ચોમાસામાં સતત વરસાદ થયો હોય એમાંય જમીનમાં નિતાર ઓછો હોય, સપાટ ક્યારામાં મરચી વાવી હોય, પાણી ભરાયા હોય
વખતો વખત વાતાવરણમાં ૯૫ ટકા ૧૦૦ ભેજને લીધે હવામાન ભેજવાળું રહ્યું હોય
ખેતરની માટી ચીકણી હોય,
વરસાદ વખતે છોડ પવનના લીધે ડગડગ થયો હોય,
વરસાદ પડતો હોઈ ત્યારે છોડ જો બાંધ્યાના હોય તો થડ ડગ ડગ થવાથી થડપાસે આઈસક્રીમના કોન જેવો ખાડો પડ્યો હોય, તેમાં પાછા પાણી ભરાય હોય ત્યારે નિતાર વગરની જમીન અને થડ પાસે ફૂગ લાગે,
તાપમાન ૨૦ સે.ગ્રે.થી ૪ડિગ્રી વધુ અથવા ૪ ડિગ્રી ઓછું તાપમાન હોય ત્યારે પ્રકોપ દેખાય , આવા સમયે મરચીમાં ફાલ પણ પૂરતો લાગ્યો હોય છે ,
આવું થાય ત્યારે ફાયટોપ્થોરા લાગે છે છોડ ડગે નહીં તે માટે ચોમાસામાંજ દરેક ચાસ માં દર ૫ ફૂટના અંતરે લાકડા બાંધી તેની સાથે દોરી ખેંચી લ્યો ને દોરી સાથે છોડ ને સપોર્ટ આપો જમીન અને થડ પાસે કોન આકાર પડવાજ ના દ્યો , કોન થાય તો પાણી ભરાય ને ત્યાં ફૂગ લાગે એવું થાય જ નહિ તેવું કરો
જો તમારે આ સુકારો દેખાતો હોઈ તો આપણી ચેનલ ખેતરની વાત માં બતાવ્યા મુજબના ફુગનાશકના છંટકાવ અને ડ્રેનચિંગ બંને કરો
સ્ટેકીંગ એટલેકે મરચીનો ટેકો આપવો ફાયદા કારક છે
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
મરચીની ખેતી માટે જમીનનો પીએચ ૭ થી ૮.૫ વચ્ચે હોય તો મરચીની ખેતી માટે સારું છે.
તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.
તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.
હવે જો તમે મરચીની ઉત્તમ ખેતી કરવાની ઈચ્છા ધરાવો છો ત્યારે તમારી પાસે પૃથ્થકરણ ના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,
તમારી નજીક માં રાનડે માઈક્રોનુટ્રીઅન્ટ કે એરીસ એગ્રો કે યારા ફર્ટિલાઇઝર બનાવતી કંપની ના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માં તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી સારી થાય.
મરચી ના છોડની રોજની અગવડતા દૂર કરી વિકાસ કરાવવા અને તણાવ માંથી બહાર કાઢવા આ કરવું જરૂરી છે મિત્રો
મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોય , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો
બાયોક્યુલમ કેવી રીતે વાપરશો? છાણ અને વાડીના કચરાને સેડવવા ઝડપી અને વધુ તાકાત વાળું ખાતર બનાવવા જેમ જેમ કચરાનો ઢગલો થતો જાય તેમ બાયોક્યુલમને પાણીમાં અથવા છાણની રબડી કરી કચરા ના ઢગલા ઉપર છાંટતા રહો.
ઝડપી અને સારું ખાતર બનાવવાના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ક્યા?
• કુચાના જેટલા નાના ટુકડા હોય તેટલું જલ્દી સડી જાય.
• બને ત્યાં સુધી છાંયો હોય તો સારું
• જો તમે બે વાર ઢગલાનો પાવડાથી કે મોટો ઢગલો હોય તો ટ્રેક્ટર કે જેસીબી થી ખાંપ મારતા રહો કે
ફેરવી નાખતા રહો તો વધુ ઝડપી ખાતર લગભગ ૧ મહિનામાં બની જાય.
બેકટેરીયાને ખોરાક શું જોઈએ
બેક્ટેરિયા ને હવા અને ભેજ જોઈએ અને ખોરાક સ્વરૂપે આ કચરો તો છે જ, હવા પણ તેને મળી જાય
પણ ભેજ માટે પાણી તેમાં નાખી ભીનું રાખતા રહો જેથી ઝડપી સડવાની પ્રક્રિયા થાય.
નિંદામણ ના બીજ પણ બળી જશે તે ફાયદો
આ રીતે તૈયાર કરેલ ખાતરમાં નિંદામણના બી બળી જતા હોવાથી આ ખાતર વાપરવાથી ખડ થતું નથી.
તમારા કોઈ પણ ખેતરનાં કુચામાંથી હવે આવું સ્ટ્રોંગ ખાતર જાતે બનાવતા જ શીખો અને
તમારી જમીન ની તંદુરસ્તી સુધારી ખેતીનું ઉત્પાદન અને આવક વધારો.
બાયોક્યુલમ એટલે :
આ દેખાય નહિ તેવા બેક્ટરિયા ભગવાને ખેડૂતો માટે ફ્રીમાં આપેલા વગર પૈસાના દાડિયા છે. તેને ઓળખો અને તમારી વાડી માં તેને કામે લગાડો. આ વગર પૈસાના દાડિયા એટલે બાયોક્યુલમ.
છાણ અને વાડીના કચરાને સેડવી ઝડપી અને વધુ તાકાતવાળું ખાતર બનાવવા વપરાતા એરોબિક બેક્ટરિયા એટલે એક્સેલ કંપનીનું બાયોક્યુલમ. તમારી નજીકના ડિલરને પૂછો