Showing posts with label રોગ. Show all posts
Showing posts with label રોગ. Show all posts
- ગોકળગાય, ઈયળ, ઢાલીયાનો ઉપદ્રવ હોઈ શકે અથવા
- મેંગેનીઝ તત્વની ખામી હોઈ શકે
વધુ માહિતી માટે વાચતા રહો
મરચીમાં આવતા એન્થ્રેક્નોઝ જેવો જ નુકશાનકારક ગુણધર્મો ધરાવતો રોગ અલ્ટરનેરીયા સ્પોટ એટલે કે પાંદડાના ટપકા અને ફળ ઉપર ટપકાનો રોગ આવે છે. આ રોગ અલ્ટરનેરીયા નામના રોગકારકના લીધે આવે છે. પાંદડા ઉપર ટપકા પડે છે. ફળ ઉપર ટપકા પડે છે. જે સમય જતા અનિયમિત આકારના ગોળ ગોળ ડાઘ પડે છે. સમય જતા તેમાં કાળી ફૂગના તાંતણા પણ જોવા મળે છે.
અલ્ટરનેરીયા લીફ સ્પોટ, પાન અને ફળના ટપકાના રોગ માટે
નેટીવો ૮ ગ્રામ/પંપ અથવા
એન્ટ્રાકોલ ૪૫ ગ્રામ/પંપ
ટ્રાયકલોક્ષાસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ અથવા
કસ્ટોડીયા ૨૫ મિલી/ પંપ અથવા
એઝોસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ કેબ્રીઓટોપ અથવા
મેટીરામ+ પાયરોકલોસ્ટ્રોબીન નો ઘાટો છંટકાવ કરવો.
ટ્રાયકલોક્ષાસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ અથવા
કસ્ટોડીયા ૨૫ મિલી/ પંપ અથવા
એઝોસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ કેબ્રીઓટોપ અથવા
મેટીરામ+ પાયરોકલોસ્ટ્રોબીન નો ઘાટો છંટકાવ કરવો.
વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,
મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી
પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,
રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે
જયારે બેક્ટેરિયલ વિલ્ટમાં મરચીનો છોડના પીળા પાંદડા થયા વગર છોડ લીલે લીલો સુકાય.
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
400 x 90
--
|
|
|
મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,
આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.
મરચીના પાકમાં શરુ શરૂમાં નીચેના પાન પીળા પડે અને થોડા વખતમાં જ લીલો છોડ આખો ઉભે ઉભો સુકાય જાય આવી પરિસ્થિતિ માટે ફયુઝેરીમ રોગકારકને જમીનનું તાપમાન જો ૩૨૦ સે. થી વધુ મળે અને જમીનમાં રોગકારક હોય અને વધુ પડતો ભેજ જમીનમાં હોય તો ફ્યુઝેરીયમ વિલ્ટ ફાટી નીકળે છે. ઉભે ઉભા એટલે લીલેલીલા છોડ સુકાય જાય છે. આ રોગ જે જમીનમાં આવતો હોય ત્યાં વર્ષો સુધી ટકે છે. આ રોગ ખેતીના સાધનો દ્વારા, પાણી દ્વારા પ્રસરે છે.

મરચીની ખેતી માં રોજ ખેતર નું સ્કાઉટીંગ કરવું એટલે કે આંટો મારીને અવલોકન કરવું જરૂરી છે , ઉપરની ત્રણ રીત માંથી કોઈ પણ રીતે તમે અવલોકન લઇ શકો
અવલોકન કેમ કરવું ?
ડાયરી રાખવી તેમાં અવલોકન લખવું , છોડના પાન , ડાળી , મૂળ વગેરે નું અવલોકન કરવું
બિલોરી કાચ , મોબાઇલ સાથે હોઈ તો ફોટો પાડી ઝૂમ કરીને આવલોકન કરવું
પ્રસ્ન કે સમશ્યાનો નજીક થી પાડેલ ફોટો કૃષિ નિષ્ણાંતને મોકલવો વગેરે
આપણે રોગ ત્રિકોણ વિશે અગાઉ વાત કરી ગયા છે તે તમને યાદ હશે
રોગ માટે જવાબદાર રોગકારકોની હાજરી છોડ પર વિવિધ લક્ષણો બતાવીને કરે છે. દા.ત. મરચીના પાનના ટપકા, મરચીના પાન ઉપર પાણી પોચા ટપકા, મુળિયામાં ગાંઠ,
એકાએક છોડનું સુકાવું અથવા ધીરે ધીરે છોડનું સુકાવું ,
મરચાની એકાદ ડાળી સુકાય જવી વગેરે લક્ષણો દ્વારા છોડ આપણને સુચવે છે કે રોગકારકની તમારા ખેતરમાં હાજરી છે.
આ અવલોકન સતત અને રોજે રોજ થવું જોઈએ એકાદ દિવસ નું પણ મોડું ઘણી વખત મોટું નુકશાન આપી જાય છે , નિયમિત અવલોકન દ્વારા રોગ આવે કે તુરત જ નિયંત્રણ કરવાથી લાભ થાય છે.
ઘણી વખત બે ત્રણ દવા એકસાથે ભેળવીને છાંટી હોય અને દવાઓ એકબીજામાં ભેળવવાથી નવુ જ રસાયણ બનતું હોય તો અથવા સાચી દવાનો છંટકાવ ના થયો હોય તો બીજા દિવસે ફાયદો દેખાતો નથી , જો આંટો મારીયે તો બીજા દિવસે છોડ તેની અસર બતાવે છે અને ભૂલ થઇ હોય તો સુધારી ને રીપેર કરવું હોય તો વહેલી ખબર પડે તો લાભ થાય છે .....
રોજ મરચીના પાક નું સ્કાઉટીંગ કરો આંટો મારો

મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,
૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે
બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન ખરી પડશે,
ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? કેટલા દિવસ મોડા પડ્યા ? વિચારજો

ફયુઝેરીયમ સુકારો , ફયુઝેરીયમ ઓક્સિસ્પોરમ રોગકારક ને લીધે થતો સુકારો છે , આ રોગમાં છોડના પાન વળી જાય છે અને પીળા પડી જાય છે , આ રોગ ખેતરમાં અમુક જગ્યાએ શરુ થાય છે , છોડ મરી જાય તો પણ પાન જોડાયેલ રહે છે , જ્યાં સુકારો આવતો હોય તે જમીન માં મરચી ૨ વર્ષ વાવવી જોઈએ નહિ.
ગરમ વાતાવરણ ૩૨ ૦ સે. ગ્રે.તાપમાન હોય ત્યારે વધુ પડતું પિયત આપવાથી આ રોગ ફેલાય છે માટે આવા સમયે વધુ પડતું પાણી આપવાની ટેવ છોડવી પડશે. ડ્રીપ ઈરીગેશન અપનાવો. રોગ માટે ફૂગનાશકનું થડ પાસે ડ્રેન્ચિંગ કરો. ટ્રાઇકોડરમા વીરિડી ફુગનાશકનું પહેલેથીજ છાણીયા ખાતર સાથે ભેળવીને આપવું . આવી જમીનમાં પહેલાથી સોઇલ સોલેરાઈઝેશન એટલે કે પ્લાસ્ટિક પાથરીને જમીન ગરમ કરીને નિર્જિવિકરણ કરી વાવેતર કરવું જોઈએ .
ફોલીક્યુર (ટેબુકોનાઝોલ) ૩૦ મિલી પ્રતિ પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી /પંપ અથવા
બાવીસ્ટીંન + એલીએટ ૩૦ ગ્રામ /પંપ અથવા
કેમ્પેનીયન (કાર્બેન્ડેનઝીમ + મેન્કોઝેબ) ૩૦ ગ્રામ/પંપ માં નાખી થડે ડ્રેન્ચિંગ કરો.
ટ્રાઇકોડરમા વિરિડી નું ડ્રેનચિંગ કરવું
હવે આવનારા રોગ વિશે જાણો અને કૃષિ નિષ્ણાંત ની સલાહ લ્યો
સારા અને અનુભવી વેપારી પાસેથી માર્ગદર્શન લ્યો ,
દા . ત . પશુને ખરવા થયો હોય તો દવા કરીએ એટલે રૂઝ આવી જાય.
સમયસર દવા પીવડાવીએ તો પગ કાપવો ન પડે !
જ્યારે તમે મરચીના રોગ ના ચિન્હોની ખબર ના હોય , તમે ભાગીયા ભરોશે હો , તમે રોજ મરચીના ખેતરમાં અવલોકન કરતા ના હો તો ......મરચીના રોગ લાગે તેની ખબર ન રહે તો પાંદડું જ ખરી જાય.
રસોડું નાશ પામે, શું કરો ખોરાક બનતો બંધ, ચેપ લાગે તે વધારામાં, નુકસાનનો પાર નહીં !
એટલે જ જીવાત કરતા રોગ નુકસાન મોટું.
મરચીના પાકની રસી એટલે કે પી એસ એ પી ખાતરના પરિણામો
અત્યારે વરસાદ ખુબ પડ્યો જેમને ખુબ પાણી ભરાયા અને નિકાલ નથી થયો તેમના માટે તો પાણીના નિકાલ પછી કોઈ આપી શકાય પરંતુ તે ખેડૂતોને પાણી નીકળી ગયા અને ખેતર માં જઈ શકાય તેમ છે તેને શું કરવું તેનો વિચાર કરવા નો સમય છે
પી એસ એ પી ખાતર જેને વરસાદ પહેલા પંપે 150 થી 200 નાખીને થડે થડે કે ઉપરથી સ્પ્રે કર્યો છે તેને વરસાદની સામે મરચી વધું સારી રહી છે તેમણે ફરી પી એસ એ પી દર 10 દિવસે ઉપરથી સ્પ્રે કરવો અને કુક્ડ હોઈ તો 200 ગ્રામ નાખી સ્પ્રેય કરવો
ચાર કામ મરચીના પાક માં ખાસ કરવા
એક : વરસાદ ગયા પછી તરતજ કોપર સાથે સ્ટ્રેપ્ટો સાયક્લીન દવાનો આપણે અગાઉ કીધું તેમ ઉપરથી છાંટવા નો પ્રયોગ કરવો
બીજું : મરચી ના થડે થડે તમારે એકેડિયા કંપનીનું સિવિડ નું ડ્રેનચિંગ કરવું
ત્રીજું : ઉપરથી છાંટવાના ખાતર 19-19-19 પંપે 150 ગ્રામ સાથે ચીલેટેડ માઈક્રો ન્યુટ્રીઅન્ટ નો ઘાટો સ્પ્રે કરવો જેથી અત્યારે મૂળિયાં કામ કરતા નથી ત્યારે ઉપરથી ખોરાક મળી જાય
ચોથું : મરચી ને વધુ સારી કરવી હોય તો વીઘે 3 કિલો ઝાયટેનિકસ બાયો ફેર્ટીલાઇઝર નું થડે થડે ડ્રેનચીગ કરો , તમારી નજીક ઝયટોનિક્સ ક્યાંથી મળશે તે જાણવા 9825229766 પાર ફોન કરો

પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ ઘાટો છટકાવ થયો ત્યાં
1 - છોડ માં રસી મૂકી હોઈ તેવું થયું
2 - પાન પહોળા થયા
3 - પાનની thickness જાડાઈ વધી - ચુસીયા ઓછા લાગ્યા -રોગ સામે છોડ મજબૂત રહ્યો
પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ નો છંટકાવ - કુક્ડ હતી ત્યાં
1 - કુક્ડ નું જોખમ ઓછું થયું , નવી કૂંપળ માં કુક્ડ નથી
2 - જ્યાં 200 ગ્રામ પ્રતિ પમ્પ ના સતત બે છંટકાવ ચાર દિવસ ના અંતરે થાય ત્યાં કુક્ડ આગળ વધતો અટક્યો
પી એસ એ પી નો છઁટ્કાવ ઘાટો અને પાંદડા ભીંજાય તેમ કરવો , વીઘા દીઠ સ્પ્રે પમ્પ વધતા રહેવા જોઈએ
તમારા મિત્ર ને કહો કે તમારી મરચી ને સારી બનાવવા દર દશ દિવસે પી એસ એ પી છટકાવ કરવા માંગો છો? તમારી મરચી માં પ્રતિકાર શક્તિ લાવી રોગ જીવાત સામે રક્ષણ મળે તેવી મરચી બનાવો7
વધુ વિગત માટે ફોન કરો 9825229766
મરચીમા લાગતો સુકારાનો રોગપીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારક ને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજ ને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે.
રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એપ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, રોપની જગ્યા સારી પસંદ કરો
રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો,બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપનાથડે થડે ડ્રેન્ચિંગ કરો, ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે
તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળા ને આપીને રોપ નર્સરી મા તૈયાર કરાવતા હો તોજે નર્સરી ઇન્સેક્ટ નેટ નો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોઈ તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આ વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે
આ જમીનજન્ય ફૂગ પીથીયમ અને રાઈઝેક્ટોનીયા ને લીધે રોપ ઉભો જમીન પાસેથી સુકાય છે , જમીન પાસે ગળું પડે, પાણી પોચા ડાઘ થડ ઉપર અને
ડાળી ઉપર જોવા મળે, પાણી અપાતું હોઈ તે પાણીનાપ્રવાહ તરફ રોગ
આગળફેલાય, ઘાટા વાવેતરમાં આ રોગવધે, પાણીની નિતાર સારો ના હોય તેવી જમીન આ રોગ જોવા મળે છે , વધુ પડતું નાઈટ્રોજન આપવાથી આ
રોગ વધે . જે જમીનમાં ફાયટોપથોરા આવે છે ત્યાં વધુ જોવા મળે છે .
આ રોગ થવાનું કારણ : ઘાટું વાવેતર, નાઈટ્રોજન નો વધુ પડતો વપરાશ, એકને એક
ખેતરમાં મરચી કરવી , નિતાર સારો ના હોય તેવી જમીન .
નિયંત્રણ : નીતાર સારો રાખો , જમીન સુધારણા કરો , સેન્દ્રીય તત્વો નું ઉમેરણ
કરો , પાક ફેરબદલી કરો , વરસાદ પછી ખાસકાળજી લેવી, રેઈસ બેડ
એટલે કે પાળાઉપર મરચી વાવો, ફૂગનાશક પ્રયોગ કરો . ડ્રેનચિંગ કરો
|
|
|
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.














Photo courtesy : google Image