આપણે મરચીના પાકમાં પોષણ ન્યુટ્રીશન - છોડની તંદુરસ્તી - મૂળની તંદુરસ્તી - છોડની પ્રતિકાર શક્તિ કે સાચું ખાતર અને સૂક્ષ્મતત્વોની જરૂરિયાત સાથે જમીનના પી એચ પર ધ્યાનજ નથી આપતા પછી કહીયે છીએ કે ઉત્પાદન નથી મળતું .ગોળ નાખો એટલું ગળ્યું થાય . જો આના પર ધ્યાન આપીયે અને સાથે સાથે છોડની આસપાસના હવામાનના વિપરીત આઘાત સામે પણ છોડ ટક્કર જીલે અને પ્રતિકારક રહે તેવું કરીયે તો એક એક છોડ ભરપૂર ફાલ આપી સુંડલા ભરી દે .
જો આ રસી મુકીયે તો આપણા દવાના સ્પ્રે જ ઘટી જાય, દવાના સ્પ્રે ઘટે તો આપનો ખર્ચ પણ ઘટી જાય અને મિત્રો જો ખર્ચ ઘટે તોજ નફો વધે.
આ નવી શોધ એટલે PSAP અથવા પોટેશિયમ મોલેક્યુલ કેવી રીતે કામ કરે તો તેનો જવાબ છે મરચીના પાન પહોળા અને ઘાટ લીલા જોવા મળે, છોડમાં નવો વિકાસ અને જુસ્સો જોવા મળે , ફૂટ અને ફાલની સંખ્યા વધે,મરચાનો ઉતારો વધે ફળનું વજન વધે,છોડ પ્રતિકારક અને મજબૂત બને, છોડ વાતાવરણીય આઘાતો સામે લડે એટલે વાયરસ કે કુક્ડ વાળા છોડ પણ નવી ફૂટ કાઢે .
સ્પ્રે ઘટે તો ખર્ચ બચે ને ખર્ચ બચે તો નફો વધે
PSAP નો અખતરો એક વીઘા માં કરીને જુવો , ચાલો એક વીઘા માં નહિ અર્ધો વિઘો PSAP ને આપો ને દર 20 દિવસે PSAP નો સ્પ્રે કરો અને પછી જુવો કે શું બદલાવ આવે છે ? તમારા ખર્ચાળ દવાના કેટલા સ્પ્રે ઘટે છે ? રોગ જીવાત કેટલા ઓછા આવે છે ?
જોજો એમ નહિ માની લેતા કે PSAP કુક્ડને કે જીવાતને મારે છે ? ના , તે રોગ જીવાત કે કુક્ડની દવા નથી તે તો છોડનું નવીન પ્રકારનું પોષણ છે - છોડની સંરક્ષણ રસી છે
PSAP એટલે = પોટેશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ ,
વધુ વિગત માટે 9825229766
મરચી માં આવતા વિવિધ રોગો અને જીવતો સામે જતુંનાશક દવા નો ખુબ મોટો ખર્ચ થાય છે તે ઘટાડવો કેવી રીતે ?
આ પ્રશ્ન ના જવાબ માં કહેવાનું કે આપણે મરચી ની ખેતી માં આવતા રોગો અને જીવાત માટે ઘણીવાર અઠવાડિયે એક વાર દવા તો ક્યારેક તો અઠવાડિયે બે વાર જતુંનાશક ના છંટકાવ કરીયે છીએ , રોગ કે જીવાત કાબુમાં લાવવા માટે વેપારી પણ એક નહિ બે નહિ પાંચ પાંચ દવા ના ડબલાં આપે છે તો ક્યારેક પરિણામ મળે છે તો ક્યારેક નથી મળતું તો કરવું શું ? બધા મરચી ઉગાડનાર અને દવાના વેપારીનો પણ આ સળગતો સવાલ છે ?
કરવું શું ?
