મારી મરચી લીલીછમ હતી, ૨૦-૨૫ દિવસમાં ધીરે ધીરે મારી મરચી મરી ગઈ હતી. શું કારણ હોઈ શકે ?



ઘણી વખત ફ્યુઝેરીયમ નામની ફુગ લાગી હોય તો શરૂઆતમાં નીચેના પાંદડા પીળા પડે, પછી ધીરે ધીરે છોડ મરવા માંડે ૨૦-૨૫ દિવસમાં છોડ મરી જાય છે. છોડ પીળો થાય, પાનખરે તે લક્ષણો ફ્યુઝેરીયમ વિલ્ટ ના છે તેના માટે આ ફૂગ ધીમે ધીમે વધે છે અને ખૂબ આર્થિક નુકસાન આપે છે, મૂળ ચીરતા તેમાં ડાઘ દેખાય.

નિયંત્રણ માટે જમીનનું તાપમાન પર ધ્યાન આપવું. જમીન નુ તાપમાન ૩૨ સેલ્સિયસ હોય અને વધુ પડતું પાણી અપાતું હોય ત્યારે આ રોગ આવવાની શક્યતા વધી જાય છે.

ઉપાય : ફોલિક્યુર - ટેબુકોનાઝોલ ૩૦મિલી/પંપ નું થડે થડે ડ્રેંચિંગ કરવું અથવા
બાવિસ્ટિંન + એલિએટ ૩૦ ગ્રામ/પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી/પંપ અથવા
ટોપસીન (થાયોફેનેટ મિથાઈલ) ૩૦ગ્રામ/પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ઘાટું ડ્રેન્ચિંગ કરવું.

આ બધી દવાઓ રોગની શરૂઆતની અવસ્થા વખતે વાપરો તો ફાયદો થાય. નહીતર મરી ગયેલો છોડ જીવતો થાય નહીં.



0 comments