મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે ગયા વર્ષે મરચીની ખેતી માં ચુરડા-મુરડા બહુ આવ્યો અને બ્લેક થ્રિપ્સ નું નિયંત્રણ થયું નહિ એટલે અમારું ઉત્પાદન ૫૦ ટકા થઇ ગયું. આ ચુરડા મુરડા કયો રોગ છે? સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસ ને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે તેને કુક્ડ કહીયે છીએ . કુક્ડ એમ નામ નથી આવતો , કુક્ડ આપણી મરચીમાં ત્યારેજ આવે છે જયારે આપણી મરચીમાં ચુસીયા જીવાત ખુબ લાગી હોય એટલે આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. પરપ્રાંતમાં ઓછું ઉત્પાદન આપણને ગયા વર્ષે વધુ ભાવ અપાવી ગયું પણ આ વર્ષે આપણામાં કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર મોટા પાયે થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલ ને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે
Showing posts with label ચુસીયા. Show all posts
Showing posts with label ચુસીયા. Show all posts
ઠંડીની સીઝનમાં આવતી મોલો-એફિડ નામની પોચા શરીર વાળી જીવાતનો વધુ ઉપદ્રવ થાય તો પાંદડા કુકડાઈ જશે, નવા કુમળા પાંદડામાં જોવા મળતી આ જીવાત પોતાના શરીરમાંથી મીઠો રસ હગાર તરીકે કાઢે છે, જેના લીધે તેમાં પાછી ફૂગ લાગે છે અને છોડ કાળો પડી જશે. મોલોની દવા જેવી કે એકતારા અથવા ડેન્ટોપસુ અથવા એડમાયર અથવા પ્રોફેનોફોસનો પ્રયોગ કરો
મરચીની ખેતીમાં આવતી વિવિધ જીવાતોને કાબૂમાં લેવા માટે આપણું સૂત્ર એ હોવું જોઇએ કે દુશ્મનને નબળી કડી શોધીને મારવો,
દા. ત. જીવાત કે ઈયળની કમજોર-નબળી કડી કઈ ?
નબળી કડી એટલે જીવાત-ઈયળનું ઈંડું.
ઈંડા જ મારી નાખો તો ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી.
ઈંડા જ મરી જાય કે નાશ પામે તો બચ્ચા જન્મે જ નહીં અને ઈંડા માંથી આવેલા બચ્ચાંથી મરચીને નુકસાન થાય નહીં,
પણ
કઈ જીવાત ક્યાં ક્યારે અને કેવી રીતે ઈંડા મૂકે તેનો અભ્યાસ કરવો પડે.
આ માટે રોજ ખેતર નું આવલોકન , આપણા બ્લોગ નું વાંચન , હવામાન ના બદલાવ માટે થર્મોમીટર જોતા શીખવું વગેરે કરવું પડે .
જો આટલું કરી ને ઈંડા જ મારી નાખો તો.......
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.