આપણે રોગ , જીવાત , વાયરસને ટાર્ગેટ બનાવીને કાર્ય કરી રહ્યા છીએ એટલે કે ખેતર માં દેખાય તેને ઠાર કરોની નીતિ અપનાવીએ છીએ . રોગ જીવાત દેખાય એટલે પગલાં લેવા દોડીએ છીએ.આપણે કેવું હવામાન થાય ત્યારે કયો રોગ આવવાની શક્યતા વધે છે તે જાણતા નથી
થ્રિપ્સ થી પાંદડા વાટકા થયા દોડો દવા લેવા
પાંદડા ખરે છે , પાટલા માં પાંદડા ખરેલા દેખાય છે દોડો દવા લેવા
અમુક અમુક છોડ માં એકાદ ડાળી સુકાયેલી અને નમી ગયેલી દેખાય છે દોડો દવા લેવા
છોડ ઉભે ઉભો સુકાય છે દોડો દવા લેવા
અમુક ખેડૂતો તો આ બધું થાયને છોડ સાવ ખલાસ થય જાય ત્યારે દોડે
બોલો આ બધા ખેડૂતો શું કરે છે ? કેટલા મોડા પડે છે ? રોગ , જીવાત આવ્યા પછી કેટલો સમય વીતી ગયો પછી આ સારવાર કરે છે ? શું કરવું ?
મરચીની ખેતીનું અત થી ઇતિ માહિતી મેળવવવા માટે કૃષિ નિષ્ણાંત ના સંપર્કમાં રહો , ખેતરની વાત ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ , વાડીયે એક થર્મો મીટર વસાવી લો , ગુગલ વેધર જોતા રહો .
ચાલો આ વર્ષની મરચીની ખેતી બદલી નાખીએ .....
ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ એટલે મરચીના બધું ઉત્પાદન માટે કૃષિનું વિજ્ઞાન
મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો
મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે ,
તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર સહેલાઇ થી મળે છે પરંતુ વાડીયે વાડીયે માઈક્રો ક્લાયમેટમાં ફેરફાર હોય છે , બાર ગાવે બોલી બદલાય તેવી રીતે તાપમાનમાં બદલાવ હોય છે તેથી વાડીયે થર્મોમીટર વસાવવું જોઈએ તેવો મારો આગ્રહ ભલે તમને હસવા જેવો લાગતો હોય પણ એક દિવસ તમે જરૂર માનશો કે , મરચીની ખેતીમાં તાપમાનનું કેટલું મહત્વ છે ?
૧૫ સેન્ટિગ્રેડ થી થી ઓછુ તાપમાન હોઈ તો મરચીમાં ફાલ ઓછો લાગે છે
અને
૩૨ સેન્ટિગ્રેડથી વધુ તાપમાન હોય તો પણ મરચી માં ફાલ ઓછો લાગે
આ તાપમાન યાદ રાખી લો , નહીંતર શું થાય તેની વાર્તા વાંચો :
હવે રૂપિયા , સમય અને મજૂરી બચાવવાની કૃષિવિજ્ઞાનની ટિપ્સ નોંધી લ્યો તમારું 399/- રૂપિયાનું લવાજમ વસુલ કરી લો, આવીતો અનેક ટિપ્સ કૃષિ વિજ્ઞાન મેગેઝીન આપે છે
વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ માં જોડાઈ જાવ , આવું તો કેટલુંય મળશે ને તમારા રૂપિયા બચશે
દા . ત . તમને તમારા ખેતરના તાપમાનની ખબર નથી , તમારા ખેતરમાં મરચીના ફૂલ ખરે છે તમે દોડતા ડીલર પાસે જાવ છો અને તે તમને આલ્ફા નેફથેલિક એસિટિક એસિડ આપે છે અને તમે છાંટો છો પણ ફળ ખરતા અટકતા નથી એટલે તમે ચોથા દિવસે ફરી દોડતા જાવ કે વેપારી ભાઈ મારે હજી ફાલ ખરવાનું ચાલુ છે ! એટલે તે આ વખતે તે તમને માઈક્રોનુટ્રીયન્ટ આપે છે અને તો પણ ફૂલ ખરતા અટકતા નથી એટલે તમે બાજુવાળા પાડોશી ખેડૂત મિત્રને પણ પૂછ્યા વગર ફરી દોડોને જાવ છો , આ વખતે તમને તમારા વિશ્વાશું વેપારી તમને ઝીબ્રેલીક એસિડ આપે છે ને તમે ખુબ હોંશે હોંશે છાંટો છો અને ફૂલ ખરતા અટકી જાય છે . તમે ખુશ થાવ છો !
તો શું ? જીબ્રેલીક એસિડ કામ કરી ગયું ?
