મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે ગયા વર્ષે મરચીની ખેતી માં ચુરડા-મુરડા બહુ આવ્યો અને બ્લેક થ્રિપ્સ નું નિયંત્રણ થયું નહિ એટલે અમારું ઉત્પાદન ૫૦ ટકા થઇ ગયું. આ ચુરડા મુરડા કયો રોગ છે? સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસ ને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે તેને કુક્ડ કહીયે છીએ . કુક્ડ એમ નામ નથી આવતો , કુક્ડ આપણી મરચીમાં ત્યારેજ આવે છે જયારે આપણી મરચીમાં ચુસીયા જીવાત ખુબ લાગી હોય એટલે આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. પરપ્રાંતમાં ઓછું ઉત્પાદન આપણને ગયા વર્ષે વધુ ભાવ અપાવી ગયું પણ આ વર્ષે આપણામાં કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર મોટા પાયે થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલ ને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે
Showing posts with label .વાયરસ. Show all posts
Showing posts with label .વાયરસ. Show all posts
1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે સારું બીજ પસંદ કરો
2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા , મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .
3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .
4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .
મરચીના પ્રત્યેક છોડને બાયોટિક અને એબાયોટિક આઘાત થી બચાવવો પડશે
આપણું ધ્યાન આપણે જીવાત ઉપર અને છોડ નબળો દેખાય તેના ઉપર ઠેરવી દીધું છે એટલે આવું દેખાય એટલે આપણે દવા વાળા ને ત્યાં દોડીએ છીએ ,
મરચીને શું તકલીફ છે ? વાતાવરણ , ટાઢ , તડકો , વધારે પાણી , જમીનમાં પાણીનો ભરાવો , ખોટી દવાનો અથવા સાચી દવાનો ખોટી દવા સાથેના મિશ્રણનો છંટકાવ આ બધું મરચીના છોડને તણાવ સ્ટ્રેશ આપે છે તેને એબાયોટીક અને બાયોટિક તણાવ કહે છે , આનો વિચાર આપણે કરવો પડશે
આજની ખેતી બ્લોગ અથવા ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા નફાકારક ખેતીની માહિતી આપના સુધી પહોંચાડવાનું અમારું કાર્ય તમને ગમતું હોઈ તો રોજ અમારો બ્લોગ વાંચો ને તમારી ખેતી સારી બનાવો ,
આજે માહિતી બ્લોગ ઉપર મુકાણી કે નહિ ? તે તમને ખબર કેમ પડે ? મુકાતી માહિતીની તમને ખબર પડેં તે માટે અમે પટેલ એગ્રોની ખેતરની વાત નામની ટેલિગ્રામની ચેનલ શરુ કરી છે તેમાં જોડાય જજો તો નવી માહિતી મુકાયા ની જાણ તમને થતી રહેશે
આજેજ તમારા મોબાઇલ માં ટેલિગ્રામ ડોઉનલોડ કરો ને તેમાં પટેલ એગ્રો સીડ્સ ની ચેનલ ખેતરની વાત માં જોઈન થાવ આ તમારે બીજા મિત્રને મોકલવું હોઈ તો પોસ્ટની નીચે સોસિયલ મીડિયાના સિમ્બોલ છે તેનો ઉપયોગ કરો અને બીજા મિત્ર ને મદદ કરો
મરચીની ખેતી કપાસ કરતા પણ સારી ગણાય છે ,
મરચી ની ખેતી માટે બીજની પસંદગી સારી અને સાચી કરવી પડે , કોઈની દેખાદેખી માં નહિ પણ પોતાની સુઝબુઝ થી બીજ પસંદ કરજો ,
બીજ પસંદગી કરો ત્યારે તમારી આવડત , તમારી જમીન, તમારી કુનેહ અને મરચી ની ખેતીને તમારો કેટલો સમય આપશો? તેના આધારે બીજ ની પસંદગી કરવી ,
વધુ વિગત માટે તમારી જમીનની માહિતી આપી જાણો કે તમારે ક્યુ બીજ લેવાય ? તમારા મોબાઈલ ને કામે લગાડો 9825229866 , આ વર્ષની મરચીની ખેતીમાં કઈ નવી જાત સારી અને તે જોવા જવા શું કરવું તે પૂછો અને આવતા વર્ષની મરચીની ખેતી બદલી નાખો
નુકશાન :
થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે, પાન કુકડાઈ જાય છે, વધુ ઉપદ્રવ થાય તો છોડ નુકશાની માંથી બહાર આવી શકતો નથી તેથી ઉત્પાદન ઘટે છે , ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે ઈંડા મૂકે છે જીવાત મરચીમાં સપ્ટેમ્બરથી માર્ચ સુધી વધારે નુકસાન કરે છે. થ્રીપ્સના વધુ ઉપદ્રવ માટે સૂકા, ગરમ તેમજ ઓછું ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે.
