Showing posts with label .જીવાત. Show all posts
Showing posts with label .જીવાત. Show all posts
ખુબ સારો પ્રશ્ન છે , આના જવાબ માટે આપણે મૂળ ની કાર્ય રચના સમજવી પડે
મરચીના રોગો માટે એટલે કે ખાસ કરીને મૂળના રોગો માટે ડ્રેન્ચિંગ કરવું તેવું વૈજ્ઞાનિકો એટલા માટે કહે છે કારણ કે મૂળનો સ્વભાવ અથવાતો મૂળ ની કાર્ય રચના ખોરાક કે પોષણ ને નીચેની ઉપર જવાની છે તે પોષક તત્વો હોય કે પાણી નીચેથી ઉપર લઇ જાય છે.
વૈજ્ઞાનિક ભાષામાં આને એક્રોપેટલ મુવમેન્ટ કહે છે.
આપણે મૂળના અથવા જમીન જન્ય રોગનું નિયંત્રણ કરવું હોય કે પોષણ કે જંતુનાશક રસોડારૂપી પાનમા પહોંચાડવું હોય તો મુળ ની આ કાર્ય રચનાને ધ્યાનમાં લેવી પડે કે નહિ ?
સાથે સાથે છોડ વધુ સારા મૂળ નો વિકાસ કરે તે માટે મરચી માં તમારે વામ નું ડ્રેનચિંગ કરી જુવો અને જુવો તંતુમુલ અને છોડ માં અદભુત બદલાવ ,
એટલે યાદ રાખો ડ્રેન્ચિંગ વધુ અસરકારક છે , વિજ્ઞાનને સમજો , ખેતી માં બદલાવ લાવો
હવે વરસાદ ખુબ પડ્યો છે થોડી ગરમી પડશે એટલે બધાની મરચી માં ફૂગજન્ય રોગો ની રાડ બોલી જશે આપણે આ વખતે નીચેના ત્રણ રોગ નું ખાસ ધ્યાન રાખવું પડશે
પાનના ટપકા નો રોગ - વરસાદ પૂરો થાય ઉઘાડ નીકળ્યો નથી ને કોપર + સ્ટ્રેપટો નો છંટકાવ વત્તા ડ્રેનચિંગ કરી દેજો
ફાયટોપથોરા બ્લાઈટ આ વર્ષે વધુ દેખાશે : ફળ બેસવાનું શરૂથાય તે પહેલા સઘન છંટકાવ અને ડ્રેન્ચિંગ કરવું પડશે
એન્થ્રેકનોઝ આ વર્ષે વધુ આવશે : લાલ સૂકા મરચાં નો આ રોગ માટે અત્યારથી જાગવું પડશે નહીંતર મરચાં માં ડાઘી પડી પછી કાબુમાં નહિ આવે
અત્યારથી જાગી જજો
ખોટી દવા કે બે પાંચ દવા ભેગી કરી છાંટતા નહિ
નામનેઠા વગર ની દવા થી દૂર રેજો
રોજ મરચી ના ખેતર માં આંટો મારવાનું નીમ લેજો તો બધું સમયસર કરી શકશો
આ પોસ્ટ તમારા મિત્ર ને ફોરવર્ડ કરી તેને પણ જાગી જવાનું કહેજો
વાંચતા રહો ખેતર ની વાત તમારા મોબાઇલમાં - મારી બ્લોગ પોસ્ટ
પ્ર .
મરચીની ખેતી કપાસ કરતા પણ સારી ગણાય છે ,
મરચી ની ખેતી માટે બીજની પસંદગી સારી અને સાચી કરવી પડે , કોઈની દેખાદેખી માં નહિ પણ પોતાની સુઝબુઝ થી બીજ પસંદ કરજો ,
બીજ પસંદગી કરો ત્યારે તમારી આવડત , તમારી જમીન, તમારી કુનેહ અને મરચી ની ખેતીને તમારો કેટલો સમય આપશો? તેના આધારે બીજ ની પસંદગી કરવી ,
વધુ વિગત માટે તમારી જમીનની માહિતી આપી જાણો કે તમારે ક્યુ બીજ લેવાય ? તમારા મોબાઈલ ને કામે લગાડો 9825229866 , આ વર્ષની મરચીની ખેતીમાં કઈ નવી જાત સારી અને તે જોવા જવા શું કરવું તે પૂછો અને આવતા વર્ષની મરચીની ખેતી બદલી નાખો
મરચીમાં રોગ આવતો અટકાવવા શું કરવું ?
રોગકારકો તમારા ખેતર માં આવે નહિ તે ધ્યાન રાખવું પડશે .
