મિત્રો, આપણા પાકને અને આપણી આવક ને સૌથી વધુ નુકસાન કરતી પરિસ્થિતિ એટલે રોગ ,
રોગ આવી ગયા પછી પાન ખરે તે બેક્ટેરિયલ સ્પોટ હોય કે મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝના ડાઘ પડે તે રોગ હોય આ આપણા માટે નુકસાની નો સોદો બને એમાંય આ તેજી
એટલે રોગને તો આવે ત્યાં જ નિયંત્રણ કરવો સારો અથવા આવવાના કારણો જણાય કે તરત જ પગલાં લેવા.
હવે 12 થી 14 કલાક છોડ. ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે ફુગનાશક છાંટવી પડે તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય ભાઈ
ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો 12-14 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાકા ફળો નો આ રોગ આવશે ત્યારે તને 125 રૂપિયા નો પંપ થાય તેવી દવા ના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો , જેટલી વાર પાંદડા સતત ભીના રહ્યા તેટલી વાર છાંટો
છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
મરચીનો એન્થ્રેકનોઝ નામના રોગ નો ચેપ પાણી અને હવાથી ફેલાય છે.
વરસાદી વાતાવરણ અને ઝાકળ થી આ રોગ લાગવાની શક્યતા છે
દા .ત . લીલા મરચા લાગ્યા છે જોરદાર વરસાદ છે સતત ૧૨ કલાક સુધી છોડ ભીનાને ભીના રહ્યા છે તો અથવા ઝાકળથી સતત 12 કલાક ભીના રહ્યા તો
ત્યારે આ રોગનો ચેપ મરચીના ફળમાં લાગે છે.
આપણે ક્યારે દવા છાંટીએ જયારે લાલ મરચા પર ધાબુ દેખાય ત્યારે દવા ક્યારે છાંટવાની જરૂર હતી ?
જયારે તમારી મરચી વરસાદ કે ઝાકળથી ૧૨ કલાક સુધી સતત ભીની રહે ત્યારે ઉઘાડ નીકળતા તરત જ દવા છાંટવાની હતી.
જ્યારે જયારે તમારા ખેતર ની મરચી ૧૨ કલાક સુધી ભીની રહ્યા હોય તો ઉઘાડ નીકળે છે જો આવું થોડા દિવસ પછી ફરી બને તો ફરીવાર ઉઘાડ નીકળે ત્યારે દવા છાંટી દેશો તો તમારા મરચા માં એન્થ્રેકનોઝ ઓછો આવશે.
બીજી વાત દા .ત . શિયાળોમાં જો સાંજે 8 વાગ્યાથી મેઘરવો આવ્યો અને સવારે 8 વાગ્યા સુધી તમારી સિમમાં રહ્યો તો......તો પણ તમારે તરતજ ફુગનાશક ના સ્પ્રે કરવા પડશે
તમારા પ્રશ્ન ના જવાબ માં જણાવવાનું કે એન્થ્રેકનોઝ નામના રોગ મરચીનો ખુબ જ નુકશાન કરતો રોગ છે.
આ રોગ જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે, ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. પણ ખેડૂતોને મરચા લાલ થાય ત્યારે દેખાય છે .
મરચીમાં ફળ લાગે પછી ફળમાં લાગેલી ફૂગના લીધે ટપકા પડે પછી વર્તુળાકારે વધુ ડાઘ પડે તેને એન્થ્રેકનોઝ કહેવાય છે
વરસાદ વખતે પવન થી છોડ હલતા હશે તો મરચી ના થડ પાસે આઈસ્ક્રીમ માં કોન ના આકાર જેવો કોન થશે ત્યાં જો વરસાદ નું પાણી ભરાશે તો મરચી માં રોગ જરૂર લાગશે તેથી છોડ હલે નહિ તે માટે થોડા થોડા અંતરે લાકડાના ટેકા મારી દોરી કે સુતળી થી છોડને ટેકો આપી બાંધીશ તેવું લખો ,
છોડની સંખ્યા મહત્તમ રાખો તો પણ ફાયદો થશે . ડ્રીપ ઈરીગેશનનો પ્રયોગ કરો જેથી ધાર્યું પાણી આપી ને વધુ પડતા ભેજ થી આવતા ફુગ ના રોગો થી બચી શકાય . પુષ્ક્લ ફળ લાગી ગયા પછી એટલે કે પાક અવસ્થા વખતે ધોરીયા ક્યારા પદ્ધતિમાં પાણી વધુ ન અપાય જાય તે જુઓ.
