એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ
એન્થ્રેક્નોઝ એ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વાલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે. આ રોગ કોલેટોટ્રીકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન , ફળ અને ડાળીમાં જોવા મળે છે.
ફુગના ચેપનું ટપકું વધીને સમય જતા સર્કલ આકારે મોટું ધાબુ બને છે. આ રોગ પાણી અને હવાથી ફેલાય છે. આની શરૂઆત જમીનમાં પડેલા રોગકારક થી થાય છે.
રોગકારક લાગે છે ક્યારે ? અને દેખાય છે ક્યારે ?
પહેલા ચિત્રમાં તમને દેખાય છે તે લાલ મરચા ઉપર પડેલા ગોળાકાર રીંગ ડાઘ અન્થ્રેકનોઝ રોગનો છે.
બીજા ચિત્રમાં એન્થ્રેકનોઝ નું જીવન ચક્ર જુવો, રોગકારકના સ્પોર જમીન ઉપર પડ્યા છે તેને અનુકૂળ વાતાવરણ મળતા તે પાન કે ડાળી ઉપર કે પછી મરચા ઉપર લાગશે ,રોગકારક છોડ પર લાગે પછી થોડા દિવસો પછી ડાઘ પડે છે , ડાઘ પડ્યો તે દેખાય ત્યાં સુધીમાં બહુ વાર થઇ જાય છે અને પાકને નુકશાન થઇ જાય છે . ફળ ઉપર ટપકા પડે છે તે જતે દહાડે ગોળાકાર રીંગનો ડાઘ પાડે છે. જો બગડેલા ફળોને વીણીને નાશ કરી દેવામાં આવે તો તેનો ફેલાવો ઓછો કરી શકાય છે.
એન્થ્રેક્નોઝનો ચેપ ક્યારે લાગે ?
જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે તેવા સતત વરસાદી વાતાવરણમાં મરચીના ઉભા પાકમાં આ રોગ લાગે છે . ટૂંકમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. રોગના લક્ષણો મોડા દેખાય છે ઘણી વખત તમને મરચું લાલ થાય ત્યારે દેખાય છે. એટલે કે આપણે નિયંત્રણ માટે ખુબ મોડા પડીયે છીએ
પાણી પહેલા પાળ બાંધવા શું કરવું ?
યાદ રાખો હવે જો સતત વરસાદી વાતાવરણ રહ્યું હોય અને જો 12 થી 14 કલાક છોડ વરસાદથી કે ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે સામાન્ય ફુગનાશક છાંટી દયો તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય. વરસાદ પૂરો થયો અને ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક મરચીના પાન ભીના રહ્યા તો ફરી ફુગનાશક છાંટો 11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન રાખો તો મરચીમાં આ રોગ લાગવાની શક્યતા ઘટી જાય નહીંતર મોંઘામા મોંઘી દવાના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો રોજ ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા 12 કલાકથી વધારે સતત ભીના રહ્યા તો છાંટો . મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ અથવા
ડાયફેનકાઝોલ + એઝોસ્ટ્રોબીન 20 પ્રતિ પંપ અથવા
થાયો ફેનેટ મિથાઇલ 25 ગ્રામ પ્રતિ પમ્પ
મરચાના ફળમાં ટપકા કેમ થવાનું કારણ :
- એન્થેકનોઝ ધાબા, બેક્ટેરિયા લીફ સ્પોટ પાનના ટપકા, બ્લોસમ એન્ડ રોટ કેલ્શિયમ ખામી, ગ્રે મોલ્ડ
- થ્રીપ્સનું નુકશાન
- સૂર્યની દાઝ
- માઈક્રોન્યુટ્રીયન્ટ ની ખામી
આપણે આ અગાઉ સમજ્યું છે કે એન્થ્રેકનોસ એટલે કે ડાઈબેક કે લાલ ફળોનો ડાઘીનો રોગ ક્યારે આવે ?