વ્યવસ્થાપન :
ખેતરમાં રોજ બિલોરી કાચ લઈને આંટોમારીને સ્કાઉટીંગ કરો કારણકે દુશ્મનને તેની નબળી કડી માં મારવો જોઈએ એટલે કે થ્રીપ્સના ઈંડા ક્યારે મુકાય અને ક્યા મુકાય તે ખબર હોય તો થાય ! શું તમને ખબર છે ? થ્રિપ્સ કઈ કાગળનો લખે કે હું તમારી મરચીમાં એટેક કરવાની છું
દાખલા સાથે સમજીયે દા .ત . તમારા વાડીના થર્મોમીટર પ્રમાણે અથવા ગુગલ ડેટા પ્રમાણે ગઈ રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ હતું અને આજે રાત્રે વાદળાં આવી જાય , વરસાદ નથી અને મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે ?
રાત ઠંડી હશે કે ગરમ ? રાતે વાદળ હોય એટલે આખા દિવસની જમીનની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે ઓછી નહિ થાય અને રાત્રે ગરમી વધશે , હવે અહીં સમજવાનું છે .....જો રાતનું મિનિમમ તાપમાન ગઈ રાત કરતા 3 ડિગ્રી થી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે, થ્રિપ્સની માદા પાનની અંદર સ્લીટ -ખાંચો કરીને ઈંડા મૂકે છે આ ઈંડા એક બે દિવસે ફૂટશેને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રીના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો , જો આટલા જાગરૂક રહેશો તો તમારી મરચી થ્રિપ્સમાં મોટા નુક્શાન માંથી બચી જશે .
જીવન ચક્ર :
હવે થ્રિપ્સ નું જીવન ચક્ર સમજીયે તો જીવાતને ક્યાં સ્ટેજ માં મારવી તેનું આયોજન કરી શકીયે , જીવાંતના મોટા મોટા 4 સ્ટેજ હોય છે, ઈંડા -બચ્ચું -કોશેટો -પુખ્ત . આપણે વાત કરી ગયા તેવું વાતાવરણ થયું એટલે નર માદા નું સંવનન થાય ને માદા રાતે ઈંડા મૂકે આ ઈંડા ફૂટે( 2-4 દિવસ ) એટલે એમાંથી લાર્વા નાનું બચ્ચું ( 1-2 દિવસ ) લાર્વા મોટુ થાય મોટું બચ્ચું (2-4 દિવસ) આ 6 દિવસ આપણ ને જોરદાર નુકસાન કરી જાય પછી લાર્વા પ્યુંપા તરીકે જમીન પડી જાય ને ( 1-5 દિવસ ) અને તેમાંથી ફરી વાતાવરણ થાય એટલે પુખ્ત બહાર આવે ને પાછા નર માદા મળે ને આ ચક્ર ચાલ્યા કરે .
ઈંડા મારવા ટ્રાન્સલેમીનીયર ઈંડાનાશક દવા છાંટો તો ઈંડાનો નાશ કરી સફળતા મેળવી શકાય પણ ઈંડા મુકાય ક્યારે તે જ કામ આવે બીજા દિવસે બચ્ચા બહાર આવી જાય તો પછી તેને મારવા માટે ટ્રાન્સ્લેમીનિયર નહિ ચાલે તેના માટે હવે કોન્ટેક્ટ ઇન્સેક્ટીસાઈડ એટલે કે સ્પર્શ કરેને મારે તેવી દવા છાંટવી પડે
નિયંત્રણ :
ડેનીટોલ મિયોથ્રિન ( ફેનપ્રોપેથ્રીન ) અથવા
રીઝન્ટ - જંપ (ફીપ્રોનીલ) અથવા
ડેલિગેટ (સ્પીન્ટોરમ ) અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) અથવા
સ્પીન્ટોર -ટ્રેસર (સ્પીનોસાડ) અથવા
મોવેન્ટો (સ્પાયરોટેત્રામેટ ) વારાફરતી પ્રયોગ કરવો.
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.