રોગ ત્રિકોણ એટલે શું ?






























રોગ ત્રિકોણ એટલે શું તે સમજીયે

આપણા ખેતરમાં રોગ ત્યારે જ આવે છે જયારે ત્રણ પરિસ્થિતિ નિર્માણ થાય.

રોગકારક હાજર છે , વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને મોટું નુકશાન થાય છે


રોગ ત્રિકોણ યાદ રાખો

જો તમારા ખેતરમાં રોગકારક હાજર હોય, રોગ ફેલાવનાર હોસ્ટ હાજર હોય અને વાતાવરણ અનુકુળ હોય તો જ રોગ આવે છે તે રોકવા ખેડૂતે સમયસર પગલા લેવાથી ઓછા ખર્ચે નુકશાનમાંથી બચી શકાય છે. આ માટે રોજ ખેતરમાં અવલોકન કરવું પડે




1- રોપ તદુરસ્ત અને સફેદ માખી થી મુક્ત પેદા કરો - રોપ માં દવા છાંટો -રોપ ની ઉપર ઇન્સેક્ટ નેટ લગાડો .
2- રોપમાં સફેદમાખી આવી તો સમજો કે વાયરસ રોગનો ચેપ લાગી ગયો
3- ગયા વર્ષે જ્યાં મરચી હતી તે ખેતર માં મરચીની ફેરરોપણી કરશો નહિ , જ્યાં પાણી ભરાય રહેતી હોય તેવી જમીન પસંદ કરશો નહિ , દર ત્રણ વર્ષે જમીનની ઊંડી ખેડ થતી હોઈ ત્યાં મરચી વાવો
4- મરચી ની ખેતી પાળા ઉપર કરો તેના ઉપર ડ્રિપ અને 30 માઇક્રોન મ્લચીંગ લગાડો અને પાળા ઉપર ફૂટ ફૂટ ના અંતરે તંદુરસ્ત રોપ ના મૂળ ને ઇમીડાક્લોપ્રીડ અને ફુગનાશકના દ્રાવણ માં બોળી ને ફેરરોપણી કરો
5- ખેતરમાં એકલ દોકલ વાયરસ ઉપદ્રવીત છોડ દેખાય તો વહેલાસર તેને ઉપાડીને બાળી દયો .
6- ખેતરમાં રહેલ કે શેઢેપાળે રહેલ નિન્દામણ રોગ ફેલાવનાર રોગકારકો ના વાહક હોઈ છે તે દૂર કરો .
7- આજુબાજુ ના ખેતર માંથી આવતી સફેદમાખીથી બચવા દર છ- સાત મરચી ની હાર છોડી એક હાર પિંજર પાક તરીકે મકાઈ નો ચાસ કરો
8- સફેદમાખી -થ્રિપ્સ જેવી જીવાત કુક્ડ ના રોગની વાહક છે તેનું સમયસર નિયંત્રણ કરો , વીઘે 6 થી 7 પીળા ક્રોપ ગાર્ડ ટ્રેપ લગાડો
9- ચુસીયા જીવાત થી બચવા નીમ અને વાયરસ માટે ગૌમૂત્ર અને હિંગ નો પ્રયોગ વારંવાર કરો , વધુ પડતો ઉપદ્રવ થાય તો સફેદમાખી માટે જંતુનાશક પાયરોપ્રોક્સિફેન ( લાનો, ઓબેરોન અથવા સુમિપ્રેપ્પટ ) પ્રયોગ કરો
10-ચુસીયા જીવાત ખાસ કરી ને સફેદ માખી કે ચુસીયા માટે બજારમાં મળતી નામનેઠા વગર ની દવા વારંવાર છાંટશો તો જીવાત માં પ્રતિકારશક્તિ આવી જશે અને તમે નુકશાનીમાં આવી જશો , માન્ય દવા યોગ્ય માત્ર માં વાપરવા નું ગોઠવો








0 comments