દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય
મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો
પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે
એફીડોપાયરાપેન
સાયન્ત્રાનીલીપરોલ
ફ્લોનીકામીડ
એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ)
પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા
કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ
કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે.
કથીરી પાન ફૂલ ફળમાંથી રસ ચૂસે છે. પાનને કુકડાવી નાખે છે જે ફૂલમાંથી રસ ચુસ્યો હોય ત્યાં ફળ બનતા નથી.
વધુ નુકસાન થાય તો પાન તાંબાવણૉ થઈ જાય છે્ ફળો પણ કઢંગા થઈને ખરી પડે છે. જ્યારે છોડમાં પાણીની ખેંચ હોય ત્યારે કથીરીનો ઉપદ્રવ વધુ દેખાય છે. કથીરીનું નિયંત્રણ કથીરીનાશક દવાથી કરવાનું હોય છે તે યાદ રાખો