કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે.
કથીરી પાન ફૂલ ફળમાંથી રસ ચૂસે છે. પાનને કુકડાવી નાખે છે જે ફૂલમાંથી રસ ચુસ્યો હોય ત્યાં ફળ બનતા નથી.
વધુ નુકસાન થાય તો પાન તાંબાવણૉ થઈ જાય છે્ ફળો પણ કઢંગા થઈને ખરી પડે છે. જ્યારે છોડમાં પાણીની ખેંચ હોય ત્યારે કથીરીનો ઉપદ્રવ વધુ દેખાય છે. કથીરીનું નિયંત્રણ કથીરીનાશક દવાથી કરવાનું હોય છે તે યાદ રાખો
કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,
કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,
આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.
કથીરી માટે સલ્ફર એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.
રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.
કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,
કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
જે ખેડૂતો પિયત વાવસ્થાપન સરખું કરતા નહિ અને તાપમાન વખતે ખેતરમાં ભેજનું પ્રમાણ નહિવત થવાથી કથિરીનો ઉપદ્રવ વધુ થાય છે .તાપમાનના ઉતાર ચડાવ થી કથિરીનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખવું .
ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨0 મીલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મીલી/ પંપ અથવા
પેગાસસ (ડાયફ્રેન્થુરોન) ૨૫ મીલી/ પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૦ મીલી/ પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઈટ) ૪૦ મીલી/પંપ
અથવા
ફેનપ્રોફેથરીન અથવા
મિલિબેક્ટિન અથવા
પ્રોપરગાયટ અથવા
ક્લોરાફેનપાયર અથવા
બુફ્રોફ્રેન્ઝીન અથવા
લેમડા સાઈહલોથરીન નો પ્રયોગ વારાફરતી કરવો