ચોમાસામાં સતત વરસાદ થયો હોય એમાંય જમીનમાં નિતાર ઓછો હોય, સપાટ ક્યારામાં મરચી વાવી હોય, પાણી ભરાયા હોય
વખતો વખત વાતાવરણમાં ૯૫ ટકા ૧૦૦ ભેજને લીધે હવામાન ભેજવાળું રહ્યું હોય
ખેતરની માટી ચીકણી હોય,
વરસાદ વખતે છોડ પવનના લીધે ડગડગ થયો હોય,
વરસાદ પડતો હોઈ ત્યારે છોડ જો બાંધ્યાના હોય તો થડ ડગ ડગ થવાથી થડપાસે આઈસક્રીમના કોન જેવો ખાડો પડ્યો હોય, તેમાં પાછા પાણી ભરાય હોય ત્યારે નિતાર વગરની જમીન અને થડ પાસે ફૂગ લાગે,
તાપમાન ૨૦ સે.ગ્રે.થી ૪ડિગ્રી વધુ અથવા ૪ ડિગ્રી ઓછું તાપમાન હોય ત્યારે પ્રકોપ દેખાય , આવા સમયે મરચીમાં ફાલ પણ પૂરતો લાગ્યો હોય છે ,
આવું થાય ત્યારે ફાયટોપ્થોરા લાગે છે છોડ ડગે નહીં તે માટે ચોમાસામાંજ દરેક ચાસ માં દર ૫ ફૂટના અંતરે લાકડા બાંધી તેની સાથે દોરી ખેંચી લ્યો ને દોરી સાથે છોડ ને સપોર્ટ આપો જમીન અને થડ પાસે કોન આકાર પડવાજ ના દ્યો , કોન થાય તો પાણી ભરાય ને ત્યાં ફૂગ લાગે એવું થાય જ નહિ તેવું કરો
જો તમારે આ સુકારો દેખાતો હોઈ તો આપણી ચેનલ ખેતરની વાત માં બતાવ્યા મુજબના ફુગનાશકના છંટકાવ અને ડ્રેનચિંગ બંને કરો
સ્ટેકીંગ એટલેકે મરચીનો ટેકો આપવો
મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોઈ , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો
આપણી જમીનમાં સેન્દ્રીય તત્વોની ખામીને લીધે જમીન ખરાબ થતી જાય છે ત્યારે જમીન સુધારણા અને આપણા પાકના મૂળને મદદ કરે તેવું એક તત્વ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું છે અને એ છે હ્યુમિક એસિડ
હ્યુમિક એસિડ એ પરમાણુઓનો એક જૂથ છે જે છોડ ના મૂળ નો વિકાસ કરી છોડના પોષક તત્વો તથા પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માં વધારો કરી છોડ ને રોગપ્રતિકાર બનાવવામાં તથા બાહ્ય વાતાવરણ થી રક્ષણ મળે છે. તથા છોડ ને ઉતેજીત કરી ઝડપ થી વિકાસ કરવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે
થયું એવું કે વરસો પહેલા વધની દવાના બાટલા વેંચતા તેવું આજે બધાં પાસે પોતાની એક બ્રાન્ડની હ્યુમિક છે , ચાઈના થી હ્યુમિક ખુબ આવે છે એટલે સમજીને સારી વિશ્વાસપાત્ર બ્રાન્ડ પસંદ કરવી એટલું ધ્યાન રાખવું
હ્યુમિક સારી વસ્તુ છે તે સાચું પણ ખરીદી સમજીને વાપરો અને જમીનો કાર્બન વધારવા મદદ કરો
મરચીની ખેતી માટે જમીનનો પીએચ ૭ થી ૮.૫ વચ્ચે હોય તો મરચીની ખેતી માટે સારું છે.
તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.
તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.
હવે તો જયારે મરચી વાવી દીધી છે ત્યારે તમારી પાસે પૃથ્થકરણ ના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,
તમારી નજીક માં રાનડે માઈક્રોનુટ્રીઅન્ટ બનાવતી કંપની ના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માં તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી સારી થાય.
મરચી ના છોડ ની રોજ ની અગવડતા દૂર કરી વિકાસ કરાવવા અને તણાવ માંથી બહાર કાઢવા આ કરવું જરૂરી છે મિત્રો