Showing posts with label રોગ. Show all posts
Showing posts with label રોગ. Show all posts
- ગોકળગાય, ઈયળ, ઢાલીયાનો ઉપદ્રવ હોઈ શકે અથવા
- મેંગેનીઝ તત્વની ખામી હોઈ શકે
વધુ માહિતી માટે વાચતા રહો
આપણે ખેડૂત છીએ, આપણે પાક ઉત્પાદન લેવું છે, તેથી આપણો પાક મરચી હોય કે કપાસ, મગફળી હોય કે ટામેટી રોગ-જીવાતનું નિયંત્રણ કરવું પડે.
પાક નું સતત રોજ રોજ અવલોકન કરીયે તો જયારે જીવાત દેખાય ત્યારે દવા છાંટવાની હોય તો જીવાત ના નુકશાન માંથી બચાવી શકાય
પણ રોગમાં એવું નથી. રોગ દેખાય ત્યારે છાંટો તો ઘણું મોડું થઈ ગયું હોય.સમજાય છે
રોગ કેવા સંજોગો, સમય, હવામાનમાં આવે તેનું જ્ઞાન મેળવી અવલોકન અને ધ્યાન રાખતા રાખતા તેમાં પાક સંરક્ષણ કરવાનું હોય. આ વાત ગાંઠે બાંધી રાખજો
પ્રશ્ન શું છે ?
કારણ શું છે ?
ઉપાય શું છે ? અને
હું શું કરી શકું ?
આ ચાર સવાલના જવાબ જે ખેડૂત ને મળી ગયા તે મરચીની ખેતીમાં સફળ
આવા ખેડૂત રૂપિયા કમાય બાકીના જોઈ રહે
આજનો પ્રશ્ન
મરચીની ખેતીમાં રોગ આવવાના કારણો અને પરિબળો ક્યાં છે ?
રોગ આવવામાં મદદ કરતા પરિબળો
જેવા કે
ગરમી
દુષ્કાળ -સુકો
પોષણ ની ખામી કે ખાતરની વિપરીત અસરો -દાહક અસરો
કેમિકલ INJURY, ખોટી દવાનો છંટકાવ
મીકેનીકલ INJURY, ખેત ઓજાર કે મજૂરો દ્વારા કે પશુ દ્વારા છોડને નુકશાન
POOR DRAINAGE- પાણી નો ભરાવો-વધુ પડતો સતત ભેજ
જમીનનો અને પાણીનો પી.એચ વધારે કે ઓછો
આસપાસના વાતાવરણ નું પ્રદુષણ
હિમ પડવો-લીવીંગ BIOTIC
પરજીવી નિંદામણ કે છોડ ઉગી નીકળવા વગેરે
આટલું ધ્યાન રાખો તો મણિકા થાય
ફયુઝેરીયમ સુકારો , ફયુઝેરીયમ ઓક્સિસ્પોરમ રોગકારક ને લીધે થતો સુકારો છે , આ રોગમાં છોડના પાન વળી જાય છે અને પીળા પડી જાય છે , આ રોગ ખેતરમાં અમુક જગ્યાએ શરુ થાય છે , છોડ મરી જાય તો પણ પાન જોડાયેલ રહે છે , જ્યાં સુકારો આવતો હોય તે જમીન માં મરચી ૨ વર્ષ વાવવી જોઈએ નહિ. ગરમ વાતાવરણ ૩૨ ૦ સે. ગ્રે.તાપમાન હોય ત્યારે વધુ પડતું પિયત આપવાથી આ રોગ ફેલાય છે માટે આવા સમયે વધુ પડતું પાણી આપવાની ટેવ છોડવી પડશે. ડ્રીપ ઈરીગેશન અપનાવો. રોગ માટે ફૂગનાશકનું થડ પાસે ડ્રેન્ચિંગ કરો. ટ્રાઇકોડરમા વીરિડી ફુગનાશકનું પહેલેથીજ છાણીયા ખાતર સાથે ભેળવીને આપવું . આવી જમીનમાં પહેલાથી સોઇલ સોલેરાઈઝેશન એટલે કે પ્લાસ્ટિક પાથરીને જમીન ગરમ કરીને નિર્જિવિકરણ કરી વાવેતર કરવું જોઈએ .
