મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં તો પણ મરચી માં આવું થાય ,
બીજું કારણ આ અગાઉ આપણી ચેનલ માં વાત થયા મુજબ આપણી ખેતી પદ્ધતિને લીધે ગોંડલ વિસ્તારમાં હવે ફાયટોપથોરા દેખાવા મંડશે , હવે બધા કહેશે કે પ્રવીણભાઈ સાચું તમે કહેતા હતા તે તાપમાને આ રોગ ગોંડલ વિસ્તાર માં જોયા મળ્યો , આ રોગ થી બચવા બદલાવવું જરૂરી છે ,
બીજું કે જો છોડ નબળો રહે પણ લીલો રહે અને સુકાય નહી,
જો આવું થતું હોય તો તમે પાળા ઉપર મરચી કરવાને બદલે સપાટ પાણી ભરાય તેવા ક્યારામાં મરચી વાવતા હોય તો તમારે મરચી માં ફાયટોપ્થોરા રૂટરોટ નામનો સુકારો હોય તો પણ આવું થાય,
આ રોગ ગોંડલ વિસ્તારનો વારંવાર એકજ જમીનમાં મરચી વાવતા ખેડૂતોને જોવા મળે છે જ્યાં મરચી ની ખેતી પાળા પર થતી નથી ત્યાં ખાસ થાય છે આવતા વર્ષે મરચી વાળા માં મરચી કરવી નહિ
આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.
તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.
એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ
એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.
છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766
મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.
દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે
આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.
પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,
કારણ શું છે ? ઉપાય શું છે ?
અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો
અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો
મરચીની ખાતરની જરૂરિયાત પાકની અલગ અલગ અવસ્થા વખતે અલગ હોય છે દા.ત. તમારે વીઘે 12 ટનનું અથવા તો હેક્ટરે 75 ટન લીલા મરચાનું ઉત્પાદન લેવું છે તો તેના ગુણાંકમાં ખાતરની જરૂરિયાત ગણવી પડે પરંતુ સરળ રીતે નીચેના ગ્રાફ સાથે સમજીએ.
મરચીના છોડને શરૂઆતના ૬૦ દિવસમાં પાકને વિકાસ માટે સારું એવું સમતોલ ન્યુટ્રીશન-પોષણ જોઈએ છે પછી જયારે પ્રથમ તોડાય થાય ત્યારે ફરી વધુ પોષણ ની જરૂરિયાત રહે છે તે તમને ઉપરના ગ્રાફમાં દેખાશે. પહેલી વીણી પછી ખાતરની જરૂરિયાત સતત વધતી રહે છે જો તમે મલ્ચીંગ અને ડ્રીપનો પ્રયોગ કરતા હો તો નાઈટ્રેટના રૂપમાં નાઈટ્રોજન આપો અથવા ઠંડી હોય તો યુરિયાના રૂપમાં આપી નહિ શકો , ઠંડીમાં નાઇટ્રેટ ના રૂપમાં આપો
ઉપરના ગ્રાફનું અવલોકન કરો તો ગ્રાફમાં નીચે પાકના દિવસો અને ડાબી તરફ રોજનો પોષણનો ઉપાડ પ્રતિ હેક્ટરના ખેતરમાં કેટલો મરચી લે છે તે બતાવેલ છે , પચાસ સાંઠ દિવસ આસપાસ પોટાશનો અપટેક છ કિલો પ્રતિ હેક્ટર પ્રતિ દિવસ જેટલો વધી જાય છે . એટલે કે નાઈટ્રોજન અને ફોસ્ફરસની સાપેક્ષમાં પોટાશની જરૂરિયાત પણ વધુ રહે છે અને ૧૦૦ દિવસે તો પોટેશિયમની સર્વોતમ સ્થિતિએ જરૂરિયાત છે તે તમે નોધ્યું હશે. ફેર્ટીગેશન માટે અગત્યના ખાતરો નોંધો પોટેશિયમ નાઇટ્રેટ , મોનો અમોનિયમ ફૉસ્ફેટ , કેલ્શિયમ નાઈટ્રેટ , મેગ્નેસિયમ સલ્ફેટ વગેરે
ઉપરથી છાંટવાના ખાતરોનો ઉપયોગ કરીને લાભ લ્યો
કૃષિ નિષ્ણાત પાસે તમારા જમીન અને પાણીના રિપોર્ટના આધારે ડ્રિપ માં આપવાના ખાતરનો ફર્ટિગેશન પ્રોગ્રામ અવશ્ય બનાવડાવો
મરચીના ભાવ મળવા આપણા હાથમાં નથી
આપણા હાથમાં શું છે ?
