મરચીની ખેતી માટે જમીનનો પીએચ ૭ થી ૮.૫ વચ્ચે હોય તો મરચીની ખેતી માટે સારું છે.
તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.
તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.
હવે જો તમે મરચીની ઉત્તમ ખેતી કરવાની ઈચ્છા ધરાવો છો ત્યારે તમારી પાસે પૃથ્થકરણ ના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,
તમારી નજીક માં રાનડે માઈક્રોનુટ્રીઅન્ટ કે એરીસ એગ્રો કે યારા ફર્ટિલાઇઝર બનાવતી કંપની ના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માં તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી સારી થાય.
મરચી ના છોડની રોજની અગવડતા દૂર કરી વિકાસ કરાવવા અને તણાવ માંથી બહાર કાઢવા આ કરવું જરૂરી છે મિત્રો
જમીન ની ચકાસણી લેબમાં થાય છે લેબોરેટરી કન્ડિશનમાં તમારી જમીનના કણો સાથે ચોટી ગયેલ ફોસ્ફરસ ચકાસણી પરિણામમાં આવે છે પરંતુ તે ઘણી વાર લભ્ય થતો નથી બીજું કે . મરચીમાં એન.પી.કે ઉપરાંત મેગ્નેશિયમની આવશ્યકતા હોય છે, શુક્ષ્મ તત્વો પણ ઓછી માત્રામાં આપવા જરૂરી છે,
ટૂંકમાં જેટલું ઉત્પાદન લેવા માંગો છો તેને ત્રિરાશી માંડીને જરૂરી ખાતર સમયે-સમયે આપવું જરૂરી છે જો ડ્રીપ હોય તો તમારી જમીનનો અને પાણીનો પૃથ્થકરણ રિપોર્ટ કરાવ્યો હોઈ તો અને ડ્રિપ પદ્ધતિ લગાડેલ છે કે કેમ ? તમારે લીલા વેચવા છે કે સૂકા કરવા છે તે પણ વિચારો , સારું ઉત્પાદન લેવા ફર્ટીગેશન પ્રોગ્રામ કૃષિ નિષ્ણાત અથવા ડ્રિપ કંપની પાસે તૈયાર કરવો ,
70 દિવસ પછી મરચીનો ઉત્પાદનનો જથ્થો એટલે કે માસ વધારવો હોઈ તો દર 10 દિવસે પી એસ એ પી નામનું મોંઘુ લાગતું ખાતર સરવાળે તમને સસ્તું લાગશે
કારણ કે જે ખેડૂતોએ ગયા વર્ષે લીલા વેચાણ માટે મરચી કરી છે અને PSAP વાપર્યું હતું તેમને લાભ થયેલો અને જેમને વજનદાર સૂકા મરચા કરવા હોઈ તેણે તો ખાસ પી એસ એ પી વાપરવાનું શરુ કરવું જોઈએ , થોડા વિસ્તારમાં વધુ ઉત્પાદન કરો
કોલીથડ વિસ્તાર ના ખેડૂતોની પસંદ
વધુ વિગત અને પીએસએપી મંગાવાવ માટે ફોન કરો 9825229766
આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
ચોમાસામાં સતત વરસાદ થયો હોય એમાંય જમીનમાં નિતાર ઓછો હોય,
સપાટ ક્યારામાં મરચી વાવી હોય, પાણી ભરાયા હોય
વખતો વખત વાતાવરણમાં ૯૫ ટકા ૧૦૦ ભેજને લીધે હવામાન ભેજવાળું રહ્યું હોય
ખેતરની માટી ચીકણી હોય,
વરસાદ વખતે છોડ પવનના લીધે ડગડગ થયો હોય,
વરસાદ પડતો હોઈ ત્યારે છોડ જો બાંધ્યાના હોય તો થડ ડગ ડગ થવાથી થડપાસે આઈસક્રીમના કોન જેવો ખાડો પડ્યો હોય, તેમાં પાછા પાણી ભરાય હોય ત્યારે નિતાર વગરની જમીન અને થડ પાસે ફૂગ લાગે,
તાપમાન ૨૦ સે.ગ્રે.થી ૪ડિગ્રી વધુ અથવા ૪ ડિગ્રી ઓછું તાપમાન હોય ત્યારે પ્રકોપ દેખાય , આવા સમયે મરચીમાં ફાલ પણ પૂરતો લાગ્યો હોય છે ,
