દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય
મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો
વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,
મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી
પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,
રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે
જયારે બેક્ટેરિયલ વિલ્ટમાં મરચીનો છોડના પીળા પાંદડા થયા વગર છોડ લીલે લીલો સુકાય.
400 x 90
--
મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં તો પણ મરચી માં આવું થાય ,
બીજું કારણ આ અગાઉ આપણી ચેનલ માં વાત થયા મુજબ આપણી ખેતી પદ્ધતિને લીધે ગોંડલ વિસ્તારમાં હવે ફાયટોપથોરા દેખાવા મંડશે , હવે બધા કહેશે કે પ્રવીણભાઈ સાચું તમે કહેતા હતા તે તાપમાને આ રોગ ગોંડલ વિસ્તાર માં જોયા મળ્યો , આ રોગ થી બચવા બદલાવવું જરૂરી છે ,
બીજું કે જો છોડ નબળો રહે પણ લીલો રહે અને સુકાય નહી,
જો આવું થતું હોય તો તમે પાળા ઉપર મરચી કરવાને બદલે સપાટ પાણી ભરાય તેવા ક્યારામાં મરચી વાવતા હોય તો તમારે મરચી માં ફાયટોપ્થોરા રૂટરોટ નામનો સુકારો હોય તો પણ આવું થાય,
આ રોગ ગોંડલ વિસ્તારનો વારંવાર એકજ જમીનમાં મરચી વાવતા ખેડૂતોને જોવા મળે છે જ્યાં મરચી ની ખેતી પાળા પર થતી નથી ત્યાં ખાસ થાય છે આવતા વર્ષે મરચી વાળા માં મરચી કરવી નહિ
ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું
સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?
મને ખબર છે તમારો જવાબ ના છે
તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ......
આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો
આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો .....
જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો
હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે
નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે
કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત
--
--
મરચીનો છોડ ભૂખરો થવાનું મોટું મોટું કારણ :
- બેકટેરીયલ લીફ સ્પોટ - પાનના ટપકા ના રોગ ની અસર
- ફાયટોપ્થોરા બ્લાઈટ - સુકારો,
- વધુ પડતો નાઈટ્રોજન ખાતર.
વધુ માહિતી માટે રોજ ટેલીગ્રામ ચેનલ ખેતરની વાત વાંચતારહો
ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ?
ભૂકીછારો ક્યારે આવે ?
નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી.
જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે ,
હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો
અથવા
મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે યાદ રાખજો,