આપણી હાથમાં છે મરચીની કાળજી અને આપણી મરચીમાંથી ઉપજ વધુ મેળવવા આપવા જરૂરી પોષણ આપવાનું પ્લાંનિંગ
તમારી બાજુના છગનભાઈએ પણ તમે વાવી છે તે સેમ જાત અને બંને એ એક એકરની મરચી કરી છે , ધરું અને ફેરરોપણી પણ એકજ દિવસે કરી છે ,
તમે રોજ આંટો મારીને સામાન્ય દવા દ્વારા સારું નિયંત્રણ સમયસર કર્યું છે , તમને ખબર છે કે એક ટન સૂકા મરચા કરવા કેટલું પોષણ આપવું પડે તે તમે ક્રમે ક્રમે આપો છો એટલે તમારી મરચી છગનભાઇ કરતા સારી છે
કારણ તમે પોષણનું મૂલ્ય બરાબર સમજો છો , નવા નવા ખાતરો જેવાકે પીએસએપી નો સમયસર પ્રયોગ કરી તમે મરચીની ખામશી કરી છે
છગનભાઇ કરતા તમારે મરચાના મણિકા વધુ થાય તો તેજીનો લાભ કોને મળશે ?
ભાવની એંસીતૈસી વીઘે સારી ક્વાલિટીની ઉપજ વધુ થાય તે જીતે
PSAP ડબલ ફાર્મર ઇન્કમ કેટલોગમાં દર્શાવ્યા પ્રમાણે PSAP સંશોધક શ્રી પ્રશાંત નાન્કદીરકાર કહે છે કે PSAPના સારા પરિણામો મેળવવા માટે નીચેના મુદ્દાનું ધ્યાન રાખો.
- એક લીટર પાણીમાં માત્ર 6 થી 8 ગ્રામ PSAP નાખો.
- PSAP નો સ્પ્રે વહેલી સવારે અથવા સાંજના ૪ વાગ્યા પછી કરો.
- PSAP નો સ્પ્રે કરો ત્યારે વાતાવરણીય તાપમાન ૩૦ સેન્ટીગ્રેડ થી ઓછું હોય તે જુઓ
- PSAPનો સ્પ્રે કરો ત્યારે નોઝલ સારી વાપરો જેથી સ્પ્રે એકદમ જીણો થાય અને છોડને પુરેપુરો ભીંજાવો.
- PSAP છાંટ્યા પછી ૨ કલાક પહેલા અને પછી વરસાદ કે ઝાકળ ન હોય તે સારી વાત છે.
- PSAPનો છંટકાવ વખતે પુરતા પાણીનો વપરાશ કરો. ફાલ અવસ્થાએ એકરે ૨૦૦ લીટર પાણીનો વપરાશ કરવો જરૂરી છે,ટૂંકમાં છોડ બરાબર કવર થાય તેમ છાંટો .
- PSAPના છંટકાવ ૧૫ થી ૨૫ દિવસના અંતરે અથવા જરૂરિયાત મુજબ વહેલા પણ કરવા જોઈએ.
વધુ માહિતી માટે 9825229766
મરચી ઉગાડનાર ખેડૂતો સારા સમાચાર ક્યારે ગણાય ?
