વીઘે મરચીના ૫૦ મણ ખોખા કરવા છોડ દીઠ કેટલા કિલો મરચા પકાવવા પડે ? ફર્ટીગેશન - ૨




મરચીની ખેતીમાં ૫૦ મણ ખોખા કરવા એટલે છોડ દીઠ કેટલા કિલો લીલા મરચા કરવા પડે ?



તેજી નો લાભ લેવા જથ્થો વધે તેમાટે પ્રયાશ કરવો પડશે તે માટે નવીન ખાતર 
પી એસ એ પી 100 ગ્રામ પ્રતિ પમ્પ દર 8 થી 10 દિવસે ઘાટો છંટકાવ કરો અને જુવો ચમત્કાર


આપનો સવાલ છે 50 મણ  સૂકા મરચા વીઘે કરવા છે તો પહેલો વિચાર એ કરવાનો છે કે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચાને જયારે સનડ્રાય એટલે કે સૂર્ય પ્રકાશમાં સૂકવવા મુકો ત્યારે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચા સુકાય ત્યારે 
કેટલા થાય ?


એક કિલો કણે ચડેલા મરચા ઘટીને કેટલા થાય ?અંદાજ કરીયે 


તો નોધો કે મરચાની અંદર રહેલો ભેજ અંદાજે ૭૮ ટકા ઘટ થાય છે એટલે કે તમારે ૫૦ મણ ખોખા -સુકા મરચા કરવા હોય તો તમારે કણે ચડેલા લાલ ચટક અંદાજે ૨૨૭ મણ મરચા સૂકવો ત્યારે ૫૦ મણ સુકા મરચા થાય.

દાખલા તરીકે તમે નિયમ આધારિત ખેતી કરો છો
એટલે કે મરચી તમે ડ્રિપ અને મ્લચીંગ સાથે પાળા ઉપર કરી છે
દા .ત .તમે ૫ ફૂટ બાય પોણૉ ફૂટે (.૭૫ ફૂટ) મરચી વાવી છે
એટલે
એકરે ૧૧૬૧૬ પર છોડ થયા
વીઘે ૪૬૪૬ છોડ થયા

227 મણ એટલે 4540 કિલો
એટલે ભાગ્યા 4646 છોડ કરો તો
છોડ દીઠ
તમારે
977 ગ્રામ મરચા પકાવો તો તમારે વીઘે 50 મણ ખોખા થાય

હવે આ ૨૨૭ મણ મરચાનું ઉત્પાદન લેવા એટલે કે વજન વધે તે માટે કયું કયું ખાતર ક્યારે અને કેટલું આપવું , વજન વધે તેવું નવીન ખાતર એટલે પીએસએપી ખાતર, અત્યારથી પ્લાનિંગ કરો 

0 comments