Showing posts with label ચુસીયા. Show all posts
Showing posts with label ચુસીયા. Show all posts
આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.
તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.
એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ
એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.
છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766
![]() |
![]() |

મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે ગયા વર્ષે મરચીની ખેતી માં ચુરડા-મુરડા બહુ આવ્યો અને બ્લેક થ્રિપ્સ નું નિયંત્રણ થયું નહિ એટલે અમારું ઉત્પાદન ૫૦ ટકા થઇ ગયું. આ ચુરડા મુરડા કયો રોગ છે? સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે તેને કુક્ડ કહીયે છીએ . કુક્ડ એમનામ નથી આવતો , કુક્ડ આપણી મરચીમાં ત્યારેજ આવે છે જયારે આપણી મરચીમાં ચુસીયા જીવાત ખુબ લાગી હોય એટલે આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. પરપ્રાંતમાં ઓછું ઉત્પાદન આપણને ગયા વર્ષે વધુ ભાવ અપાવી ગયું પણ આ વર્ષે આપણામાં કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર મોટા પાયે થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે
![]() |
![]() |
![]() |


મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .
કેમ ?
હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે
બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !
એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?
એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા
મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય
![]() |
![]() |

જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866
![]() |
![]() |
![]() |


ઠંડીની સીઝનમાં આવતી મોલો-એફિડ નામની પોચા શરીર વાળી જીવાતનો વધુ ઉપદ્રવ થાય તો પાંદડા કુકડાઈ જશે, નવા કુમળા પાંદડામાં જોવા મળતી આ જીવાત પોતાના શરીરમાંથી મીઠો રસ હગાર તરીકે કાઢે છે, જેના લીધે તેમાં પાછી ફૂગ લાગે છે અને છોડ કાળો પડી જશે. મોલોની દવા જેવી કે એકતારા અથવા ડેન્ટોપસુ અથવા એડમાયર અથવા પ્રોફેનોફોસનો પ્રયોગ કરો
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.