જયારે તેની મરચી તંદુરસ્ત હોય ,
મરચીની સારી જાત વાવી હોય ,
મરચી ની ઉપજ વધુ મળે તેવા ખાતરો ના પ્રયોગ વિશેની ખબર હોય
મરચીના ઉત્પાદન વધુ લેવા યુરિયાનો પ્રયોગ એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ના થાય તે જોવું
કોઈ કહે અમારું આ ખાતર વાપરો
કોઈ કહે અમારું ઓર્ગનિક ખાતર વાપરો
કરવું શું ?
ઉપજ વધારવી છે પણ ખોટું ખાતર વપરાય જાય તો પણ જોઈએ તેટલો ફાયદો થાય નહિ
તમારી મરચી જમીનમાંથી તમે આપેલું ખાતર મેળવે છે તે મૂળ મજબૂત હોવા જોઈએ
મરચી નબળી હોઈ તો મૂળના સારા વિકાસ માટે મરચીના થડે થડે ઝાયટોનિકસનું ડ્રેનચિંગ કરો
મરચીના મૂળ જ એવા હોય કે જે ખાતર આપો કે તે સીધું આપણા મરચાનું વજન વધારે
પીએસએપી નવા ખાતર વિશે જાણી રાખો
એક વિશિષ્ટ પ્રકારનું નવું મોલેક્યુલ કે જેમાં આપણે જોઈએ છે તે પોટેશિયમ અને એક્ટીવ ફોસ્ફરસ છે. પીએસએપી એ ટોનિક નથી પરંતુ છોડને રક્ષણ આપતું ખાતર છે. વધુ વિગત માટે મોબાઇલ કરો - 9825229766
પીએસએપીના પ્રયોગ પછી છોડમાં શું થાય છે ?
૧. છોડ જીવાત અને રોગ સામે ન છાંટેલા છોડ કરતા 70% જેટલો અલગ પડે છે
૨. પાન લીલા , પહોળા અને તંદુરસ્ત થાય છે.
૩. નવી ફૂટ સાથે પુષ્કળ ફળ લાગતા રહે છે.
૪. મરચીના છોડમાં લાગેલા મરચાનું વજન વધે છે
પીએસએપી વાપરવું ક્યારે ?
1. મરચીમાં ફૂલો આવવાનું શરુ થાય ત્યારથી મરચા લાલ થાય ત્યાં સુધી
તમારા મિત્રોને પણ આપણી ટેલીગ્રામ ચેનલમાં જોડો અને તેને પણ આ નવા સમાચાર આપો
આ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે
કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા એન્ડ રોટ લાગુ પડે છે
મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ તત્વની ખાસ આવશ્યકતા હોય છે તે ખાસ યાદ રાખવું .
જમીન ચકાસણીના આધારે જો ૭ પીએચ થી વધુ એટલેકે 8 પીએચ હોઈ તો વીઘે ૧.૬ થી ૨.૦ ટન જીપ્સમ નાખો , જીપ્સમ ઉમેરવાથી કેલ્શિયમ વધે છે PH એમનેમ રહે છે, જીપ્સમ વરસાદ પહેલા નાખો તો વધુ ફાયદો થાય છે
શાકભાજીના પાક માં કેલ્શિયમની ખાસ જરૂર છે તે માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરી શકો
વધુ વરસાદમાં મેગ્નેસીયમની ખામી વધે છે તે યાદ રાખો
કેલ્શિયમ અને પોટાસીયમનો વધુ પડતો વપરાશ થવાથી MgSo4 magnesium shulphate મેગ્નેશિયમની ખામી ઉભી થાય છે આવા સમયે મેગ્નેશિયમની પુરતી કરજો , વધુ ઉપજ લેવા માટે આ મુદ્દો બરાબર ધ્યાનમાં રાખજો .