જી ના તાપમાન બદલાયું એટલે ફાલ ખરણ અટક્યું એમાં કેમિકલનો કોઈ રોલ નથી .આ ફાલ ખરણ તાપમાનના બદલાવને લીધે હતું.કારણકે ફાલ લાગવા માટે નીચેના કારણો જવાબદાર છે તે યાદ રાખી લો અને ખોટા ખર્ચમાંથી બચો
ફાલ લાગવાનું મુખ્ય કારણ તો તાપમાન છે,
પહેલું કારણ : રાત્રીનું મિનિમમ તાપમાન ૨૮ થી ૩૦° ગ્રે. થી ઊંચું હોય તો ફાલ લાગતો નથી. તાપમાન નીચો જતા આપો આપ ફાલ લાગવાનું ચાલુ થઈ શકે.
બીજું કારણ : ઈયળ હોય અને ફૂલને નુકસાન કરતી હોય.
ત્રીજુ કારણ : ફાલ લાગેલો છે. ફળો ઉતરતા નથી. નવા ફૂલ ખરી જાય છે. પોષણ ઓછું હોય તો પહેલા જુના ફળોને મળે છે.
ચોથું કારણ : સતત વરસાદ છે બેક્ટેરિયાનો રોગ લાગ્યો છે તો પણ ફાલ ખરણ થઈ શકે.
પાંચમું કારણ :પાણીની ખેંચ અથવા વધુ પડતું પાણીનો સ્ટ્રેસ.
છઠ્ઠું કારણ : વાઇરસ હોય .
સાતમુ કારણ : સતત વાદળછાયું વાતાવરણ સૂર્ય પ્રકાશની ગેરહાજરી નવા ફૂલ ખરી પડશે
આમ વિવિધ કારણો છે પરંતુ મહત્વનું કારણ તાપમાન છે
પણ જો તમે 250 રૂપિયાનું થર્મોમીટર વસાવ્યું હોત અથવા ગુગલ હવામાનને જોયું હોત તો 1200 નો ખર્ચ બચી જાત , ખેતી કરો તો કૃષિ નું વિજ્ઞાન સમજીને કરો , નિયમ આધારિત ખેતી કરશો તો ફાવશો . આવા અનેક કૃષિના વિજ્ઞાન ને જાણવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ અથવા ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અથવા રૂપિયા 399 /- ભરી તમારી કૃષિ વિજ્ઞાન ની કોપી ટપાલમાં ઘેર બેઠા મંગાવો 9825229966
--
--
આ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે
કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા એન્ડ રોટ લાગુ પડે છે
મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ તત્વની ખાસ આવશ્યકતા હોય છે તે ખાસ યાદ રાખવું .
જમીન ચકાસણીના આધારે જો ૭ પીએચ થી વધુ એટલેકે 8 પીએચ હોઈ તો વીઘે ૧.૬ થી ૨.૦ ટન જીપ્સમ નાખો , જીપ્સમ ઉમેરવાથી કેલ્શિયમ વધે છે PH એમનેમ રહે છે, જીપ્સમ વરસાદ પહેલા નાખો તો વધુ ફાયદો થાય છે
શાકભાજીના પાક માં કેલ્શિયમની ખાસ જરૂર છે તે માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરી શકો
વધુ વરસાદમાં મેગ્નેસીયમની ખામી વધે છે તે યાદ રાખો
કેલ્શિયમ અને પોટાસીયમનો વધુ પડતો વપરાશ થવાથી MgSo4 magnesium shulphate મેગ્નેશિયમની ખામી ઉભી થાય છે આવા સમયે મેગ્નેશિયમની પુરતી કરજો , વધુ ઉપજ લેવા માટે આ મુદ્દો બરાબર ધ્યાનમાં રાખજો .
બોરોનની ખામી દૂર કરવા માટે સોલ્યુબોર ૮૦૦ ગ્રામ આપો અથવા સેફગાર્ડ /નેનોગાર્ડ ડ્રિપ માં 500 મિલી ડ્રિપ માં ચડાવો
ઝીંક ની પૂરતી કરવા માટે ઝીકસલ્ફેટ ૫ કિલો નાખો
યાદ રાખો બોરોન અને ઝીંક સાથે ભેળવવાનું નથી
આવી નાની નાની વાતો તમને કોઈ કહેશે નહિ તમારી પાસે જાણકારી - માહિતી હોવી જોઈએ આવી માહિતી આપતા ગ્રુપ સાથે સતત જોડાયેલા રહો , એક એક નાની માહિતી તમારી ખેતીની આવક વધારી શકે છે , આ માહિતી બીજાને શેર કરો
--
--