વધુ વિગતો માટે આજનીખેતી વાંચતા રહો, દવા વિષે હવે પછી
આ રોગનું નામ છે એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ.
આ રોગ આવી ગયો હોય છે લીલા મરચા હોય ત્યારે પરંતુ તેના લક્ષણ દેખાય છે મરચા જયારે પાકે ત્યારે અથવા આ રોગના લક્ષણો દેખાય છે જ્યારે લાલ મરચાં થાય ત્યારે .
યાદ રાખી લેજો કે ૧૨ કલાક તમારા છોડ અને લીલા મરચાં વરસાદ થી સતત ભીના રહે અથવા ઝાકળ થી ભીના રહ્યા હોય તો દવા વરસાદ પછી તરતજ છાંટવાની હોય છે , શિયાળામાં ઝાકળ આવે ત્યારે આ વાત યાદ રાખજો
જેટલીવાર ૧૨ કલાક છોડ સિઝનમાં ભીના રહે તેટલીવાર સામાન્ય ફુગનાશક છાંટો તો મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝમાંથી બચી શકાય.આવી ગયા પછી પિયત સાધારણ આપો ડ્રિપ થી આપો , વધુ પડતો ભેજ કે ભેજવાળું ગરમ હવામાન કે માવઠું મરચીને નુકશાન કરી શકે
કવચ (ક્લોરોથેનોલીન) ૪૫ ગ્રામ/પંપ અથવા
કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ /પંપ અથવા
એમીસ્ટાર (એઝોકસીસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
એન્ટ્રાકોલ (પ્રોપીનેબ)૪૫ ગ્રામ /પંપ અથવા
ટેબુકોનાઝોલ 25 મિલી પ્રતિ પમ્પ
વારાફરતી ટેક્નિકલ બદલતા રહો
લાલ મરચાની ખેતી કરનારને એટલે કે સૂકા મરચા ની ખેતી કરતા ખેડૂતો ને મહાપજવનારો આ રોગ ને
એન્થ્રેકનોઝ કહેવાય છે. આ રોગ કોલેટોટ્રીટમ પ્રજાતિના રોગકારકને લીધે થાય છે.
રોગ વહેલો લાગે છે એટલે કે કે મરચી માં ફળ લાગેલા હોઈ ત્યારે વધુ વરસાદ વખતે જો મરચી નો છોડ કે મરચા સતત વરસાદ ના પાણી કે ઝાકળને લીધે ભીનાને ભીના રહ્યા હોય તે છોડ અને તે મરચામાં અન્થ્રેકનોઝ ત્યારે લાગી ગયો હોય છે, સમય જતા પાછળ થી મરચાના ફળમાં પાણી પોચા ડાઘ ગોળાકારમાં પડે છે ફળ પાકે ત્યારે આપણને ખબર પડે છે.
રીંગ આકારે ફળમાં ૩ થી ૪ સેમી સુધી ગોળ ગોળ ડાઘ થતા ફળ નકામાં બને છે. મરચા સુકાય જાય તોય ડાઘવાળા રહે છે તેથી આવું મરચું ફોરવર્ડના નીચા ભાવે વેચાય છે ,
આ રોગ થી ઘણું આર્થિક નુકશાન ખેડૂતો ને જાય છે,
આ રોગને ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. ૨૦ થી ૨૮o તાપમાન અને ભેજવાળું વાતાવરણમાં આ રોગ લાગે છે. થડ ઉપર પણ આ રોગના ડાઘ પડે છે
--
--
એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ
એન્થ્રેક્નોઝ એ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વાલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે.
આ રોગ કોલેટોટ્રીકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન , ફળ અને ડાળીમાં જોવા મળે છે.
ફુગના ચેપનું ટપકું વધીને સમય જતા સર્કલ આકારે મોટું ધાબુ બને છે. આ રોગ પાણી અને હવાથી ફેલાય છે. આની શરૂઆત જમીનમાં પડેલા રોગકારક થી થાય છે.
રોગકારક લાગે છે ક્યારે ? અને દેખાય છે ક્યારે ?
