આપણે કેમિકલ ઇન્જુરી ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
બે ખોટી દવા ગાંધારીની જેમ આખે પાટા બાંધીને લાવવી અને છાંટવી ( સમજાયું) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવાને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચીનો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાનને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણના ઘાવ
મરચી માં કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
આજે આપણે કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ દવા ભળતી નથી તેની નોંધ કરો
મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
હુંમિક એસિડ
અને અન્ય
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? વિચારજો
ગોંડલ વિસ્તારના ખેડૂતો મરચીની ખેતીમાં મહેનત બહુ કરે છે પરંતુ મરચીના ઉત્પાદનમાં પાછળ રહે છે ? શું કારણ ?
1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે સારું બીજ પસંદ કરો
2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા , મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .
3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .
4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .
મરચી ના પાંદડા પર આપણે કેમિકલ ઇન્જુરી ખોટી દવા કે દવાના મિશ્રણ નું નુકશાન ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
આપણે કેવા ખબર છે ? આપણે અભ્યાશ બહુ ઓછો કરીયે અને ડાયરી પણ રાખીયે નહિ
આપણે બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટીએ
અથવા
ઘણી વાર પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બે કે ચાર દવા ને મિક્સ કરી ને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી
આવું થાય ત્યારે કેટલું નુકશાન જાય તેની આપણને જરાય ખબર નથી બોલો,
છોડ આ આઘાત કે નુકસાની માંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ
મરચી માં ટબુકોનાઝોલ અને મેટાલેકઝીલ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
ટેબુકોનાઝોલ સાથે કોપર હાઇડ્રોક્સાઇડ કે કોપર ઓક્સીકલોરાઇડ ભળતું નથી
મેટાલેકઝીલ સાથે કોપર કે માઇક્રોનાઇઝડ સલ્ફર કે લૂફેનયુરોન કે થાયોડિકાર્બ ભેળવવું નહિ
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?
કારણ મરચી તો તમારી છે ને તેમાંથી તમારે આવક મેળવવા ની છે તો પછી કાળજી તમારી હોવી જોઈએ ને દવાના વેપારી ની ?
બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટવી ( સમજાયું ? ) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવા ને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ?
આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ
મરચી માં કોપર ઓક્ઝિક્લોરાઇડ અને કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવાનું મિશ્રણ ના કરાય તે નોંધો
આજે આપણે કોપર ઓક્ઝિક્લોરાઇડ સાથે કઈ દવા નથી ભળતી તે નોંધી રાખો
મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
અને અન્ય
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?
કારણ મરચી તો તમારી છેને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ?
આપણે જંતુનાશક દવા થી અથવા નિંદામણ નાશક ની આડ અસર અથવા મરચીના પાંદડા પર વિપરીત અસર ની વાત કરી રહ્યા છીએ
આજ નો પ્રશ્ન પણ ખુબ અગત્યનો છે કે પ્રોફેનોફોસ સાથે કઈ દવા ભેળવવી જોઈએ નહિ ?
આપણે તો શું કરીયે છીએ ?
બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટવી ( સમજાયું) ? અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બંને દવા ને મિક્સ કરી ને પાણી નું પ્રમાણ કે છંટકાવ માં વપરાતા પાણી ના પી એચ નું ધ્યાન રાખ્યા વગર ભાગીયાને કહીયે કે છાંટી દે અથવા પ્રમાણ ના જાળવવાથી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને પછી છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ?
આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ
મરચી માં પ્રોફેનોફોસ દવા સાથે કઈ બીજી દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
વધુ પડતી ગરમી એટલે સૂર્યપ્રકાશથી પણ દાઝ લાગવાથી મરચામાં ડાઘ પડે છે. તેને સન સ્કેલ્ડ કહે છે.
સૂક્ષ્મ તત્વની ખામીના લીધે ફળનું ફાટી જવું,
કરા પડે તેનું નુકસાન વળી અલગ હોય છે,
કેલ્શિયમની ખામીથી બ્લોસમ રોટ આવી શકે છે ,
ઘણી વખત ચીલાચાલુ સસ્તાના લોભે ક્લોરિન યુક્ત ઉપરથી છાંટવાના ખાતરોથી પાન પર ઘસરકા થાય છે તે નુકસાન દેખાતું નથી પણ ઉત્પાદન વધારવાને બદલે ઘટાડે છે.
