મરચીની ખેતી મા આ વરસાદથી નુકશાન થયું ?






ઓછા વરસાદે આપણા મરચીના છોડ કેવા આઘાત અનુભવતા  હતા તે આપણ ને ખબર છે  ? એમાંય આ વરસાદથી પણ આઘાત લાગ્યો તે તમે અનુભવ્યું હશે ?

ઘણા ખેડૂતોના મરચીના પાંદડા આ વરસાદ પછી ખરી ગયા,  વરસાદ થી પણ આઘાત પડ્યો  હવે શું કરવું ???

 




જે ખેડૂતોએ મરચીને   સારું પોષણ અને ફુગનાશકના સ્પ્રેય આપી દીધેલ તેને સારું છે , જ્યાં પાણીનો નિકાલ થયો ત્યાં સારું છે .

ઉઘાડ નીકળે કે તુર્તજ  PSAP ખાતરનો ઘાટો સ્પ્રે કરી દેવો 
સારી ફુગનાશક છાટવી 




યાદ રાખો વરસાદ પછી પાલર પાણી ઉતારજો અને પછી 


છોડને શું જોઈએ ? જેવી જમીન તે પ્રકારે તેને પિયત ની વ્યવસ્થા જોઈએ , પણ કેટલું પાણી જોઈએ ? જમીનના પ્રકાર પ્રમાણે છોડને કેટલું પાણી જોઈએ ? એક લિટર ? સાત લિટર ? 18 લિટર ? કેટલું ? છોડ ને પિયત જોતું નથી છોડને ભેજ જોઈએ છે , યાદ રાખો છોડને ભેજ જોઈએ છે

ભેજ પૂરતો ના થાય એટલું પાણી હોય તો છોડ તણાવ અનુભવે , છોડ ઉત્પાદન ઓછું આપે, છોડ મરી પણ જાય ,જો ભેજની જરુરુયાત કરતા પાણી વધુ આપો તો છોડના મૂળિયાંને નુકશાન થાય , મૂળને લગતા રોગો નો ઉપદ્રવ વધે, ઉત્પાદન ઘટે , છોડ મરે , 




વાંચતા રહો  ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા તમારા મોબાઈલમા





0 comments