ઓછા વરસાદે આપણા મરચીના છોડ કેવા આઘાત અનુભવતા હતા તે આપણ ને ખબર છે ? એમાંય આ વરસાદથી પણ આઘાત લાગ્યો તે તમે અનુભવ્યું હશે ?
ઘણા ખેડૂતોના મરચીના પાંદડા આ વરસાદ પછી ખરી ગયા, વરસાદ થી પણ આઘાત પડ્યો હવે શું કરવું ???
જે ખેડૂતોએ મરચીને સારું પોષણ અને ફુગનાશકના સ્પ્રેય આપી દીધેલ તેને સારું છે , જ્યાં પાણીનો નિકાલ થયો ત્યાં સારું છે .
ઉઘાડ નીકળે કે તુર્તજ PSAP ખાતરનો ઘાટો સ્પ્રે કરી દેવો
સારી ફુગનાશક છાટવી
યાદ રાખો વરસાદ પછી પાલર પાણી ઉતારજો અને પછી
છોડને શું જોઈએ ? જેવી જમીન તે પ્રકારે તેને પિયત ની વ્યવસ્થા જોઈએ , પણ કેટલું પાણી જોઈએ ? જમીનના પ્રકાર પ્રમાણે છોડને કેટલું પાણી જોઈએ ? એક લિટર ? સાત લિટર ? 18 લિટર ? કેટલું ? છોડ ને પિયત જોતું નથી છોડને ભેજ જોઈએ છે , યાદ રાખો છોડને ભેજ જોઈએ છે
ભેજ પૂરતો ના થાય એટલું પાણી હોય તો છોડ તણાવ અનુભવે , છોડ ઉત્પાદન ઓછું આપે, છોડ મરી પણ જાય ,જો ભેજની જરુરુયાત કરતા પાણી વધુ આપો તો છોડના મૂળિયાંને નુકશાન થાય , મૂળને લગતા રોગો નો ઉપદ્રવ વધે, ઉત્પાદન ઘટે , છોડ મરે ,
વાંચતા રહો ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા તમારા મોબાઈલમા
0 comments