વેપારી પાસેથી ક્વોલિટી ઇનપુટસ જંતુનાશક ખરીદતી વખતે માંગતા આવડવું જોઈએ
નહીં કે જે આપે તે છાંટવું.
ઘણીવાર બે ખોટી દવાઓ ભેગી કરવાથી પાન પીળા પડે છે, ખાખરી જાય છે, વાંકા વળી જાય છે, તેને કેમિકલ ઇન્જરી એટલે રસાયણનું નુકસાન કહે છે.
ખોટી દવા છાંટીએ અથવા વધુ પ્રમાણ છાંટીને મરચીના છોડવાઓને રાડ બોલાવી દઈએ છીએ , આપણી પાસે નથી એવા કાન કે નથી એવી નજર કે આપણે છોડ જે પોકારી પોકારીને કહે છે તે સાંભળી શકીયે ,
આપણે તો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને નઠારી દવાના રગડા સાચા નિદાન વગર છાંટે રાખીયે છીએ અને પાછા નો - ભેળવવાના રસાયણો ભેળવીએ
મરચીના છોડના પાન રૂપી રસોડામાં સ્કોરચિંગ ( પાંદડા ઉપર ઘસરકા કે દવાની દાહક અસરના લીટા પડવા ) કે પાન પર આવા કેમિકલના લીટા પડવા થી છોડ તણાવ માં આવી જાય છે , પાછો પડી જાય છે .
બહુ બધા રસાયણો ભેગાના કરો , ક્લોરીનવાળા ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નહિ વાપરો , હક્ક થી જોઈએ તે ટેકિનકલ માંગતા શીખશો તો ફાવશો ,
ખેતીની અવનવી સાચી પદ્ધતિ વિષે વાંચવું હોય તો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ પેજ રોજ એકવાર ખોલજો અને બીજા મિત્રોને પણ કહેજો કે આ કૈક સારું છે ....
નિંદામણ એક મોટો કંટાળો છે , મજૂરો ની સમશ્યા છે એટલે કેમિકલ થી ઉભા પાક માં નિન્દામણનાશક છાંટીને પાકને નિંદામણ મુક્ત રાખી શકાય છે
મરચી ના ઉભા પાક માં પેરાકવોટ /ગ્રામેકક્ષોન નોન સિલેકટીવ નિંદામણ નાશક છે ,
ઉભા પાક માં છાંટવાનું હોય તો તેમાં એન્ટી ડ્રીફટ નોઝલ વાપરવી ફરજીયાત છે એટલે કે તેની ઝીણી જણ પણ ઉડેનહીં તેવી નોઝલ
કારણ કે જો છોડ ઉપર ઉડે તો છોડ પણ બળી જાય તેવું નોન સિલેક્ટિવ નિંદામણનાશક છે.
સ્પ્રે બુંદ બુંદ થવો જોઈએ હુંડ વાપરવું ફરજિયાત છે.
નોંધ : ગોળ પાન વાળા નિંદામણ માટે મરચી માં પોસ્ટ ઇમારજન્સ કોઈ ભલામણ નથી.
ફેરરોપણી પછી ૧૦-૧૨ દિવસ આસપાસ ટરગાસુપર નો ઉપયોગ કરી લાંબા પાન વાળા નીંદણનુ નિયંત્રણ કરી શકશો
વધુ વિગત તમારા નજીકના એગ્રો વાળા ને પૂછો અને નિંદામણ નાશક વાપરતા પહેલા તેનું લિટરેચર ધ્યાન પૂર્વક વાંચો
મરચીના પાન ઉપર ઘસરકા છે અથવા પણ લાંબા થઇ જવા
સૂર્યતાપની ગરમી
બાયો દવાની દાઝ, વધુ પડતી દવાનો ડોઝ,
ક્લોરીનવાળા ખાતરોનો છંટકાવ. ઉપરથી છાંટવા ના ખાતરો ક્લોરીન મુક્ત ખરીદો