હવામાનના બદલાવના લીધે બે પરિસ્થિતિ સાથે થાય તો આવે
તમારી મરચીમાં એન્થ્રેકનોસનો મોટો એટેક આવી શકે છે કારણ કે આવતા 4 દિવસમાં વધુ વાદળ થવાની સંભાવના છે
જો આવું થાય અને
તાપમાન 28 સેન્ટિગ્રેડ ( ગુગલ જુવો ) અને
રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ 95 % થાય તો એન્થ્રેકનોસ નો ચેપ મરચીને લાગી શકે છે
આપણી ચેનલ માં એન્થ્રેકનોસની દવા જણાવી છે તે તમારે તાત્કાલિક ઘાટો સ્પ્રે કરવો પડશે ક્યારે ?
જો આ બે વાતો એક સાથે બને તો જ
તાપમાન 28 ડિગ્રી સેન્ટિગ્રેડ
ભેજ ની ટકાવારી 95 %
આપણી ચેનલના ખેડૂત મિત્રોએ ગુગલ વેધર જોતા રહો
થર્મોમીટર વાંચતા રહો
પ્રવીણ પટેલ
આ પોસ્ટ આજેજ વોટ્સએપથી તમારા સગા -સંબંધી -મિત્રને મોકલવા માટે અહીં નીચે સોસીઅલ મીડિયા લોગો છે તેમાં વોટ્સએપ લોગો પર ક્લિક કરી મોકલો
દવાના નામ નોંધો ,
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ
ડાયફેનકાઝોલ + અઝોસ્ટરૉબિન 20 પ્રતિ પમ્પ
--
--
એન્થ્રેકનોઝ -મરચાની ડાઘી નો રોગ માટે રોગ લાગે ત્યારે વૈજ્ઞાનિકોની ભલામણ કરેલી દવા છાંટવાની ભલામણ છે.
રોગ કયારે લાગે તે ખબર હોઈ તો પાણી પહેલા પાળ બંધાય કારણકે રોગ દેખાયા પછી દવાના પરિણામો ઓછા મળે છે.
રોગકારક કેવા વાતાવરણમાં દેખા દે છે તે જાણો ત્યારે નીચેની દવાનો ફરતો ફરતો પ્રયોગ કરી શકો. આપણી ટેલિગ્રામ ચેનલ ખેડૂતોનું સાથી છે કારણ કે મરચી ની ખેતીની પુરી જાણકારી પહેલાથી આપણે જણાવતા રહ્યા છીએ
દવાના નામ નોંધો ,
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ
ડાયફેનકાઝોલ + અઝોસ્ટરૉબિન 20 પ્રતિ પંપ અથવા
આવતા વર્ષની નોંધ તમારી ડાયરીમાં કરો .
મરચી વાળામાં મરચીનું વાવેતર ન કરો,
મલ્ચીંગનો પ્રયોગ કરો,
સપાટ ક્યારા ને બદલે પાળા ઉપર મરચી ની ખેતી કરો,
નિંદામણથી પાકને મુકત રાખો,
વરસાદ વખતે પવન થી છોડ હલતા હશે તો મરચી ના થડ પાસે આઈસ્ક્રીમ માં કોન ના આકાર જેવો કોન થશે ત્યાં જો વરસાદ નું પાણી ભરાશે તો મરચી માં રોગ જરૂર લાગશે તેથી છોડ હલે નહિ તે માટે થોડા થોડા અંતરે લાકડાના ટેકા મારી દોરી કે સુતળી થી છોડને ટેકો આપી બાંધીશ તેવું લખો ,
છોડની સંખ્યા મહત્તમ રાખો તો પણ ફાયદો થશે . ડ્રીપ ઈરીગેશનનો પ્રયોગ કરો જેથી ધાર્યું પાણી આપી ને વધુ પડતા ભેજ થી આવતા ફુગ ના રોગો થી બચી શકાય . પુષ્ક્લ ફળ લાગી ગયા પછી એટલે કે પાક અવસ્થા વખતે ધોરીયા ક્યારા પદ્ધતિમાં પાણી વધુ ન અપાય જાય તે જુઓ.
વધુ વિગતો માટે આજનીખેતી વાંચતા રહો, દવા વિષે હવે પછી