થ્રીપ્સનું નિયંત્રણ ક્યારે કરવું? તે ખુબ અગત્યનું છે તેથી ખેતરમાં આંટો મારી સ્કાઉટીંગ કરી ને મરચી ની થ્રેસોલ્ડ લેવલ પ્રમાણે પાંદડા દીઠ કેટલી થ્રીપ્સ છે તેનુ અવલોકન કરતુ રહેવું નહીતર થ્રીપ્સ નો ઉપદ્રવના નુકશાનમાંથી મરચીનો છોડ બહાર આવી શકતો નથી તેટલું થ્રીપ્સ પાંદડા ઉપર ઘસરકા કરીને નુકશાન કરી દે છે. મરચી ની ખેતી બહુ ટેક્નિકલ ખેતી છે , મરચી ની ખેતી નિયમ આધારિત કરો , ક્વોલિટી મરચા પકાવશો તો ફાવશો
થ્રીપ્સના નિયંત્રણ માટે
જંપ (ફીપ્રોનીલ) ૫ ગ્રામ/પંપ અથવા
સ્પીન્ટોરમ અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
ફેનપ્રોપેથ્રીન અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) ૨૫ મિલી/પંપ અથવા
રીઝન્ટ (ફીપ્રોનીલ) ૨૫ મિલી/પંપ અથવા
સ્પીન્ટોર (સ્પીનોસાડ) ૧૫ મિલી/ પંપ અથવા
મોવેન્ટો (સ્પયરોટેટ્રામેટ) ૧૨ મિલી/પંપ વારાફરતી પ્રયોગ કરવો.
થ્રીપ્સ જેવી નાનકડી જીવાત મરચીનો મહાદુશ્મન છે , થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. અન્યથા એકવાર તેનો ઉપદ્રવ ખૂબ વધે તો છોડને ખૂબ જ નુકસાન કરે છે એટલે તો સમયસર થ્રિપ્સ નો કંટ્રોલ કર્યો ના હોય તો ઉત્પાદન ઘટે છે એ આપણા માટે મરચીની ખેતીનો નુકસાનનો સોદો પડી શકે.
થ્રીપ્સનાં નુકસાન માંથી ઘણી વખત છોડ બહાર આવી શકતો નથી. તેટલું નુકસાન આ નાનકડી જીવાત કરી શકે છે. થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે મૂકે છે, પાન કુકડાઈ જાય છે, જો આનું જીવન ચક્ર ની જાણકારી ના હોઈ તો ખેડૂત ખર્ચના ખાડા માં પડી જાય છે ,
દવા ઈંડા માટે જુદી અને દવા નાનકડા બચ્ચા માટે જુદી હોઈ છે એ પણ ખબર ના હોઈ તો ખર્ચ ના ખાડા માં ઉતાર્યા સમજો , તમારા પણ પાર ક્યાં સ્ટેજ ની થ્રિપ્સ છે તે જોજો , દવા લેવા ક્યારે જાવ છો તે મુજબ દવા બદલી જાય છે , સારી અને સાચી દવા વાપરજો , ટેક્નિકલ ક્યુ છે તે જાણજો અને દવા સીલબંધ પેકીંગ માં ખરીદજો , નિયમ આધારિત ખેતી કરો
થ્રીપ્સ એક સૌથી વધુ નુકસાન કરતી મરચીની દુશ્મન છે , તમને થ્રીપ્સ ક્યારે આવે ? ક્યારે મારવી ? કઈ દવા છાંટવી ?ક્યારે છાંટવી ? તે જ ખબર ન હોય તો મરચી ખાખરી જાય છે મરચા ઉપર લીટા લીટા થઈ જાય છે તે લીટા આડા કે ઉભા હોઈ શકે જાણે મરચાં તરડાઈ ગયા હોય તેવા થઈ જાય છે.
થ્રિપ્સ જીવાત ક્યારે ઈંડા મૂકે અને ક્યાં મૂકે તે આપણને ખબર છે કરણ કે આગળ આપણે જોઈ ગયા .થ્રિપ્સ ઈંડા પાંદડામાં ખાંચ કરીને અંદર ઈંડા મૂકે અને તે બેદિવસમાં સેવાઈને બચ્ચા બહાર આવી જાય . જો ઈંડા ને મારવા હોય તો ટ્રાન્સ્લેમીનીયર એટલે કે આંતરપ્રવાહી , આ દવા ઈંડાનાશક એટલે ઓવિસાઈડ કામ આવે છે.બચ્ચા બહાર આવી ગયા પછી આ દવા નહિ ચાલે ત્યારે કોન્ટેક્ટ દવા છાંટવી પડે
આ દવા સમય પ્રમાણે છાંટવી જોઈએ , ઈંડા અવસ્થા પુરી થયા પછી નહિ
આવી દવાની વાત કરીએ તેમાં પાંચ દવા નોંધો ,
ક્લોથીયાનીડીન,
ફીપ્રોનીલ,
ઈમીડાક્લોપ્રીડ,
પાયરીપ્રોક્ષીફેન
ઈટોફેનપ્રોક્ષ
વગેરે છે
400 x 90
થ્રિપ્સનું અત થી ઇતિ ? મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું
બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...