બોરોનની ખામી દૂર કરવા માટે સોલ્યુબોર ૮૦૦ ગ્રામ આપો અથવા સેફગાર્ડ /નેનોગાર્ડ ડ્રિપ માં 500 મિલી ડ્રિપ માં ચડાવો
ઝીંક ની પૂરતી કરવા માટે ઝીકસલ્ફેટ ૫ કિલો નાખો
યાદ રાખો બોરોન અને ઝીંક સાથે ભેળવવાનું નથી
આવી નાની નાની વાતો તમને કોઈ કહેશે નહિ તમારી પાસે જાણકારી - માહિતી હોવી જોઈએ આવી માહિતી આપતા ગ્રુપ સાથે સતત જોડાયેલા રહો , એક એક નાની માહિતી તમારી ખેતીની આવક વધારી શકે છે , આ માહિતી બીજાને શેર કરો
--
--
મરચીના પાકમાં પોષક તત્વોની ખામી જાણવા માટે ચિત્ર દ્વારા સમજીએ. આ ચિત્રનું અવલોકન કરી તમારી મરચીના પાન સાથે તેને સરખાવો અને અનુમાન કરો કે ક્યા પોષક તત્વોની ખામી છે. ઘણીવાર પોષક તત્વોની ખામી હોય છે પરંતુ તે લક્ષણો મરચી માં આવતા રોગ જીવાત ના નુકશાન જેવા હોય તો ઘણી વખત ભૂલ થી આપણે જંતુનાશક દવા છાંટી દેતા હોઈએ છીએ. આમ ખેતીમાં અવલોકન ખુબ અગત્યનું છે.
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866
-
વાવેતરના ૧૪ દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?
પહેલું મરચી ના પાક માં હજુ તંતુ મૂળ નો વિકાસ થતો હોઈ ત્યાં ક્યારા માં પાણી ભરાય રહે તો મરચી માં ઓક્સિજન ની ખામી ઉભી થાય એટલે નીચેના મૂળ કામ કરતા બંધ થયા હોઈ તો મરચી ને પાલર પાણી ને બદલે ટેક્નિકલ ઇરીગેશન આપો એટલે કે ડ્રિપ હોય તો જરૂર પૂરતુ જમીન ની ઉપરની સપાટી ભીની થાય એટલું પાણી આપો કારણ કે નીચે તો ભીનું છે ત્યાં પાણી ની જરૂર નથી એટલે વધુ પાણી આપીએ તો છોડ મરી જશે ,
પાન પીળા પાડવાનું બીજું કારણ લોહ એટલે કે ફેરસની ખામી હોઈ , માઈક્રોન્યુટ્રીયન્ટ છાંટો તે લેવા જાવ તો ચીલેટેડ ફોર્મ માં લેજો તો કામ કરશે ,
ત્રીજું જો પાંદડા 12 કલાક થી વધુ ભીના રહ્યા હોઈ તો કોપર સાથે સ્ટ્રેપ્ટોસાયક્લીનનો છંટકાવ કરો બેક્ટેરિયા ના કારણે પણ ના ટપક ના રોગ થી છોડ ને બચાવી શકાય
પી એસ એ પી ખાતર 200 ગ્રામ પેકીંગ ની કિંમત 360/- છે જે 15 લીટર માં પમ્પ માં પાકની અવસ્થા મુજબ 5 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે 75 ગ્રામ નાખી ને છંટકાવ કરવો , આ ખાસ પ્રકારનો રિસર્ચ મોલેક્યુલ મરચી માં એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેશ એટલે કે તણાવ દૂર કરી છોડ ને રોગ સામે પ્રતિકારક અને તંદુરસ્ત બનાવે છે , વધુ વીગત માટે બ્લોગ માં નીચે પ્રસ્ન પૂછવાના વિભાગ માં પ્રશ્ન કરો
PSAP રિસર્ચ મોલેક્યુલ એ વૈજ્ઞાનિક પ્રશાંત પી. નંદરગિકર ની શોધ છે