Showing posts with label .બેકટેરીયલ સ્પોટ. Show all posts
Showing posts with label .બેકટેરીયલ સ્પોટ. Show all posts
મરચીમાં ટપકાનો આ રોગ ઝેન્થોમોનાસ રોગકારક બેક્ટેરિયાને લીધે થાય છે.
જેમ વાયરસ કે ફૂગ થી રોગ લાગે તેમ બેક્ટેરિયા થી પણ રોગ લાગે , બેક્ટેરિયા ફૂગ કરતા નાનું હોય , બેક્ટેરિયાને જીવાણું પણ કહેવાય તેને લીધે સૌ પ્રથમ પાંદડાના નીચેના ભાગે નાના, અનિયમિત આકારના, પાણી પોચા ટપકા પડે છે. તે પાછળથી ટપકા મોટા બને છે. ડાર્ક બ્રાઉનથી કાળા બને છે. જેમાં ચારે ફરતે કાળું પણ વચ્ચે પીળો ડાઘ હોય છે. રોગ વધુ થતા પાંદડા ખરવાનું શરુ થાય છે. થડમાં પણ ડાઘ પડે છે, ફળ ઉપર બળિયા ટપકા જેવા ટપકા પડે , આ મુજબ ના લક્ષણો ધરાવતા રોગને બેક્ટેરીયલ સ્પોટ કહેવાય છે. જયાં સતત ભેજ રહે ત્યાં બેક્ટેરિયા લાગે , ફુગને સમજવા એક દાખલો લઈએ આપણા ચામડાના બુટ ભીંજાય ગયા પછી છાંયડામાં સુકવ્યા છે , બે ચાર દિવસમાં શું થશે ? બુટ ઉપર સફેદ કલરની ફૂગ લાગશે , ફૂગ ને વિકાસ પામતા સમય લાગે , ફૂગ નુકશાનકારક અને ઉપયોગી બંને પ્રકારની હોય , ટ્રાઈકોડરમાં વિરિડી , માયકોરાયઝા વગેરે ખેતી ઉપયોગી ફૂગ છે .
દા.ત. ૧૪ કલાક મરચીના પાન , વરસાદ કે ઝાકળના લીધે ભીના ને ભીના રહ્યા તો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો ચેપ મરચીને લાગશે. જે મરચીમાં પાનના ટપકાનો રોગ લાવશે. બેક્ટેરિયલ પાનના ટપકાનો રોગ માટે સમયસર પગલાં લેવા ખુબ અગત્યના છે પણ આપણે મરચીના પાનને ચેપ લાગ્યા પછી જયારે પાન 15 દિવસ પછી ખરે ત્યારે દવા છાંટીએ .
આ રોગ થવાનું કારણ : ગરમ અને ભેજવાળું હવામાન
નિયંત્રણ : બેક્ટેરીયલ સ્પોટ ને અટકાવવા માટે રોપ સારો વાપરો, પાક પૂરો થયે થડીયા અને ઝડીયા કાઢી નાખો પાક નીકળી જાય એટલે ખેતર ને એમનામ ખેતર માં જાડિયા પડ્યા રેવા દેવા જોઈએ નહિ , ગ્લયફોસેટ છાંટી સંપૂર્ણ બાળી નાખો , વધુ વિગત માટે બ્લોગના હોમ માં 3 લીટી છે ત્યાં જઈ ને બેક્ટેરિયલ સ્પોટ વિષે વિગતે વાંચો અને અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત માં જોડાઈ ને બધા સમાચાર સમયસર મેળવો
સતત વરસાદની શક્યતા હોય, ઝાકળની શક્યતા હોય, ત્યારે જો સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર કે જે વેપારીઓ લાગઠ બધાને આપતા હોય છે અને કહેતા હોય છે કે દવા બધે ચોટી રહે પણ જો તમે ઉપરની વિગત પ્રમાણેનું વાતાવરણ હશે ત્યારે તમે ૧ ઢાંકણું પંપમાં નાખ્યું તો તમે નુકશાનમાં આવી જશો.
બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન પોતમેળે ખરે , ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? 15 દિવસ
એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાયકલીન) અથવા
કોપર + એલીએટ (ફોઝેટાઈલ) નો ઘાટો સ્પ્રે કરવો.
સૌ પ્રથમ પાંદડાના નીચેના ભાગે નાના, અનિયમિત આકારના, પાણી પોચા ટપકા પડે છે. તે પાછળથી ટપકા મોટા બને છે. ડાર્ક બ્રાઉનથી કાળા બને છે. જેમાં ચારે ફરતે કાળું પણ વચ્ચે પીળો ડાઘ હોય છે.
રોગ વધુ થતા પાંદડા ખરવાનું શરુ થાય છે. થડમાં પણ ડાઘ પડે છે. ફળ ઉપર પણ ડાઘા પડતા જેવા મળે છે. ફળ પરના આ ટપકા ખરબચડા હોય છે.
મિત્રો, આપણા પાકને અને આપણી આવક ને સૌથી વધુ નુકસાન કરતી પરિસ્થિતિ એટલે રોગ ,
રોગ આવી ગયા પછી પાન ખરે તે બેક્ટેરિયલ સ્પોટ હોય કે મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝના ડાઘ પડે તે રોગ હોય આ આપણા માટે નુકસાની નો સોદો બને એમાંય આ તેજી
એટલે રોગને તો આવે ત્યાં જ નિયંત્રણ કરવો સારો અથવા આવવાના કારણો જણાય કે તરત જ પગલાં લેવા.
હવે 12 થી 14 કલાક છોડ. ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે ફુગનાશક છાંટવી પડે તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય ભાઈ
ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો 12-14 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાકા ફળો નો આ રોગ આવશે ત્યારે તને 125 રૂપિયા નો પંપ થાય તેવી દવા ના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા સતત ભીના રહ્યા તેટલી વાર છાંટો
છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
બંને રોગ છે અને બંને વાતાવરણમાંના બેક્ટેરિયાને લીધે થાય છે , બંને ને ઉગતા ડામો તો ફાયદો થાય ,
બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે સુકારો તેમાં છોડ લીલે- લીલો છોડ સુકાઈ જાય છે આવું એસિડિક પીએચ વાળી જમીનમાં વધુ થાય છે , આપણા રાજકોટ જિલ્લા માં આવી જમીન મોટાભાગે નથી , પછી ખબર નહિ ટાશ કે નકામો કાંપ ઉમેરીને કોઈએ બગાડી હોઈ તો ......
બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનનાં ટપકાનો રોગમાં પણ પર ટપક પડે છે જેમાં મરચી ના પાન ખરી પડે છે એટલે મોટુનુકશાન થાય છે
ખુબ જ સારો પ્રશ્ન, તમારો પ્રશ્ન પરથી લાગે છે કે તમે મરચીની સારી ખેતી કરતા હશો.
દેડકાની આંખ જેવા મોટા ટપકા પાન પર પડે તેને ફ્રોગ આઈ સ્પોટ અથવા સરકોસ્પોરા લીફ સ્પોટ કહે છે.જે ફૂગ થી થતો રોગ છે આપણે મગફળીમાં ટીક્કા કેમ પડે તેવી રીતનું આમાં થાય છે. ઓગષ્ટ- સપ્ટેમ્બરમાં અને ઓકટોબરમાં આનો ઉપદ્રવ હોય,
પાનના ટપકા બેક્ટેરીયલ લીફ સ્પોટમાં અનિયમિત આકારના ટપકા પડે રોગ બેક્ટેરિયા થી થાય આ હવે વાત છે બંનેને ઓળખવા કેમ ?
બેક્ટેરીયલ સ્પોટમાં પાન પોત મેળે ખરે
જયારે સરકોસ્પોરા માં તમે અડો તો ખરે
એટલે છોડ પાસેથી નીકળો અને અડો તો ખરે.
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.