આવું થાય ત્યારે ફાયટોપ્થોરા લાગે છે છોડ ડગે નહીં તે માટે ચોમાસામાંજ દરેક ચાસ માં દર ૫ ફૂટના અંતરે લાકડા બાંધી તેની સાથે દોરી ખેંચી લ્યો ને દોરી સાથે છોડ ને સપોર્ટ આપો જમીન અને થડ પાસે કોન આકાર પડવાજ ના દ્યો , કોન થાય તો પાણી ભરાય ને ત્યાં ફૂગ લાગે એવું થાય જ નહિ તેવું કરો
જો તમારે આ સુકારો દેખાતો હોઈ તો આપણી ચેનલ ખેતરની વાત માં બતાવ્યા મુજબના ફુગનાશકના છંટકાવ અને ડ્રેનચિંગ બંને કરો
સ્ટેકીંગ એટલેકે મરચીનો ટેકો આપવો ફાયદા કારક છે
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
મરચીની ખેતી માટે આપણે પહેલા વાત થઇ તે પ્રમાણે કાળી ચીકણી માટી ને બદલે સારા નિતાર વાળી જમીન માફક છે અથવા જ્યાં પાણી નો નિતાર સારી રીતે થતો હોઈ તેવી સારા ઓર્ગનિક મેટર સાથેની જમીન હોય તે પડું પસંદ કરાય
તમારી જમીન નો પી એચ 6.5 થી 7.5 સુધી નો હોઈ તેવી જમીન માં મરચી નો પાક સારો થાય છે , મરચી માટે જમીન ની પસંદગીની વાત છે ત્યારે એટલું યાદ રાખો કે મરચી માં જમીનજન્ય રોગકારક જેવાકે ફુગ , વાયરસ , બેક્ટેરિયા લાગવાની શક્યતા વધુ છે તેથી જમીનની પસંદગી સારી કરો તમે બીજી જમીન પસંદ કરીના શકો તેમ હો તો એટલું તો કરી શકોને કે જ્યાં મરચી વાવેતર કરવાની છે ત્યાં ટામેટા , રીંગણાં , બટેટા , કપાસ કે સોયાબીન નું વાવેતર છેલ્લા 3 વર્ષ માં ના કરેલું હોય ,
પાક ફેરબદલી એટલે જરૂરી છે કે જમીનજન્ય રોગો તાજેતરના પાક માં ઓછા નુકશાન કરે , યાદ છે આપણે આ અગાવ કીધું તું કે અત્યારે કોઈ પાક પૂરો થાય તેમ હોય તો તે પાકના જડીયાનો સંપૂર્ણ નિકાલ કરવા તરતજ ગ્લયફોસેટ છાંટી ને નાબૂદ કરી દો ,
હવે તમે કહેશો અમારે તો કપાસ વાળું પડું છે અને સાંઠી ખેંચી લીધા પછી ખેતર તપેલું છે , ઊંડી ખેડ કરી છે , છાણીયું પૂરું ભર્યું છે તો તમને કહેવાનું કે તો પણ તમારે જમીનજન્ય રોગ આવશે , જો તમારી જમીનમાં ગયા વર્ષે ફાયટોપથોરા આવેલ હોય તો તે જમીનમાં મરચી આવર્ષે કરતા નહિ , મરચી માં ફાયદો લેવો હોઈ તો પાળા કરી મરચી વાવજો , બાકી પાક ફેરબદલી કરવી જરૂરી છે
આ વર્ષના અનુભવે આવતા વર્ષે પણ મરચીની ખેતી સારી થશે તો આજથીજ નક્કી કરો કે ખેતરની વાત ચેનલ સાથે જોડાઈને આવતા વર્ષની ખેતી પાળા ઉપર,મ્લચીંગ , ટેકા પદ્ધતિથી કરીને ખૂબસારું ઉત્પાદન લેવું છે , તો કરો તૈયારી
વાંચતા રહો આપણી મરચીની ચેનલ ખેતરની વાત
વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી ચલાવીએ કે દાંતી મારીએ એટલે હવે તો બળદ થી ખેતી નથી થતી એટલે ટ્રેક્ટરના વજનથી જમીન દબાઈ જાય છે આવું ન કરવાથી ફાયદા વધુ હોવાથી ટ્રેક્ટરનો ટ્રાફિક બંધ કરવા અથવા તો કંટ્રોલ અથવા તો ઓછું કરવાની આ પદ્ધતિ આજે ભારતમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં પ્રચલિત થતી જાય છે. હાઆવી પદ્ધતિમાં ડ્રીપ અને મલ્ચીંગનો પ્રયોગ આવશ્યક છે.