ફોલીક્યુર (ટેબુકોનાઝોલ) ૩૦ મિલી પ્રતિ પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી /પંપ અથવા
બાવીસ્ટીંન + એલીએટ ૩૦ ગ્રામ /પંપ અથવા
કેમ્પેનીયન (કાર્બેન્ડેનઝીમ + મેન્કોઝેબ) ૩૦ ગ્રામ/પંપ માં નાખી થડે ડ્રેન્ચિંગ કરો.
ટ્રાઇકોડરમા વિરિડી નું ડ્રેનચિંગ કરવું
હવે આવનારા રોગ વિશે જાણો અને કૃષિ નિષ્ણાંત ની સલાહ લ્યો
સારા અને અનુભવી વેપારી પાસેથી માર્ગદર્શન લ્યો ,
દા . ત . પશુને ખરવા થયો હોય તો દવા કરીએ એટલે રૂઝ આવી જાય.
સમયસર દવા પીવડાવીએ તો પગ કાપવો ન પડે !
જ્યારે તમે મરચીના રોગ ના ચિન્હોની ખબર ના હોય , તમે ભાગીયા ભરોશે હો , તમે રોજ મરચીના ખેતરમાં અવલોકન કરતા ના હો તો ......મરચીના રોગ લાગે તેની ખબર ન રહે તો પાંદડું જ ખરી જાય.
રસોડું નાશ પામે, શું કરો ખોરાક બનતો બંધ, ચેપ લાગે તે વધારામાં, નુકસાનનો પાર નહીં !
એટલે જ જીવાત કરતા રોગ નુકસાન મોટું.
ખુબ સારો પ્રશ્ન છે , આના જવાબ માટે આપણે મૂળ ની કાર્ય રચના સમજવી પડે
મરચીના રોગો માટે એટલે કે ખાસ કરીને મૂળના રોગો માટે ડ્રેન્ચિંગ કરવું તેવું વૈજ્ઞાનિકો એટલા માટે કહે છે કારણ કે મૂળનો સ્વભાવ અથવાતો મૂળ ની કાર્ય રચના ખોરાક કે પોષણ ને નીચેની ઉપર જવાની છે તે પોષક તત્વો હોય કે પાણી નીચેથી ઉપર લઇ જાય છે.
વૈજ્ઞાનિક ભાષામાં આને એક્રોપેટલ મુવમેન્ટ કહે છે.
આપણે મૂળના અથવા જમીન જન્ય રોગનું નિયંત્રણ કરવું હોય કે પોષણ કે જંતુનાશક રસોડારૂપી પાનમા પહોંચાડવું હોય તો મુળ ની આ કાર્ય રચનાને ધ્યાનમાં લેવી પડે કે નહિ ?
સાથે સાથે છોડ વધુ સારા મૂળ નો વિકાસ કરે તે માટે મરચી માં તમારે વામ નું ડ્રેનચિંગ કરી જુવો અને જુવો તંતુમુલ અને છોડ માં અદભુત બદલાવ ,
એટલે યાદ રાખો ડ્રેન્ચિંગ વધુ અસરકારક છે , વિજ્ઞાનને સમજો , ખેતી માં બદલાવ લાવો
હવે વરસાદ ખુબ પડ્યો છે થોડી ગરમી પડશે એટલે બધાની મરચી માં ફૂગજન્ય રોગો ની રાડ બોલી જશે આપણે આ વખતે નીચેના ત્રણ રોગ નું ખાસ ધ્યાન રાખવું પડશે
પાનના ટપકા નો રોગ - વરસાદ પૂરો થાય ઉઘાડ નીકળ્યો નથી ને કોપર + સ્ટ્રેપટો નો છંટકાવ વત્તા ડ્રેનચિંગ કરી દેજો
ફાયટોપથોરા બ્લાઈટ આ વર્ષે વધુ દેખાશે : ફળ બેસવાનું શરૂથાય તે પહેલા સઘન છંટકાવ અને ડ્રેન્ચિંગ કરવું પડશે
એન્થ્રેકનોઝ આ વર્ષે વધુ આવશે : લાલ સૂકા મરચાં નો આ રોગ માટે અત્યારથી જાગવું પડશે નહીંતર મરચાં માં ડાઘી પડી પછી કાબુમાં નહિ આવે
અત્યારથી જાગી જજો
ખોટી દવા કે બે પાંચ દવા ભેગી કરી છાંટતા નહિ
નામનેઠા વગર ની દવા થી દૂર રેજો
રોજ મરચી ના ખેતર માં આંટો મારવાનું નીમ લેજો તો બધું સમયસર કરી શકશો
આ પોસ્ટ તમારા મિત્ર ને ફોરવર્ડ કરી તેને પણ જાગી જવાનું કહેજો
વાંચતા રહો ખેતર ની વાત તમારા મોબાઇલમાં - મારી બ્લોગ પોસ્ટ
પ્ર .
