પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે
એફીડોપાયરાપેન
સાયન્ત્રાનીલીપરોલ
ફ્લોનીકામીડ
એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ)
પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા
કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ
ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમેટિક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે બે પાંદડા વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેલી લીફ માયનર પાનમાં (સર્પોલીયું) લીટા કરતી જીણી જીવાત. ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં શોષાય અને પાનમાં ઊંડે સુધી ઊતરી જાય.
સીસ્ટેમિક એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય તેવી દવા અથવા ફુગનાશક
ટૂંકમાં આ બંને દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?
કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,
કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨0 મીલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મીલી/ પંપ અથવા
પેગાસસ (ડાયફ્રેન્થુરોન) ૨૫ મીલી/ પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૦ મીલી/ પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઈટ) ૪૦ મીલી/પંપ
અથવા
ફેનપ્રોફેથરીન અથવા
મિલિબેક્ટિન અથવા
પ્રોપરગાયટ અથવા
ક્લોરાફેનપાયર અથવા
બુફ્રોફ્રેન્ઝીન અથવા
લેમડા સાઈહલોથરીન નો પ્રયોગ વારાફરતી કરવો
મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે
એટલે કૂકડનું.
આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,
કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે
એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.
સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો
ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.
ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો
સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો
સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,
સફેદમાખી આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે
મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું
આજેજ તમારા દોસ્ત ને શેર કરો
કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં ,
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો
--
--
ખુબ સારો પ્રશ્ન છે , આના જવાબ માટે આપણે મૂળ ની કાર્ય રચના સમજવી પડે
મરચીના રોગો માટે એટલે કે ખાસ કરીને મૂળના રોગો માટે ડ્રેન્ચિંગ કરવું તેવું વૈજ્ઞાનિકો એટલા માટે કહે છે કારણ કે મૂળનો સ્વભાવ અથવાતો મૂળ ની કાર્ય રચના ખોરાક કે પોષણ ને નીચેની ઉપર જવાની છે તે પોષક તત્વો હોય કે પાણી નીચેથી ઉપર લઇ જાય છે.
વૈજ્ઞાનિક ભાષામાં આને એક્રોપેટલ મુવમેન્ટ કહે છે.
આપણે મૂળના અથવા જમીન જન્ય રોગનું નિયંત્રણ કરવું હોય કે પોષણ કે જંતુનાશક રસોડારૂપી પાનમા પહોંચાડવું હોય તો મુળ ની આ કાર્ય રચનાને ધ્યાનમાં લેવી પડે કે નહિ ?
સાથે સાથે છોડ વધુ સારા મૂળ નો વિકાસ કરે તે માટે મરચી માં તમારે વામ નું ડ્રેનચિંગ કરી જુવો અને જુવો તંતુમુલ અને છોડ માં અદભુત બદલાવ ,
એટલે યાદ રાખો ડ્રેન્ચિંગ વધુ અસરકારક છે , વિજ્ઞાનને સમજો , ખેતી માં બદલાવ લાવો
હવે વરસાદ ખુબ પડ્યો છે થોડી ગરમી પડશે એટલે બધાની મરચી માં ફૂગજન્ય રોગો ની રાડ બોલી જશે આપણે આ વખતે નીચેના ત્રણ રોગ નું ખાસ ધ્યાન રાખવું પડશે
પાનના ટપકા નો રોગ - વરસાદ પૂરો થાય ઉઘાડ નીકળ્યો નથી ને કોપર + સ્ટ્રેપટો નો છંટકાવ વત્તા ડ્રેનચિંગ કરી દેજો
ફાયટોપથોરા બ્લાઈટ આ વર્ષે વધુ દેખાશે : ફળ બેસવાનું શરૂથાય તે પહેલા સઘન છંટકાવ અને ડ્રેન્ચિંગ કરવું પડશે
એન્થ્રેકનોઝ આ વર્ષે વધુ આવશે : લાલ સૂકા મરચાં નો આ રોગ માટે અત્યારથી જાગવું પડશે નહીંતર મરચાં માં ડાઘી પડી પછી કાબુમાં નહિ આવે
અત્યારથી જાગી જજો
ખોટી દવા કે બે પાંચ દવા ભેગી કરી છાંટતા નહિ
નામનેઠા વગર ની દવા થી દૂર રેજો
રોજ મરચી ના ખેતર માં આંટો મારવાનું નીમ લેજો તો બધું સમયસર કરી શકશો
આ પોસ્ટ તમારા મિત્ર ને ફોરવર્ડ કરી તેને પણ જાગી જવાનું કહેજો
વાંચતા રહો ખેતર ની વાત તમારા મોબાઇલમાં - મારી બ્લોગ પોસ્ટ
પ્ર .