પ્રશ્ન શું છે ?
કારણ શું છે ?
ઉપાય શું છે ? અને
હું શું કરી શકું ?
આ ચાર સવાલના જવાબ જે ખેડૂત ને મળી ગયા તે મરચીની ખેતીમાં સફળ
આવા ખેડૂત રૂપિયા કમાય બાકીના જોઈ રહે
આજનો પ્રશ્ન
મરચીની ખેતીમાં રોગ આવવાના કારણો અને પરિબળો ક્યાં છે ?
રોગ આવવામાં મદદ કરતા પરિબળો
જેવા કે
ગરમી
દુષ્કાળ -સુકો
પોષણ ની ખામી કે ખાતરની વિપરીત અસરો -દાહક અસરો
કેમિકલ INJURY, ખોટી દવાનો છંટકાવ
મીકેનીકલ INJURY, ખેત ઓજાર કે મજૂરો દ્વારા કે પશુ દ્વારા છોડને નુકશાન
POOR DRAINAGE- પાણી નો ભરાવો-વધુ પડતો સતત ભેજ
જમીનનો અને પાણીનો પી.એચ વધારે કે ઓછો
આસપાસના વાતાવરણ નું પ્રદુષણ
હિમ પડવો-લીવીંગ BIOTIC
પરજીવી નિંદામણ કે છોડ ઉગી નીકળવા વગેરે
આટલું ધ્યાન રાખો તો મણિકા થાય
--
--
આ એક ફૂગથી થતો સીનોફોરા બ્લાઈટ નામનો રોગ છે. આ ફૂગ એમનામ કોઈ લીલા છોડને લાગતો નથી. પરુંતુ તમારા છોડમાં જો ઘાવ પડ્યો હોય, કોઈ ડાળી હાલતા ચાલતા કે મજુરોના પગથી ભાંગી ગઈ હોય અથવા એક બે દિવસમાં તમે મરચા ઉતાર્યા હોય અને છોડમાં તોડાઈ ને લીધે ડીટીયું તોડ્યું ત્યાં ઘાવ થયો હોય , અથવા તો ખેત ઓજાર ચલાવતી વખતે ડાલી તૂટી હોઈ તો ત્યાંથી આ ફૂગ ખાસ કરીને ચોમાસામાં પ્રવેશ કરે છે.
એટલે એમ નથી કે મરચા ઉતારવા નહિ, પરંતુ ક્યારે ના ઉતારવા તે સમજી લ્યો જો તેવા સમયે રાત ઠંડી હોય દિવસ ગરમ હોય રાત્રે ઝાકળ આવી હોય અને બીજા દિવસે સખ્ત તાપ પડે તો આ ફૂગ મરચીના છોડના ઘાવ કે ઇઝા થઇ છે ત્યાંથી પ્રવેશ કરી આ રોગ લાવે છે. ટૂંકમાં આ રોગ માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું વાતાવરણ જવાબદાર છે.
થોડા વખત થી વરસાદ થયો નથી , ચોમાસુ છે , વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે ,
જો રાતના વાદળા હટી ગયા ને રાત ઠંડી થઇ અને સવારે ઝાકળ પડી ને પાંદડા ઉપર પડી ને બીજા દિવસે સૂરજની તીવ્રતા વધુ હશે કારણ કે વાતાવરણ માં ધૂળ નથી ,
સખત તાપ પડશે , ઝાકળ છે તો જ્યાં મરચી ઈજા કે ઘાવ થયો છે ત્યાંથી આ ફૂગ લાગશે ,
સીનેફોરા બ્લાઈટના રોગ વાતાવરણના આવા બદલાવની સાથે જો મરચી ના છોડ માં તમારા કે મજૂરો દ્વારા મરચી ની ડાળી તૂટી તો ત્યાં પડેલ ઘાવ કે પછી તમે કાલે તોડાઈ કરી હશે તો છોડ પર થયેલ આ નુકશાન ના ખુલા ભાગમાંથી રોગકારક પ્રવેશે છે ,
રોગ ત્રિકોણ પ્રમાણે એવું હવામાન થશે તો ઘાવ પડ્યો ત્યાંથી રોગ લાગશે ,
આનું લક્ષણ એ છે કે અમુક અમુક છોડની એકાદ ડાળી સુકાતી નજરે ચડશે , આખો છોડ નહિ
સિનોફોરા બલાઈટ માટે અઠવાડિયામાં બે વાર ઘાટો સ્પ્રે કરવો.
પ્લાન્ટોમાઈસીન ૩૦ ગ્રામ / પંપ અથવા
એલીએટ + કોસાઈડ ૩૦ ગ્રામ/ પંપ અથવા
કમ્પેનિયન ૩૦ ગ્રામ/પંપ અથવા
કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ/ પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ નો છંટકાવ કરવો.
દવા નો સમયસર છંટકાવ કરવો આવશ્યક છે એક બે દિવસનું પણ મોડું મરચી ના ઉત્પાદન માં મોટું નુક્શાન કરી જાય છે , આ રોગ ભર ચોમાસે આવે છે એ ખાસ યાદ રાખજો