પહેલા ચિત્રમાં તમને દેખાય છે તે લાલ મરચા ઉપર પડેલા ગોળાકાર રીંગ ડાઘ અન્થ્રેકનોઝ રોગનો છે.
બીજા ચિત્રમાં એન્થ્રેકનોઝ નું જીવન ચક્ર જુવો, રોગકારકના સ્પોર જમીન ઉપર પડ્યા છે તેને અનુકૂળ વાતાવરણ મળતા તે પાન કે ડાળી ઉપર કે પછી મરચા ઉપર લાગશે ,રોગકારક છોડ પર લાગે પછી થોડા દિવસો પછી ડાઘ પડે છે , ડાઘ પડ્યો તે દેખાય ત્યાં સુધીમાં બહુ વાર થઇ જાય છે અને પાકને નુકશાન થઇ જાય છે . ફળ ઉપર ટપકા પડે છે તે જતે દહાડે ગોળાકાર રીંગનો ડાઘ પાડે છે. જો બગડેલા ફળોને વીણીને નાશ કરી દેવામાં આવે તો તેનો ફેલાવો ઓછો કરી શકાય છે.
એન્થ્રેક્નોઝનો ચેપ ક્યારે લાગે ?
જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે તેવા સતત વરસાદી વાતાવરણમાં મરચીના ઉભા પાકમાં આ રોગ લાગે છે . ટૂંકમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. રોગના લક્ષણો મોડા દેખાય છે ઘણી વખત તમને મરચું લાલ થાય ત્યારે દેખાય છે. એટલે કે આપણે નિયંત્રણ માટે ખુબ મોડા પડીયે છીએ
પાણી પહેલા પાળ બાંધવા શું કરવું ?
યાદ રાખો હવે જો સતત વરસાદી વાતાવરણ રહ્યું હોય અને જો 12 થી 14 કલાક છોડ વરસાદથી કે ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે સામાન્ય ફુગનાશક છાંટી દયો તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય. વરસાદ પૂરો થયો અને ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક મરચીના પાન ભીના રહ્યા તો ફરી ફુગનાશક છાંટો 11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન રાખો તો મરચીમાં આ રોગ લાગવાની શક્યતા ઘટી જાય નહીંતર મોંઘામા મોંઘી દવાના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો રોજ ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા 12 કલાકથી વધારે સતત ભીના રહ્યા તો છાંટો . મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ અથવા
ડાયફેનકાઝોલ + એઝોસ્ટ્રોબીન 20 પ્રતિ પંપ અથવા
થાયો ફેનેટ મિથાઇલ 25 ગ્રામ પ્રતિ પમ્પ
પ્રશ્ન છે : પાન નો ટપકાં નો રોગ માટે કઈ દવા છંટકાવ કરવો?
જો વરસાદ સતત મરચીના છોડને ભીના રાખે છે સતત વરસાદ થી જેની મરચી 12 થી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી ખરશે ?
મરચી માં આ પરિસ્થિતી થી વાતાવરણ ના બેક્ટેરિયા પાન પર લાગશે , મરચી ના પાન ઉપર ટપક પડશે આને બેક્ટેરિયલ લિફ્ સ્પોટ કહે છે , ટપકા મોટા થશે , કોઈ કાળજીના લીધી તો 15 દિવસ પછી પાન ખરશે , ત્યારે તમે દવા લેવા દોડસો તો તમે 15 દિવસ મોડા છો એટલું યાદ રાખજો
શું કરવાનું ?
જો ૧૪ કલાક છોડ ભીના રહ્યા અને ઉઘાડ નીકળ્યો કે તરતજ સ્ટ્રેપ્ટોસાયક્લીન + કોપર છાંટી દયો.
ફરી ૨ - દિવસ પછી સતત ૧૪ કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો
11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી.
આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાક માં 2 રોગ લાગવા ના એક પાન ના ટપકાં અને બીજો મરચા જયારે લાલ થશે ત્યારે લાલ મરચાનો અન્થ્રેકનોઝ રોગ આવશે ત્યારે તમે 125 રૂપિયા નો પંપ થાય તેવી દવાના છંટકાવ કરસો તોય કાઈ ફેર નહિ પડે તો પછી અત્યારે ચોમાસુ વરસાદમાં ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા સતત 14 કલાક ભીના રહ્યા પછી ઉઘાડ નીકળતા તેટલી વાર છાંટો
છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..