એવી ખેતી પદ્ધતિ અપનાવવી પડશે કે રોગકારક ફેલાય ઓછા .
રેઈઝ બેડ એટલે કે પાળા - મ્લચીંગ અને ડ્રિપ આધારિત ખેતી કરવી પડશે .
રોગ ક્યારે આવે તે વાતાવરણ ને ધ્યાનમાં લઇ ને પાણી પહેલા પાળ બંધાવી પડશે .
સમયસર સાચી ફૂગનાશકના છંટકાવ કરવા પડશે મોડું નહિ ચાલે .
રોગપ્રતિકારક જાતો ની પસંદગી કરવી પડશે , નવી રોગ પ્રતિકારક જાતો અપનાવો .
ખેતી પદ્ધતિમાં કરો ફેરફાર
રોગકારક : વાવેતર પહેલા આજુ બાજુ ના સેઢા પાળા પર ઉગેલા નિંદામણ દુર કરો .
બોર્ડર વાવેતર : ફરતા એવો પાક લગાડો કે આજુ બાજુ ના ખેતર માંથી
મોલો, થ્રીપ્સ, સફેદ માખી ચુસીયા સીધા હુમલો ના કરે .
પાક ફેરબદલી : એક ને એક ખેતરમાં મરચી નહિ , પાક ફેરબદલી કરો ,
અગાવના પાકનો નાશ કરવા ગ્લાયફોસેટ છાંટી સંપુર્ણ નાશ કરો પછી ખેતર ને આરામ આપો .
સ્ટીકી ટ્રેપ : ચુસીયા ખેતરમાં આવવા જ ના દો - વધુ ને વધુ પીળા - બ્લુ ચીકણા ટ્રેપ લગાડો .
થ્રીપ્સને ઈંડા મુકવા છે પણ તેને કેવું વાતાવરણ થાય ? ત્યારે તે સંવનન કરે અને પછી માદા ક્યાં ઈંડા મૂકે? . સાવ સાદા દાખલા સાથે સમજીયે ,
૩-૪ ડિગ્રી તાપમાન ગઈ રાત કરતા આ રાતનું વધે તો આપણને શું થાય? ચાલો સમજીએ
દાખલા તરીકે તમે કુલર કે એસી વગરના રૂમમાં રાત્રે સુતા છો. થોડું વાતાવરણ ઠંડુ છે તમે ગોદડું ઓઢ્યું છે. રાત્રે વાદળા આવી જાય એટલે વાતાવરણ એટલે કે જમીનની ગરમી હવે ઠંડી થશે નહીં. એટલે રાત્રે તમને ગોદડુ કાઢી નાખવાનું મન થશે આવું બને ત્યારે તમે દોડીને ફળિયામાં જાવ અને જુઓ વાદળા છે? ગઈ રાત્રી કરતા આજની રાત્રિનો આ ૩-૪ ડિગ્રીનો વધારો થ્રીપ્સની નર-માદાને મેટિંગ સંવનન કરાવશે.
બીજા દિવસથી જ થ્રીપ્સની માદા ઈંડા મુકશે. ક્યાં મુકશે? પાન ઉપર સ્લીટ એટલે કે ચીરો કરીને પાનની વચ્ચે, ઈંડામાંથી બે દિવસમાં બચ્ચા બહાર આવી જશે. તમારે ઈંડાનાશક ક્યારે છાંટવાનું હોય ?
જ્યારે આગલી રાત કરતા ૩-૪ ડિગ્રી આ રાત્રે તાપમાન વધ્યું, વાદળા છે બસ તે રાતથી બે દિવસમાં તમારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીયર છાંટી શકાય, આવું વાતાવરણ જેટલીવાર થાય તેટલીવાર દવા છાંટવી પડે એ ખાસ યાદ રાખો . નહિતર બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટમીક દવા બદલવાની અથવા મોટા નુકસાન માટે તૈયાર રહેવાનું,
તમારી પાસે પાંદડામાં થ્રિપ્સ ના બચ્ચા જોવાનો બિલોરી કાચ છે ? નથી તો તમારે થ્રિપ્સ ની ફરિયાદ કરવાનો હક્ક નથી
હવે કહેતા નહીં કે હું તો બહારગામ હતો, હું ભૂલી ગયો, બીજો નથી છાંટતો હું શા માટે છાંટું? દવા વાળાએ બીજી દવા દીધી, વગેરે વગેરે
તમારી મરચી હોય તો નિર્ણય તમારો હોવો જોઈએ. અને આપણે આજદી સુધી બીજાનો નિર્ણય ચલાવ્યો હવે નિયમ આધારિત ખેતી કરી રોજના રાત્રીના તાપમાન પર નજર રાખો .
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.