂગના સ્પોર જોવા મળે,
પાન ખરી પડે છે. પાણી જે તરફ વહેતું હોય તે તરફ રોગ આગળ વધતો દેખાઈ છે.
શું કરવું જરૂરી હતું ?
ચોમાસા ના વાતાવરણ માં સતત ભેજ હોય, પાણી ભરાય રહેતું હોય, બાજુના ખેતરમાં રોગ હોય અને વરસાદનું પાણી ત્યાંથી તમારા ખેતરમાં આવે તો તમારા ખેતરમાં પણ ભવિષ્યમાં રોગ આવે છે....
૨૪ સેન્ટીગ્રેડ થી ૩૩ સેન્ટીગ્રેડ વાળા હવામાનમાં આ રોગ વધુ ફેલાય, તમે ગૂગલ વેધર રોજ જોતા રહેજો , થર્મોમીટર તો તમે વસાવ્યું ?
તમારા ચંપલ અને ખેતીના સાધનો સાથે આ રોગના જીવાણું ચોટીને પણ તમારા ખેતરમાં આ રોગ આગળ વધી શકે.
દવાનું ડ્રેન્ચિંગ કરો.આ વખતના વધુ વરસાદ માં તમારા ખેતરમાં પાણી ભરાય રહ્યું હોય તો તમારે તો ખાસ કરવું પડશે , પાણી પહેલા પાળ બાંધજો
જો તમારા ખેતર માં આ રોગ લાગતોજ હોઈ તો 3-4 વર્ષ આ જમીન માં શાકભાજી કે મરચી કરવી જોઈએ નહિ
ફળ આવે તે પહેલા દવા નું ડ્રેનચિંગ કરવાની તૈયારી રાખજો, મોડું નહિ ચાલે
ડ્રેન્ચિંગ પણ અને છંટકાવ પણ બંને કરવો પડશે
એલીએટ ૩૫ ગ્રામ/પંપ અથવા
પ્રોફીલર ૩૫ ગ્રામ / પંપ અથવા
મેલોડી ડુઓ ૫૦ ગ્રામ / પંપ અથવા
ઇન્વેકશન પ્રો ૨૫ ગ્રામ /પંપ
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
ચાલો જીતો ને જિતાડીએ ,
આ માસ્ટર - કી બીજા ને પણ આપજો
આપણે થોડા વર્ષોથી એમજ માનીયે છીએ કે ખેતીની ચાવી બીજા પાસે છે આપણી પાસે
નથી, પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવસાય કે પછી નોકરી કે પછી ખેતી બધાની
માસ્ટર- કી જો કોઈ હોઈ તો તે છે આ ચાર પ્રશ્નના જવાબ મેળવવા
ખેતી ની કોઈ સમશ્યા હોઈ કે ખેતીની અગવડતા કે મુશ્કેલી હોય ,
આ બધા માટે ઉપર આપેલા ચાર પ્રશ્નો નો જવાબ શોધી કાઢો
એટલે દરેક સમશ્યામાં આ માસ્ટર- કી લાગે છે ,
દા .ત. મરચી માં રોગ આવ્યો છે , મરચી પીળી થઇ ગઈ છે , મરચીના પાનમાં દવા
છાંટ્યા પછી કુક્ડાય ગયા હોઈ , મરચી ને પાણી લાગી ગયું હોઈ કે પછી મરચીમાં
પાનના ટપકા નો રોગ લાગ્યો હોય ,
દરેક સમશ્યા માટે ઉપરના ચાર પ્રશ્નો પૂછો અને જવાબ શોધો
દા. ત. મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે
પ્રશ્ન શું છે ? મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે , પાન ઉપર અનિયમિત આકારના ટપકાં
છે, પાન તોડીને નિષ્ણાંતને દેખાડવું જોઈએ અથવા સારા અને અનુભવી વેપારીને
આ પાન બતાવવું જોઈએ તોજ કારણ શું છે ? જવાબ મળે
આપણને વૈજ્ઞાનિક જવાબ જોઈએ ,
એમનામ કઈ પણ દવા છાંટો એવું નહિ ,
કારણ વૈજ્ઞાનિક સુજ વગર ખોટું નિદાન હોઈ તો ફેરો મોંઘો પડે કારણકે
એક દવા નો ડોઝ ખોટો ....મતલબ આવક માં ઘટાડો
જો સાચું કારણ મળી જાય તો આપોઆપ
ઉપાય શું છે ? નો જવાબ મળી જાય કે વરસાદના પાણી થી સતત પાન ભીના રહેવાથી
અને વાતાવરણ કે હવામાનના બેક્ટેરિયાથી બેક્ટેરિયલ સ્પોટ છે , સર્કોસ્પોરા
નથી તો કોપર સાથે સ્ટ્રેપટો છાંટો તેવો જવાબ મળે
છેલ્લું હું શું કરી શકું ?
હું કઈ કરું નહિ અથવા નિર્ણય મોડો લઉં ,
કે ભાગીયાના ભરોસે રહું તો
સાચી દવા પણ ઘણી વાર મોડી કે અવ્યવસ્થિત છાંટવાથી આપણું કામ સરે નહિ
અને
એક રોગ મોડો કંટ્રોલ માં આવે એટલે પાક ઉત્પાદન માં નુકશાની આપી ને
જાય
માસ્ટર- કી નો ઉપયોગ વારંવાર ખેતી માં કે સાંસારિક જીવનમાં કરતા
રહેજો
અને હા,
હું શું કરી શકું ?
નો જવાબ મળ્યો એટલે તમે સફળ
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
![]() |
|
![]() |

મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .
કેમ ?
હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે
બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !
એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?
એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા
મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય
![]() |
![]() |

કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,
કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
જે ખેડૂતો પિયત વાવસ્થાપન સરખું કરતા નહિ અને તાપમાન વખતે ખેતરમાં ભેજનું પ્રમાણ નહિવત થવાથી કથિરીનો ઉપદ્રવ વધુ થાય છે .તાપમાનના ઉતાર ચડાવ થી કથિરીનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખવું .
ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨0 મીલી/પંપ અથવાવર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મીલી/ પંપ અથવાપેગાસસ (ડાયફ્રેન્થુરોન) ૨૫ મીલી/ પંપ અથવામેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૦ મીલી/ પંપ અથવાઓમાઈટ (પ્રોપરગાઈટ) ૪૦ મીલી/પંપ
અથવા
ફેનપ્રોફેથરીન અથવા
મિલિબેક્ટિન અથવા
પ્રોપરગાયટ અથવા
ક્લોરાફેનપાયર અથવા
બુફ્રોફ્રેન્ઝીન અથવા
લેમડા સાઈહલોથરીન નો પ્રયોગ વારાફરતી કરવો

આપણે કેમિકલ ઇન્જુરી ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
બે ખોટી દવા ગાંધારીની જેમ આખે પાટા બાંધીને લાવવી અને છાંટવી ( સમજાયું) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવાને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચીનો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાનને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણના ઘાવ
મરચી માં કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
આજે આપણે કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ દવા ભળતી નથી તેની નોંધ કરો
મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
હુંમિક એસિડ
અને અન્ય
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? વિચારજો

