વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે , જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં તો પણ મરચી માં આવું થાય ,
બીજું કારણ આ અગાઉ આપણી ચેનલ માં વાત થયા મુજબ આપણી ખેતી પદ્ધતિને લીધે ગોંડલ વિસ્તારમાં હવે ફાયટોપથોરા દેખાવા મંડશે , હવે બધા કહેશે કે પ્રવીણભાઈ સાચું તમે કહેતા હતા તે તાપમાને આ રોગ ગોંડલ વિસ્તાર માં જોયા મળ્યો , આ રોગ થી બચવા બદલાવવું જરૂરી છે ,
બીજું કે જો છોડ નબળો રહે પણ લીલો રહે અને સુકાય નહી,
જો આવું થતું હોય તો તમે પાળા ઉપર મરચી કરવાને બદલે સપાટ પાણી ભરાય તેવા ક્યારામાં મરચી વાવતા હોય તો તમારે મરચી માં ફાયટોપ્થોરા રૂટરોટ નામનો સુકારો હોય તો પણ આવું થાય,
આ રોગ ગોંડલ વિસ્તારનો વારંવાર એકજ જમીનમાં મરચી વાવતા ખેડૂતોને જોવા મળે છે જ્યાં મરચી ની ખેતી પાળા પર થતી નથી ત્યાં ખાસ થાય છે આવતા વર્ષે મરચી વાળા માં મરચી કરવી નહિ
મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોઈ , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો
મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે ,
વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું.
પાણી જમીનમાં ભરાય એટલે જમીનની અંદર નો O2 ઓક્સીજન બહાર નીકળી જાય. ઓક્સિજન બહાર નીકળી જાય તો મૂળ શ્વસન કેમ કરે ?
થોડું ટેક્નિકલ થઇ જશે છતાં સમજવું તો જમીનમાં રહેલ આયન(લોહતત્વ) આયનમાંથી ફેરિક બની જાય અને ફેરિક છોડ ઉપાડી શકે નહિ એટલે છોડમાં આયનની ઉણપ દેખાવા માંડે છોડ પીળા પડી જાય.
મરચીની ખેતી એટલે જ તો પાળા ઉપર કરાય ,
ખેતી કરવી તો સમજી ને ,
સાચી માહિતી ક્યાંથી મળે એની કિંમત સમજાય તો પછી ખેતી ખંત થી થાય
વરસાદ પડ્યો એટલે શું થયું ? તમારા પડામાં પાણી ભરાયું , તમારી જમીનમાં પાણી ભરાય છે. એનો મતલબ કે તમારી જમીનનો નીતાર સારો નથી, આવી જમીનમાં મરચીની ખેતી કરાય નહિ. આવતા વર્ષે ધ્યાન રાખજો , જમીન સુધારણા કરો
તમને ખબર છે કે વધુ વરસાદ માં અમુક જમીન મગફળી પીળી પડે છે , કેમ ખબર છે તમને ? એવી જમીન માં મગફળી માં લોહતત્વની ખામી ઉભી થાય છે એટલે આપણે હીરાકશી ને લીંબુ ના ફૂલ છાંટીએ , એવું જ મરચીમાં પણ આયનની ખામી હોય તો થઇ શકે.
આવી જમીનમાં રેઈઝબેડ એટલે કે પાળા બનાવીને મરચીની ખેતી કરવી જોઈએ. પાળાને લીધે આવા વખતે પાણીનો નીતાર સારો મળે. એટલે મૂળને શ્વાસ લેવાની તકલીફ નહિ પડે.પીળી પડે નહિ ,