આ પધ્ધતિમાં પાળામાં જ મુળિયા રહેતા હોવાથી ખાતર પણ સીધું ત્યાં આપીને ખાતરની બચત થાય છે. રોગો ઓછા લાગે છે, કેટલાય ખર્ચ બચી જાય છે. તમને થશે તો પછી એક પાક પૂરો થઈ પછી શું કરવાનું ? , બે પાંચ વર્ષ પાળા એમ ને એમ રેવા દેવા ના , જરૂર પડે તો પણ વચ્ચે સબસોઇલર નામનું એક દાંતી વાળું સાધન ચલાવવાનું જેથી નીચેનું હાડપાન કડક હોય તો ખેડવાનું જેથી ટામેટા કે રીંગણાં જેવા પાક મૂળ વધુ ઊંડે સુધી જઈ શકે .
વિચાર કરો આ પદધતિ ને લીધે જેટલી જમીન ઉપયોગી છે એટલુંજ આપણે વાપરીએને ખાતર પણ ખુબ બચે છે , તો કરો શરૂઆત પ્રયોગ કરી ખર્ચ બચાવી નફો વધારો , આવી નવી નવી ખેતી પદ્ઘતિ જાણવા ને બીજાને જણાવવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ રોજ ખોલતા રહેજો , વિનામુલ્યની આ વાતો બીજાને પણ શેર કરજો , જીતો અને જીતાડો
મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોય , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો
બાયોક્યુલમ કેવી રીતે વાપરશો? છાણ અને વાડીના કચરાને સેડવવા ઝડપી અને વધુ તાકાત વાળું ખાતર બનાવવા જેમ જેમ કચરાનો ઢગલો થતો જાય તેમ બાયોક્યુલમને પાણીમાં અથવા છાણની રબડી કરી કચરા ના ઢગલા ઉપર છાંટતા રહો.
ઝડપી અને સારું ખાતર બનાવવાના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ક્યા?
• કુચાના જેટલા નાના ટુકડા હોય તેટલું જલ્દી સડી જાય.
• બને ત્યાં સુધી છાંયો હોય તો સારું
• જો તમે બે વાર ઢગલાનો પાવડાથી કે મોટો ઢગલો હોય તો ટ્રેક્ટર કે જેસીબી થી ખાંપ મારતા રહો કે
ફેરવી નાખતા રહો તો વધુ ઝડપી ખાતર લગભગ ૧ મહિનામાં બની જાય.
બેકટેરીયાને ખોરાક શું જોઈએ
બેક્ટેરિયા ને હવા અને ભેજ જોઈએ અને ખોરાક સ્વરૂપે આ કચરો તો છે જ, હવા પણ તેને મળી જાય
પણ ભેજ માટે પાણી તેમાં નાખી ભીનું રાખતા રહો જેથી ઝડપી સડવાની પ્રક્રિયા થાય.
નિંદામણ ના બીજ પણ બળી જશે તે ફાયદો
આ રીતે તૈયાર કરેલ ખાતરમાં નિંદામણના બી બળી જતા હોવાથી આ ખાતર વાપરવાથી ખડ થતું નથી.
તમારા કોઈ પણ ખેતરનાં કુચામાંથી હવે આવું સ્ટ્રોંગ ખાતર જાતે બનાવતા જ શીખો અને
તમારી જમીન ની તંદુરસ્તી સુધારી ખેતીનું ઉત્પાદન અને આવક વધારો.
બાયોક્યુલમ એટલે :
આ દેખાય નહિ તેવા બેક્ટરિયા ભગવાને ખેડૂતો માટે ફ્રીમાં આપેલા વગર પૈસાના દાડિયા છે. તેને ઓળખો અને તમારી વાડી માં તેને કામે લગાડો. આ વગર પૈસાના દાડિયા એટલે બાયોક્યુલમ.
છાણ અને વાડીના કચરાને સેડવી ઝડપી અને વધુ તાકાતવાળું ખાતર બનાવવા વપરાતા એરોબિક બેક્ટરિયા એટલે એક્સેલ કંપનીનું બાયોક્યુલમ. તમારી નજીકના ડિલરને પૂછો
ઘણી વખત ફ્યુઝેરીયમ નામની ફુગ લાગી હોય તો શરૂઆતમાં નીચેના પાંદડા પીળા પડે, પછી ધીરે ધીરે છોડ મરવા માંડે ૨૦-૨૫ દિવસમાં છોડ મરી જાય છે. છોડ પીળો થાય, પાનખરે તે લક્ષણો ફ્યુઝેરીયમ વિલ્ટ ના છે તેના માટે આ ફૂગ ધીમે ધીમે વધે છે અને ખૂબ આર્થિક નુકસાન આપે છે, મૂળ ચીરતા તેમાં ડાઘ દેખાય.
નિયંત્રણ માટે જમીનનું તાપમાન પર ધ્યાન આપવું. જમીન નુ તાપમાન ૩૨૦ સેલ્સિયસ હોય અને વધુ પડતું પાણી અપાતું હોય ત્યારે આ રોગ આવવાની શક્યતા વધી જાય છે.