પ્રશ્ન શું છે ?
કારણ શું છે ?
ઉપાય શું છે ? અને
હું શું કરી શકું ?
આ ચાર સવાલના જવાબ જે ખેડૂત ને મળી ગયા તે મરચીની ખેતીમાં સફળ
આવા ખેડૂત રૂપિયા કમાય બાકીના જોઈ રહે
આજનો પ્રશ્ન
મરચીની ખેતીમાં રોગ આવવાના કારણો અને પરિબળો ક્યાં છે ?
રોગ આવવામાં મદદ કરતા પરિબળો
જેવા કે
ગરમી
દુષ્કાળ -સુકો
પોષણ ની ખામી કે ખાતરની વિપરીત અસરો -દાહક અસરો
કેમિકલ INJURY, ખોટી દવાનો છંટકાવ
મીકેનીકલ INJURY, ખેત ઓજાર કે મજૂરો દ્વારા કે પશુ દ્વારા છોડને નુકશાન
POOR DRAINAGE- પાણી નો ભરાવો-વધુ પડતો સતત ભેજ
જમીનનો અને પાણીનો પી.એચ વધારે કે ઓછો
આસપાસના વાતાવરણ નું પ્રદુષણ
હિમ પડવો-લીવીંગ BIOTIC
પરજીવી નિંદામણ કે છોડ ઉગી નીકળવા વગેરે
આટલું ધ્યાન રાખો તો મણિકા થાય
![]() |
![]() |
![]() |
મરચીના પાકની રસી એટલે કે પી એસ એ પી ખાતરના પરિણામો
અત્યારે વરસાદ ખુબ પડ્યો જેમને ખુબ પાણી ભરાયા અને નિકાલ નથી થયો તેમના માટે તો પાણીના નિકાલ પછી કોઈ આપી શકાય પરંતુ તે ખેડૂતોને પાણી નીકળી ગયા અને ખેતર માં જઈ શકાય તેમ છે તેને શું કરવું તેનો વિચાર કરવા નો સમય છે
પી એસ એ પી ખાતર જેને વરસાદ પહેલા પંપે 150 થી 200 નાખીને થડે થડે કે ઉપરથી સ્પ્રે કર્યો છે તેને વરસાદની સામે મરચી વધું સારી રહી છે તેમણે ફરી પી એસ એ પી દર 10 દિવસે ઉપરથી સ્પ્રે કરવો અને કુક્ડ હોઈ તો 200 ગ્રામ નાખી સ્પ્રેય કરવો
ચાર કામ મરચીના પાક માં ખાસ કરવા
એક : વરસાદ ગયા પછી તરતજ કોપર સાથે સ્ટ્રેપ્ટો સાયક્લીન દવાનો આપણે અગાઉ કીધું તેમ ઉપરથી છાંટવા નો પ્રયોગ કરવો
બીજું : મરચી ના થડે થડે તમારે એકેડિયા કંપનીનું સિવિડ નું ડ્રેનચિંગ કરવું
ત્રીજું : ઉપરથી છાંટવાના ખાતર 19-19-19 પંપે 150 ગ્રામ સાથે ચીલેટેડ માઈક્રો ન્યુટ્રીઅન્ટ નો ઘાટો સ્પ્રે કરવો જેથી અત્યારે મૂળિયાં કામ કરતા નથી ત્યારે ઉપરથી ખોરાક મળી જાય
ચોથું : મરચી ને વધુ સારી કરવી હોય તો વીઘે 3 કિલો ઝાયટેનિકસ બાયો ફેર્ટીલાઇઝર નું થડે થડે ડ્રેનચીગ કરો , તમારી નજીક ઝયટોનિક્સ ક્યાંથી મળશે તે જાણવા 9825229766 પાર ફોન કરો

પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ ઘાટો છટકાવ થયો ત્યાં
1 - છોડ માં રસી મૂકી હોઈ તેવું થયું
2 - પાન પહોળા થયા
3 - પાનની thickness જાડાઈ વધી - ચુસીયા ઓછા લાગ્યા -રોગ સામે છોડ મજબૂત રહ્યો
પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ નો છંટકાવ - કુક્ડ હતી ત્યાં
1 - કુક્ડ નું જોખમ ઓછું થયું , નવી કૂંપળ માં કુક્ડ નથી
2 - જ્યાં 200 ગ્રામ પ્રતિ પમ્પ ના સતત બે છંટકાવ ચાર દિવસ ના અંતરે થાય ત્યાં કુક્ડ આગળ વધતો અટક્યો
પી એસ એ પી નો છઁટ્કાવ ઘાટો અને પાંદડા ભીંજાય તેમ કરવો , વીઘા દીઠ સ્પ્રે પમ્પ વધતા રહેવા જોઈએ
તમારા મિત્ર ને કહો કે તમારી મરચી ને સારી બનાવવા દર દશ દિવસે પી એસ એ પી છટકાવ કરવા માંગો છો? તમારી મરચી માં પ્રતિકાર શક્તિ લાવી રોગ જીવાત સામે રક્ષણ મળે તેવી મરચી બનાવો7
વધુ વિગત માટે ફોન કરો 9825229766

Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.