મરચીના પાકની રસી એટલે કે પી એસ એ પી ખાતરના પરિણામો
અત્યારે વરસાદ ખુબ પડ્યો જેમને ખુબ પાણી ભરાયા અને નિકાલ નથી થયો તેમના માટે તો પાણીના નિકાલ પછી કોઈ આપી શકાય પરંતુ તે ખેડૂતોને પાણી નીકળી ગયા અને ખેતર માં જઈ શકાય તેમ છે તેને શું કરવું તેનો વિચાર કરવા નો સમય છે
પી એસ એ પી ખાતર જેને વરસાદ પહેલા પંપે 150 થી 200 નાખીને થડે થડે કે ઉપરથી સ્પ્રે કર્યો છે તેને વરસાદની સામે મરચી વધું સારી રહી છે તેમણે ફરી પી એસ એ પી દર 10 દિવસે ઉપરથી સ્પ્રે કરવો અને કુક્ડ હોઈ તો 200 ગ્રામ નાખી સ્પ્રેય કરવો
ચાર કામ મરચીના પાક માં ખાસ કરવા
એક : વરસાદ ગયા પછી તરતજ કોપર સાથે સ્ટ્રેપ્ટો સાયક્લીન દવાનો આપણે અગાઉ કીધું તેમ ઉપરથી છાંટવા નો પ્રયોગ કરવો
બીજું : મરચી ના થડે થડે તમારે એકેડિયા કંપનીનું સિવિડ નું ડ્રેનચિંગ કરવું
ત્રીજું : ઉપરથી છાંટવાના ખાતર 19-19-19 પંપે 150 ગ્રામ સાથે ચીલેટેડ માઈક્રો ન્યુટ્રીઅન્ટ નો ઘાટો સ્પ્રે કરવો જેથી અત્યારે મૂળિયાં કામ કરતા નથી ત્યારે ઉપરથી ખોરાક મળી જાય
ચોથું : મરચી ને વધુ સારી કરવી હોય તો વીઘે 3 કિલો ઝાયટેનિકસ બાયો ફેર્ટીલાઇઝર નું થડે થડે ડ્રેનચીગ કરો , તમારી નજીક ઝયટોનિક્સ ક્યાંથી મળશે તે જાણવા 9825229766 પાર ફોન કરો
પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ ઘાટો છટકાવ થયો ત્યાં
1 - છોડ માં રસી મૂકી હોઈ તેવું થયું
2 - પાન પહોળા થયા
3 - પાનની thickness જાડાઈ વધી - ચુસીયા ઓછા લાગ્યા -રોગ સામે છોડ મજબૂત રહ્યો
પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ નો છંટકાવ - કુક્ડ હતી ત્યાં
1 - કુક્ડ નું જોખમ ઓછું થયું , નવી કૂંપળ માં કુક્ડ નથી
2 - જ્યાં 200 ગ્રામ પ્રતિ પમ્પ ના સતત બે છંટકાવ ચાર દિવસ ના અંતરે થાય ત્યાં કુક્ડ આગળ વધતો અટક્યો
પી એસ એ પી નો છઁટ્કાવ ઘાટો અને પાંદડા ભીંજાય તેમ કરવો , વીઘા દીઠ સ્પ્રે પમ્પ વધતા રહેવા જોઈએ
તમારા મિત્ર ને કહો કે તમારી મરચી ને સારી બનાવવા દર દશ દિવસે પી એસ એ પી છટકાવ કરવા માંગો છો? તમારી મરચી માં પ્રતિકાર શક્તિ લાવી રોગ જીવાત સામે રક્ષણ મળે તેવી મરચી બનાવો7
વધુ વિગત માટે ફોન કરો 9825229766
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.